SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા સંભક [ ૨૧૩ ] વિદ્યાઓની સંજ્ઞાથી વિદ્યાધરોના નિકાય(સમૂહ) થયા-જેમકે ગૌરી વિદ્યાથી ગૌરિક, મનુથી મનુપૂર્વક, ગાધારી વિદ્યાથી ગાન્ધાર, માનવીથી માનવ, કેશિકાથી કેશિકપૂર્વક, ભૂમિ/ડક વિદ્યાના અધિપતિ ભૂમિતુંડક, મૂલવીર્યથી મૂલવીર્ય, શંકુંકાથી શંકુ, પાંડુકીથી પાંડક, કાલકીથી કાલકેય, માતંગીથી માતંગ, પાર્વતીથી પાર્વતેય, વંશલતાથી વંશલતા, પાંસુચૂલિકાથી પાંસુમૂલક, વૃક્ષમૂલિકાના વૃક્ષમૂલક, કાલિકાના કાલકેશ, આ પ્રમાણે આ ભાગ (સોળ નિકાના) કરીને નમિ અને વિનમિએ આઠ આઠ નિકા ગ્રહણ કર્યા. ત્યારપછી મનુષ્યમાં દેવ સમાન તેઓ પોતાના વિદ્યાબલથી સ્વજન અને પરિજન સહિત દેવની જેમ ભેગ ભેગવવા લાગ્યા. નગરની અંદર સભાસ્થાનમાં ભગવાન કાષભસ્વામીની દેવતા તરીકે સ્થાપના કરવામાં આવી, તથા પિતાપિતાના નિકાયમાં જે તે નિકાયની વિદ્યાની અધિપતિ દેવતાની પણ સ્થાપના કરવામાં આવી. બન્ને જણાએ પુત્ર અને ક્ષત્રિના સંબંધ અનુસાર નગર વહેચ્યાં. શ્રેયસે શ્રીનષભદેવને કરેલું શેરડીના રસનું દાન પરમકૃતિ અને બલ અને સવના સાગર, સ્વયંભુ સાગરના જેવા નિશ્ચલ અને શાન્ત ભગવાન પિતામહ ાષભદેવ આહાર કર્યા સિવાય એક વર્ષ સુધી વિહર્યા, અને હસ્તિનાપુર પહોંચ્યા. તે નગરમાં બાહુબલીના પુત્ર સમપ્રભ રાજા હતો, તથા તેને શ્રેયાંસ નામે કુમાર હતો. તે બન્ને જણાએ તથા નગરશેઠે તે રાત્રે સ્વપ્ન જોયું. ત્રણે જણ એકત્ર થયા. સેમપ્રભની સમક્ષ શ્રેયાંસ કહેવા લાગ્યું, “હે આર્ય! મેં આજે સ્વપ્નમાં જે જોયું છે તે સાંભળે-જેની પ્રભા કંઈક પ્લાન થયેલી છે એવા મેરુપર્વતને ચાલીને અહીં આવતે મેં જે. મેં અમૃતકલશથી તેના ઉપર અભિષેક કરતાં તે સ્વાભાવિક થઈ ગયો. આ પછી હું જાગી ગયે.” સેમપ્રલે કહ્યું, “હે શ્રેયાંસ! મેં જોયું તે તું સાંભળ-સૂર્યનાં કિરણે પડી ગયાં હતાં, તેં એ કિરણે એકત્ર કરીને પાછાં સૂર્યમાં આપ્યાં , તેનાથી તે અતિ પ્રકાશમાન્ થ.” શ્રેષ્ઠીએ કહ્યું, “મેં જોયું તે સાંભળો-આજે કોઈ એક પુરુષ દસ્યુઓની મોટી સેના વડે પરાજિત થતું હતું, શ્રેયાંસસ્વામીએ તેને સહાય કરી અને તેથી તેણે શત્રુન્યને પરાજય કર્યો. આ જોઈને હું જા.” સ્વપ્નની ફલપ્રાપ્તિને નહીં જાણતા તેઓ ઘરની બહાર નીકળ્યા. - પ્રશાન્ત સ્થિતિમાં રહેલા ભગવાન ઋષભદેવ પણ શ્રેયાંસને ઘેર આવ્યા. પિતાના પ્રાસાદમાં બેઠેલ શ્રેયાંસ સામેથી આવતા પિતામહને જોઈને વિચાર કરવા લાગ્યું, “આવી આકૃતિ આ પહેલાં મેં ક્યાં જેઈ છે?” આ પ્રમાણે વિચાર કરતાં તેને આવરણના ક્ષપશમથી જાતિસ્મરણ થયું. “જેમણે સર્વ સંગને ત્યાગ કર્યો છે એવા આ ભગવાનને મારે ભાત પાણે વહેરાવવું જોઈએ” એમ વિચારીને તે ઉતાવળે ઊઠ, અને ભવનના • ૧. સ્વયંભૂરમણ સમુદ્ર-છેલ્લે સમુદ્ર. ત્યારપછી બધા અલોક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy