SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મિલ-હિંડી [ ૩૯ ] પક્ષીઓ પણ ત્યાગ કરે છે; સૂકાઈ ગયેલ નદી, કહ, તળાવ વગેરેને હંસ, ચક્રવાક આદિ પક્ષીઓ પણ છોડી દે છે તે આપણે ગણિકાઓને નિર્ધન પુરુષનું શું કામ? આ ધમિલને વૈભવ ક્ષીણ થઈ ગયો છે, માટે એને ત્યાગ કર.” વસન્તતિલકાએ કહ્યું, માતા મારે ધનનું કંઈ કામ નથી. ધમિલના ગુણેને લીધે એનામાં મારે અત્યંત નેહ થયે છે. શિલ, કાનન અને વનખંડેથી સુશોભિત આ પૃથ્વીમાં એના સમાન અન્ય કે પુરુષને હું જોતી નથી. મેલ જેવા ધનની શી જરૂર છે? મારું જીવિત ઈચ્છતી હોય તે આર્યપુત્ર સિવાય બીજા કોઈની વાત પણ મારી આગળ કરીશ નહીં. એનાથી મારે વિગ થશે તે એનાં હાસ્ય, વચન, રમણ અને ગમનનું સ્મરણ કરતી એવી હું જીવીશ નહીં. એનાથી મારે વિગ પડાવતાં પહેલાં મને જીવાડવાને ઉપાય તું શોધી રાખજે.” વસન્તસેનાએ કહ્યું, “ભલે પુત્રિ! બસ કર. મારો પણ એ જ મરથ છે. જે તને પ્રિય તે મને પણ હાલે છે.” આ પ્રમાણે વાણ બેલવા છતાં હૃદયથી છળ-કપટ અને માયામાં કુશળ એવી લુચ્ચી ગણિકામાતા ધમિલનાં છિદ્રો જોતી રહેવા લાગી. કેટલેક કાળ ગયા પછી એક વાર વસન્તતિલકા સ્નાન કરી, સ્વચ્છ થઈ, દર્પણ હાથમાં લઈને પ્રસાધન-શૃંગાર કરતી હતી. માતાને તેણે કહ્યું, “માતા ! અળતો લાવ.” માતાએ કૂચારૂપ અળતે લાવીને મૂક્યો. ગણિકાએ પૂછયું, “માતા ! આ અળતો રસ વગરનો કેમ છે?” ત્યારે માતાએ કહ્યું, “શું એનાથી કામ નહીં ચાલે?વસન્તતિલકાએ કહ્યું, “માતા ચાલશે !” પાછી માતા કહેવા લાગી, “પુત્રી ! જેવી રીતે આ અળતે નીરસ છે, તેમ ધમ્મિલ પણ નીરસ છે, માટે તેનું આપણે કંઈ કામ નથી.” ત્યારે વસન્તતિલકાએ કહ્યું, “માતા ! આ નીરસ અળતાથી પણ કામ થાય છે, તે શું તું નથી જાણતી ?” માતાએ જવાબ આપે, “ના, હું તો નથી જાણતી. ” વસન્તતિલકાએ કહ્યું, “ અરે મૂર્ખ ! એનાથી તે વાટ વળે, તેથી દીવો સળગાવાય; માટે અજાણું ન થા. કામ કેમ નથી ?” આ પ્રમાણે જવાબ મળતાં તે ગણિકામાતા નિરુ. ત્તર અને ચૂપ થઈ ગઈ. પછી કેટલાક દિવસ બાદ સુખાસન ઉપર બેઠેલી વસન્તતિલકાને તેની માતાએ ધળી શેરડીના ટુકડાઓ પીલીને આવ્યા. તે લઈને ખાવા લાગી, પણ એમાં કંઈ રસ નહોતો. આથી તેણે કહ્યું, “માતા! આ તે નીરસ છે.” ત્યારે માતા બોલી, “જેમ આ નીરસ છે તેમ ધમ્મિલ પણ નીરસ છે.” વસતતિલકાએ કહ્યું, “આ નીરસ પણ કંઈક કામમાં આવે છે.” માતાએ પૂછયું, “શા કામમાં આવે છે?” વસન્તતિલકાએ જવાબ આપે, “દેવકુલ, ઘર વગેરેમાં લીંપણ માટે ગાર કરવામાં આવે છે, ત્યાં તેને ઉપયોગ થાય છે” આ જવાબ મળતાં તે ગણિકામાતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy