SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : કેટલાક વખત પછી ગણિકામાતા તલની એક પૂળીને બરાબર ઝાડી-ખંખેરીને વસન્તતિલકા પાસે લાવી. વસન્તતિલકાએ તે લઈને પિતાના ખેાળામાં ખંખેરી, પણ એમાં તે તલને એક પણ કણ નહોતો. આથી તેણે માતાને પૂછયું, “માતા ! આમાં તે તલ નથી; તું આ અહીં શા માટે લાવી?” તેણે જવાબ આપે, “જે આ પૂળ ઝાડી–ખંખેરી નાખેલ છે, તે જ મિલ પણ છે; માટે બસ કર, આપણે એનું કંઈ કામ નથી.” ત્યારે વસતતિલકાએ કહ્યું, “એમ ન બોલ, એનું પણ કામ પડે છે.” માતાએ કહ્યું, “કેવી રીતે?” તેણે જવાબ આપે, “અગ્નિમાં બાળીને એને ખાર બનાવાય છે. વસ્ત્રો વગેરે સાફ કરવામાં તેનો ઉપયોગ થાય છે.” આવો જવાબ મળતાં તે ગણિકામાતા વસન્તતિલકાને સામું પૂછવા લાગી કે, “શું તને બીજા પુરુષો નહીં મળે?” ત્યારે વસન્તતિલકાએ કહ્યું, “અહો ! તું કાગડાઓ જેવી કૃતઘ છે.” માતાએ પૂછયું, “કાગડાઓ કેવા કૃતન હતા ?” વસન્તસેનાએ કહ્યું, “આ બાબતમાં એક લકશ્રુતિ-લોકવાર્તા છે તે તું સાંભળકૃતક્ત કાગડાઓની કથા આજથી ઘણા સમય પૂર્વે બાર વરસને દુષ્કાળ પડ્યો. તે વખતે બધા કાગડાઓ ભેગા થઈને એકબીજાને કહેવા લાગ્યા, “હવે આપણે શું કરવું? મોટે ભૂખમરો ઉપસ્થિત થયેલ છે. જનપદોમાં કેઈ કાકપિંડ આપતું નથી તેમજ એ બીજા કેઈ પ્રકારનો એંઠવાડ પણ મળતો નથી, તે આપણે કયાં જવું?” ત્યારે એક વૃદ્ધ કાગડાએ કહ્યું, આપણે સમુદ્રકિનારે જઈએ. ત્યાં રહેતા કાયંજલે (એક પ્રકારનાં પક્ષીઓ) આપણું ભાણેજ થાય છે. તેઓ આપણને સમુદ્રમાંથી માછલાં પકડીને આપશે. આ સિવાય જીવવાનો બીજો કોઈ ઉપાય નથી.” આમ નકકી કરી તેઓ બધા સમુદ્રકિનારે ગયા. તેમને જોઈને કાયંજલ પક્ષીઓ પ્રસન્ન થયાં, કાગડાઓનું તેમણે સ્વાગત-અભ્યાગત વિધિથી સન્માન કર્યું અને પરોણાગત કરી. પછી કાયંજલે તેમને સમુદ્રમાંથી માછલાં પકડીને આપવા માંડ્યાં. આ પ્રમાણે કાગડાઓ ત્યાં સુખપૂર્વક સમય વીતાવતા હતા. પછી બાર વરસને દુષ્કાળ પૂરો થતાં જનપદોમાં સુકાળ થયે. એટલે તે કાગડાઓએ અંદરઅંદર વાતો કરીને “જે સુકાળ હોય તે પાછા જઈએ” એમ નક્કી કરીને બે કાગડાઓને જનપદની સ્થિતિ જોવાને માટે મોકલ્યા. એ બે કાગડાઓ થોડા સમયમાં જ તપાસ કરીને પાછા આવ્યા અને બીજાઓને કહેવા લાગ્યા, “જનપદોમાં હવે કાકપિંડ મૂકવામાં આવે છે, માટે ઊઠે, હવે આપણે જઈએ.” પછી તેઓ વિચારવા લાગ્યા કે, હવે જવું કેવી રીતે? જે રજા માગીશું તો કાયંજલે આપણને જવા દેશે નહીં.” એમ ધારીને કાયંજલને બેલાવીને કહ્યું કે, “હે ભાણેજે! હવે અમે જઈએ છીએ.” તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy