SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૮ ]. વસુદેવ-હિંડી ઃઃ પ્રથમ ખંડ ઃ અધિપતિ હોય ત્યાં સુધી ઈન્દ્રનો અધિકાર ચાલતો નથી. ચક્રવતી ન હોય ત્યારે તેને અધિકાર ચાલે છે.” ત્યારે ઈન્કે કહ્યું, “જ્યારે મારો અધિકાર ચાલશે તે સમયને માટે સાધુઓને માટે હું આ પ્રમાણે અવગ્રહની અનુજ્ઞા આપું છું-દ્રવ્યથી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે, ક્ષેત્રથી લોકોઃ સુધી, કાળથી બે સાગરોપમ અને ભાવથી સૂક્ષ્મ વિશેષ (બધી વસ્તુઓ).” આ સાંભળી ભરતે વિચાર કર્યો, “ઈન્દ્રનો તે જ્યારે અધિકાર ચાલશે ત્યારે તે અનુજ્ઞા આપશે, પણ હું તો અત્યારે જ ઊભો થઈને પૂછી જોઉં.” પિતાને વંદન કરીને તેણે પૂછ્યું, “તાત! કેટલા ભારતવર્ષ ઉપર અધિકાર ધરાવું છું?” સ્વામીએ કહ્યું, “ તું આખાયે ભરતવિજય ઉપર અધિકાર ધરાવે છે. તારી અનુમતિથી હું ભારતમાં મનુષ્યોને દીક્ષા આપીશ. તે અનુજ્ઞા આપીશ, એટલે તને કર્મોની નિજેરારૂપી વિપુલ ફળ મળશે. જે અચિત્ત દ્રવ્ય શ્રમણના ઉપયોગમાં આવશે તેને પણ તું સ્વામી છે” એટલે આનંદિત થઈને ભરત વિનંતી કરવા લાગ્યા, તાત! જે કોઈ સ્ત્રી અથવા પુરુષની પ્રવજ્યા લેવાની ઈચ્છા હોય તેને હું અનુજ્ઞા આપું છું. જે મારા સ્ત્રીરત્નને દીક્ષા લેવી હોય તે તેની તથા સાધુસમુદાયના ઉપયોગમાં જે દ્રવ્ય આવે તેની પણ હું અનુજ્ઞા આપું છું.” આ પ્રમાણે ભારતે કહ્યું, એટલે તીર્થકરના વચનામૃતથી સંસિદ્ધ થયેલા ભારતના પાંચ પુત્ર અને સાતસો પૌત્રોએ એકી સાથે દીક્ષા લીધી તે અદ્દભુત જેવું થયું. પછી ભારતે ઈન્દ્રને કહ્યું, “દેવ! અમે તે તીર્થકરની સમીપમાં જ વસીએ છીએ, એટલે તીર્થકરને વંદન અને અમારા સંશોનું છેદન એ વસ્તુ તે અમારે સ્વાધીન જ છે, પરંતુ તમારે તે વંદન કરવાને માટે મનુષ્યલોકમાં આવવું પડે છે.” ઈન્ડે કહ્યું, “જે સંશયને અંધકાર દૂર ન થતું હોય તે દૂર કરવા માટે અમારે તીર્થકર સમીપે આવવું પડે છે. પણ જે વંદન, પર્યું પાસના તથા પૂજા તે તો સ્વર્ગમાંનાં સિદ્ધાયતની પ્રતિમાઓમાં તીર્થકરની ભાવના રાખીને કરવામાં આવે છે.” આ સાંભળીને વર્ધકીરત્નવડે ભરતે જિનમન્દિર કરાવ્યાં. સાધુજનો માટે તૈયાર કરાવેલું ભેજન સમેસરણમાં આવેલા શ્રાવકને તપ અને શીલથી યુક્ત જાણીને ઈન્દ્રની સૂચનાથી તેણે જમાડયું. ફરી પાછું ભરતે ઈન્દ્રને કહ્યું, “દેવ ! તમારું દેવલેકમાં જેવું રૂપ છે તેવું મને બતાવે.” ઈન્ડે કહ્યું, “ભરત! મારું દિવ્ય રૂપ પૃથજનો જોઈ શકતા નથી. તેને તેને માત્ર એક અંશ બતાવું છું.” પછી ઈન્ડે પિતાના પરમ રૂપની ભૂષણયુક્ત ટચલી આંગળી ભરતને બતાવી. તે જોઈને પછી તેવી આકૃતિની સ્થાપના કરવામાં આવી, અને તેનો ઉત્સવ કરવામાં આવ્યું. ત્યારથી ઈન્દ્રમહોત્સવ પ્રવર્યો. પછી ભારતે શ્રાવકેને આજ્ઞા કરી, “તમે દરરોજ મારા ગૃહમાં જમો, અને જમીને પછી “આપ જીતાયેલા છે” એમ કહો. દુગ્ધપ્રધાન મિણ ભેજન જમીને તેઓ પોતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy