SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી સંભક ધમતી સંભક [ ૩૫૧ ] પમાં આવેલાં, પુપ અને ફળના ભારથી નમેલાં તરુવર વડે સુશોભિત ઉપવનમાં જેની હષ્ટિ વિશ્રામ પામેલી છે એવા મેં જાણે કે દેવરાજ ઈન્દ્રની બુદ્ધિથી નિર્માણ થયેલી હોય તેવી અને વિદ્યાધરના મુખ્ય નગરની શોભાને ધારણ કરતી તે નગરી જઈ. ત્યાં એક પ્રદેશમાં નગરના પ્રાકાર જેવા પ્રકારથી વીંટળાયેલું, જેની કાન્તિથી મનુષ્યલક વિસ્મિત છે એવું, ચંદરવા વડે દર્શનીય, સારી રીતે બાંધેલા છજાં, ચંદ્રશાલા-અગાશી, જાળિયાં, ગોખ અને કપોત પાલી-કિનારી વડે સુશોભિત તથા કનકની સ્તુપિકા (નાનો સૂપ) જેમાં છે એવું તથા ઔષધિ વડે પ્રજ્વલિત રજતગિરિ-વૈતાઢ્યના શિખર જેવું દેખાતું એક મંદિર મેં જોયું. “કયા દેવનું આ આયતન હશે ?' એમ વિચારતે હું મોટા દરવાજામાં થઈને અંદર પ્રવેશ્યા. ત્યાં એકસો આઠ થાંભલા વડે મંડિત અને વિવિધ પ્રકારની લાકડાની કતરણથી સુશોભિત મંડપ મેં જોયા. ત્યાં બ્રહ્માસનમાં બેસાડેલા, જાલગુહના મધ્યમાં રહેલા, સારી રીતે જડેલા ( કાળા ) રિઝમણિ વડે જેની કાયા બનાવેલી છે એવા, ઉત્તમ ઈન્દ્રનીલમણિથી જેનાં સ્નિગ્ધ શીંગડાં બનાવેલાં છે એવા, (લાલ) લેહિતાક્ષમણિ વડે જેનાં નયનને વિપુલ આકાર જડેલ છે એવા, મહામૂલ્યવાળી પરાગમણિ વડે જેની ખરીઓ ઘડેલી છે એવા તથા મહામૂલ્યવાન મુક્તાફળ વડે મિશ્ર કાંચનની ઘુઘરમાળ જેના ગળામાં પહેરાવેલી છે એવા ત્રણ પગવાળા મહિષને જોઈને મારી પહેલાં પ્રવેશેલા બ્રાહ્મણને મેં પૂછયું, “ આર્ય! તમે જાણો છો ? આ મહિષને શું રત્નની દુર્લભતાને કારણે ત્રણ પગવાળો બનાવેલું છે? અથવા બીજું કંઈ કારણ છે? જે તમે ( મારી જેમ) પરણાપરદેશી ન હ તે કહે.” એટલે તેણે કહ્યું, “ ભદ્રમુખ! એનું કારણ છે. જે તમારી સાંભળવાની ઈચ્છા હોય તે તમને કહું. ” પછી હું એક પ્રદેશમાં બેઠો. બ્રાહ્મણ કહેવા લાગે, “હું આ જ નગરમાં જન્મેલે અને ઊછરેલે ઈશર્મા નામે બ્રાહ્મણ છું. ગાન કરતા વિદ્વાને પાસે મૃગધ્વજનું ચરિત્ર મેં જે પ્રમાણે ઘણી વાર સાંભળ્યું છે તે પ્રમાણે તમને કહીશ. સાંભળે– મૃગધ્વજ કુમાર અને ભદ્રક મહિષનું ચરિત્ર જેણે શત્રુ-સામતને જીત્યા છે એ જિતશત્રુ નામે રાજા અહીં હતો. કીર્તિમતી દેવીથી થયેલ મૃગધ્વજ નામે તેને પુત્ર હતું. તે વિનીત, વિચક્ષણ, ધીર, ત્યાગી, સુખભિગમ્ય (જેની પાસે સુખપૂર્વક જઈ શકાય એવો ) અને પ્રજાનું હિત કરનાર તરીકે પ્રસિદ્ધ થયો હતો. તે જ કાળે કુણાલામાં અનેક કટિ ધનને અધિપતિ, ઘણા લોકોને બહુમાન્ય તથા રાજા જિતશત્રુના બીજા શરીર જેવો કામદેવ નામે એકી હતા. તે કઈ એક વાર શરદઋતુના ૧. આ પૂર્વના વિજયરાધGIRવયં એ વાક્યખંડનો અર્થ સ્પષ્ટ સમજતો નથી. ‘વિનયવડે નત ધરાના પ્રાકારના વલય જેવું ' એ તરજુમો થઈ શકે, પણ તેમાંથી કંઈ અર્થ નીકળતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy