SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫૦ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ: તેમજ અતિ આહારથી કૃશ, દુલ અને વ્યાધિ વડે પીડાતા શરીરવાળા થઇને મરણુ પામે છે, તેવી રીતે વનસ્પતિકાયિકા પણ જાતિધર્મ અને વૃદ્ધિધર્મવાળા હોવાથી મધુર જળ વડે સીંચાતાં ઘણાં ફળવાળા, સ્નિગ્ધ પત્ર અને પલ્લવ વડે સુશેાભિત, ઘેરાવાવાળા અને દીર્ઘાયુ થાય છે, પણ તિકત, કટુ, કષાય અને ખાટાં પાણી વડે સીંચાતાં મ્લાન, ફિક્કાં અને કઠાર પત્રવાળાં થઇ ફળ વગરનાં બને છે અથવા નાશ પામે છે. આ વગેરે કારણેાથી વનસ્પતિકાયિકામાં જીવ છે એમ માનીને તેમની સારી રીતે રક્ષા કરવી. દરેક રીતે અગ્નિકાયથી જ કાર્ય કરતા તથા ગગન, ઇંધન અને પૃથ્વીને આશ્રીને રહેલાં ઘણાં સત્ત્વાના વિનાશ માટે પ્રવૃત્તિ કરતા, ઉદકના આરંભમાં તેને આશ્રીને રહેલાં સવાની તથા નિગેાદને આશ્રીને રહેલાં સત્ત્વાની વિરાધના કરનારાઓ કેવી રીતે અહિંસક હાઇ શકે ? પ્રાણાતિપાતની પ્રવૃત્તિ કરતા જે મનુષ્ય ‘હું અહિંસક છું' એમ કહે તે સત્યવાદી કેવી રીતે ગણાય ? તેથી તમે દુરાગમ( ખેાટા શાસ્ત્ર )ને અનુસરીને તપની બુદ્ધિથી જે કલેશ પામેા છે તે તપ હિંસાના દોષથી દૂષિત હાવાને કારણે કર્મની થાડી જ નિરા કરનાર અને ભવાન્તરમાં દુČત દેવ તરીકેના ઉપપાતના હેતુરૂપ થાય છે. પશુ જિનપ્રણીત માર્ગે ચાલનારા, જીવાનુ સ્વરૂપ જાણનારા અને સંયમને હાનિ પહોંચે નહીં તેવી રીતે તપ કરતા સાધુએ મહાનિ રાવાળા અને નિર્વાણુને ચાગ્ય થાય છે, અથવા મહુદ્ધિ ક દેવામાં ઉપપાત પામે છે. ઉદાહરણ તરીકે— કેાઈ એ પુરુષા એક નગરમાં પ્રવેશ્યા. તેમાંના એક મૂર્ખ કુહાડી લઇને સૂÜદયથી માંડીને લાકડાં કાપતા આખા દિવસમાં ઘણા પરિશ્રમે એક કાર્ષીણું કમાય, પણ કુશળ એવા બીજો થાડાક માલ લઇને તેના કલાપૂર્વક વેપાર કરતા અલ્પ પરિશ્રમથી ઘણું કમાય. “ દેવ ! તે જો તમે જન્મ-મરણથી ભરેલા સંસારનેા ત કરવા ઇચ્છતા હૈ। તેા કુધર્મના ત્યાગ કરીને જિનમતના સ્વીકાર કરા, એટલે એ વસ્તુ તમારા હિતને માટે થશે. ” પછી હર્ષને કારણે જેમને રામાંચ થયાં છે એવા તે મને કહેવા લાગ્યા, આ સુગતિ-માગ ના ઉપદેશ કરીને આપે અમારા ઉપર પરમ અનુગ્રહ કર્યો છે. અમે તે પ્રમાણે કરીશુ. ’ પછી ઉપદેશદાન વડે તાપસેાની પૂજા કરીને, પ્રીતિવડે વિકસિત એવાં તેમનાં નયનાની માળાઓ વડે અનુસરાતા, હું નીકન્યા અને ગેાકુળાથી આકી અને જેમાં ધાન્યા પાકતાં હતાં એવાં ગામ જોતા અનુક્રમે એક જનપદમાં પહાંચ્યા. ખરેખર, આ સ્વર્ગમાં વસનારા દેવ કાઇ કારણથી ધરણિતલ ઉપર ઊતરી આવ્યે છે, તેની પૂજા કરવી જોઇએ ' એ પ્રમાણે ખેલતા અને વિનયથી જેમણે મસ્તક નમાવ્યું છે એવા ત્યાંના નિવાસી ગૃહપતિએ વડે શયન, આસન, વજ્ર, પાન અને લેાજન આપવા વડે આદરપૂર્વક સેવાતા હું' સુખપૂર્વક મુકામ કરતા તથા શિરામણુ પામતા શ્રાવસ્તી નગરી આગળ પહોંચે. તેની સમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy