SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી લંભક [ ૩૪૯ ] શુદ્ધ હોય તેને જ ઉપગ કરવો. કમળપત્રની જેમ નિલેપ અને વિષયને અભિલાષ નહીં રાખતા બ્રહ્મચારીએ ધર્મના સાધનરૂપ શરીરમાં નિર્મમત્વ રાખીને વિહરવું. ક્રોધ, માન, માયા અને લેભને ક્ષમા, માર્દવ, આર્જવ અને સંતોષ વડે નિગ્રહ કરે. બાહ્ય અને આત્યંતર તપ બાર પ્રકારનાં છે-અનશન, અવમોદરિકતા (ડું ખાવું, એકાસણું ઈત્યાદિ), વૃત્તિ સંક્ષેપ (ખાવા, પીવા અને ભેગવવાનાં દ્રવ્ય કમી કરવાં), રસપરિત્યાગ (વિગઈ ઇત્યાદિનો ત્યાગ), કાયાકલેશ (લેચ, આતાપના ઈત્યાદિ), સંલીનતા (અંગોપાંગ સંકેચી બેસવું તે), પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. આ માર્ગ જિનેશ્વરએ કહેલે છે. ભવ્ય, ધર્મમાર્ગ ઉપર રહેલા, જિનવચનમાં અનુરક્ત અને જેણે આસવને માર્ગ રોક્યો છે એવા જીવને નવાં કર્મોને ઉપચય થતો નથી અને પુરાણાં કર્મોને ક્ષય થાય છે. આથી કર્મોની નિર્જરા થતાં તે જીવ નિર્વાણ પામે છે. સંક્ષેપમાં આ ધર્મ છે. વનસ્પતિની વસિદ્ધિ પણ અઢાર હજાર શીલાંગથી અલંકૃત આ ધર્મનું જીવદયા એ મૂળ છે. કંદ, મૂલ, પુષ્પ, ફલ અને પત્રોનો ઉપભેગા કરવા વડે તમે જે વનસ્પતિકાયને પીડો છે, તે સત્ય આગમના પ્રમાણથી જીવે છે એ પ્રમાણે તમારે શ્રદ્ધા રાખવી જોઈએ. કારણ કે-વિષયપલબ્ધિની બાબતમાં જેવી રીતે મનુષ્ય પાંચ ઈન્દ્રિયે વડે શબ્દાદિ વિષયોને જાણે છે તેવી રીતે આ વનસ્પતિ પણ જન્માક્તરની ક્રિયાઓને ભાવથી અને લબ્ધિથી સ્પર્શેન્દ્રિય (આદિના વિષયોને જાણે છે. જેમ પક્ષીભાવ સમાન હોવા છતાં સુઘરીનું ઘર-માળા બનાવવામાં જેવું કૌશલ્ય છે તેવું બીજાં પક્ષીઓમાં જોવામાં આવતું નથી; અથવા જેવું પિપટ અને મેનાનું વચન-કૌશલ્ય છે તેવું બીજાં પક્ષીઓનું નથી; ચઉન્દ્રિય ભમરાઓની વાંસમાં છેદ પાડવાની કળા જેવી રીતે તે તે જાતનાં બીજાં જંતુઓમાં નથી-એ જ પ્રમાણે વનસ્પતિ કાચિકેની પણ વિષયો પલબ્ધિ કંઈક લબ્ધિવિશેષથી કહેવામાં આવે છે. જેમકે–ગરવથી કંદલ, કુડવક આદિ વનસ્પતિની ઉત્પત્તિ થાય છે તેથી શબ્દપલબ્ધિ જણાય છે, (વૃક્ષે આદિને) આશ્રીને વલ્લી-લતા આદિનું ગમન થાય છે તેથી રૂપિપલબ્ધિ જણાય છે, ધૂપ કરવાથી કેટલાંક વૃક્ષે ખીલે છે તેથી ગધેપલબ્ધિ જણાય છે, પાણી પીવાથી શેરડી વગેરે ઊગે છે તેથી રસપલબ્ધિ માલુમ પડે છે, મૂળ વગેરે કાપી નાખવાથી વનસ્પતિનો સંકોચ થાય છે તેથી સ્પર્શેપલબ્ધિ જણાય છે, કમળ વગેરેનાં પત્રો બીડાઈ જવાથી નિદ્રા જાણ શકાય છે, પ્રમદાના પુરયુક્ત ચરણના તાડનથી અશોક વિકાસ પામે છે તેથી રાગ માલમ પડે છે અને સપ્તપર્ણને અકાળે પુષ્પ અને ફળ આવવા વડે હર્ષ જાણ શકાય છે. જેવી રીતે અને કેન્દ્રિય જીવ જાતિધર્મવાળા અને વૃદ્ધિધર્મવાળા હોય છે તથા આહાર વડે સિનગ્ધ કાન્તિવાળા, બલવાન, નીરોગી અને આયુષ્યવાન થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy