SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૨ ] વસુદેવ-હિં ડી: : પ્રથમ ખંડ : વસ્તુનું દાન આપીને—લેાકાન્તિક દેવેાવર્ડ પ્રતિભેાધ પામેલા ભગવાને ભરતાદિ પુત્રાને રાજ્ય આપીને, દેવતાઓએ મળેલી સુદર્શના શિખિકામાં એસીને સિદ્ધાર્થ વનમાં જઈ, એક દેવદૃષ્ય ધારણ કરીને કચ્છ-મહાકચ્છ આદિ ચાર હજાર ક્ષત્રિય રાજાઓ સાથે દીક્ષા લીધી; અને તેઓ મૌન પાળીને વિચરવા લાગ્યા. પારણાના સમયે ભિક્ષાર્થે ભગવાન ( લેાકેાના ) ગૃહમાં પ્રવેશ કરતા ત્યારે લેાકેા તેમની આગળ કન્યાએ, કનક, વજ્ર અને આભૂષણા, તથા અશ્વ અને હસ્તી ધરતા. આથી ક્ષુધાથી પીડાતા અને જેમને ભગવાનનું વચન પણ સાંભળવા મળતુ નથી એવા પેલા ( ચાર હજાર રાજા ) દુ:ખી થયા તથા માનથી તેમજ ભરત રાજાના ભયથી અરણ્યમાં કુલ-મૂલના આહાર કરનારા તાપસ તરીકે રહ્યા તથા વલ્કલ અને ચર્મને ધારણ કરનારા થયા. નમિ અને વિામને વિદ્યાધર-રિદ્ધિની પ્રાપ્તિ * ભગવાનના સંબંધી નમિ અને વિનમિ નામે એ કુમારા ભગવાનની સ્થિર રહેવાની– ધ્યાનની વેળાએ હાથમાં ખડ્ગ ધારણ કરીને થાકયા સિવાય તેમની સેવા કરતા હતા. તીર્થંકરને વાંદવા માટે આવેલા નાગરાજ ધરણે વિનયપૂર્વક ઉપાસના કરતા આ બન્ને જણને જોયા; અને કુતૂહલથી તેમને પૂછ્યું, “ તમે શામાટે સ્વામીની સેવા કરેા છે ? ” તેઓએ કહ્યું, “ સ્વામીએ પેાતાના પુત્રોને અને ક્ષત્રિયાને ભૂમિ આપી છે, પણ અમે તે વખતે ક્રૂર હતા; તા હવે તેમની સેવા કરતા એવા અમેા ઉપર પ્રભુ કૃપા કરશે. ” આમ કહેવામાં આવતાં કંઇક હસીને નાગરાજે કહ્યું, “ અરે ! સાંભળેા, ભગવાન્ તા રાષ અને તાષથી પર, પેાતાના શરીરમાં પણ મમતારહિત, અકિ ંચન, પરમ ચેાગી, જેમણે આસવને રાકયા છે એવા તથા કમલપત્ર સમાન નિલે`પ ચિત્તવાળા છે; પરંતુ તમે તેમની લાંબા કાળ સુધી ઉપાસના કરી છે, તેનું ફળ તમને હું આપું છું. વૈતાઢ્ય પર્વતની બન્ને માજુએ આવેલી એ વિદ્યાધરશ્રેણિએ તમને એ જણને હું આપુ છું. ત્યાં પગે ચાલીને જઈ શકાય એમ નથી, તેથી તમને ગગનગામિની વિદ્યાએ હું આપું છું. એ વિદ્યાએ મહાપ્રભાવવાળી છે. વિદ્યાએ વડે લેાભાવીને લેાકેાને ત્યાં લઇ જજો. ” નમિ–વિનમિએ પ્રણામ કરીને કહ્યુ, “અમારા ઉપર કૃપા થઇ; વિદ્યાઓ આપેા. ” પછી નાગરાજે મહારાહિણી, પ્રજ્ઞપ્તિ, ગૌરી, વિદ્યુત્સુખી, મહાજાલા, તિરસ્કરણી, મહુરૂપા આદિ ગન્ધ અને પન્નગાની અડતાલીસ હજાર વિદ્યાએ તેમને આપી. આ પ્રમાણે નાગરાજની કૃપા પામીને વિનમિએ વૈતાઢ્યની ઉત્તર શ્રેણીમાં ગગનવલ્લભ પ્રમુખ સાઠે નગરા વસાવ્યાં, અને નમિએ દક્ષિણ શ્રેણિમાં રથનુપૂરચક્રવાલ વગેરે પચાસ નગર વસાવ્યાં. જે જનપદમાંથી લેાકાને લાવવામાં આવ્યા હતા, તે ઉપરથી તે જ નામનાં જનપદે વૈતાઢ્યમાં પણ થયાં. ૧. ત્રિષષ્ટિ વગેરે ગ્રન્થામાં આ એ કુમારને અનુક્રમે કચ્છ અને મહાચ્છના પુત્રા તરીકે વર્ણ વેલા છે. ભગવાને દીક્ષા લીધી તે અગાઉ તેઓ દૂર દેશમાં ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy