SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પશુ જેવી) થઈ છું, મારો પુત્ર અરણ્યવાસી ન થાઓ. માટે હું ક્ષત્રિય-ચરુ ખાઈ લઉં.” પછી તેઓએ ચરુની અદલાબદલી કરી. સમય જતાં રેણુકાએ રામને જન્મ આપે. કેઈ એક વાર સાથેની સાથે સાધુઓ જતા હતા. સાથે અટવીમાં પ્રવેશે ત્યાર પછી એક અભિનવ દીક્ષિત, માંદા અને સાર્થથી વિખૂટા પડી ગયેલા સાધુને જમદગ્નિએ જે, આશ્રમ પદમાં આર્યો અને પ્રયત્નપૂર્વક સાજે કર્યો. સંતુષ્ટ થયેલા તેણે અપ્રતિહત એવી વિઘા જમદમિને આપી. જમદગ્નિએ તે સાધી. પરીક્ષા માટે પરશુ મંત્રીને તેને પદ્ધસરોવરમાં નાખી, સરોવર સૂકાઈ ગયું. આ પ્રમાણે ખાત્રી થતાં તે જમદગ્નિ પુત્રની સાથે અરણ્યમાં ફરવા લાગે. એક વાર હસ્તિનાપુરને અધિપતિ અનંતવીર્ય રાજા આશ્રમપદમાં આવ્યું. તે ગાયોની સાથે રેણુકાને પણ લઈ ગયે. આ સાંભળીને જમદગ્નિએ પરશુ હાથમાં આપીને રામને મોકલ્યા. તે અનંતવીર્યને મારીને, ગાયે પાછી વાળીને, રેણુકાને લઈને આવ્યા. હસ્તિનાપુરમાં અનંતવીર્યને પુત્ર કાર્તવીર્ય રાજા થયે. કોઈ એક વાર જરાજીર્ણ થયેલ જમદગ્નિ આશ્રમમાં બેઠા હતા. પરશુ હાથમાં લઈને અશંકિત એ રામ એકલે અરણ્યમાં ભમતે હતે. “એણે અનંતવીર્યને માર્યો છે.” એમ વિચારીને કાર્તવીયે મધ્યદેશના અધિરાજાઓને એકત્ર કર્યા. “રામની જે ઉપેક્ષા કરવામાં આવશે તો તે સર્વને વિનાશ કરશે” એમ વિચારીને તેઓ આશ્રમપદમાં આવ્યા, જ્યાં જમદગ્નિ હતો. પિતાના પિતાના મરણના કારણથી થયેલા વેરને લીધે કાર્તવયે તેને માર્યો. તેને મારીને રાજાએ જતા રહ્યા. પિતાના મરણથી કેપેલે રામ પણ પરશુ હાથમાં લઈને ક્ષત્રિયા સાથે યુદ્ધ કરવા લાગ્યો. તેણે પરશુથી કાર્તવીર્યને માર્યો. મરતાં બચેલા ક્ષત્રિયે જુદી જુદી દિશાઓમાં નાસવા લાગ્યા. રામ હસ્તિનાપુર આવ્યું. મહર અને શાંડિલ્ય એ મંત્રીઓ વડે લઈ જવાયેલી કાર્તવીર્યની સગર્ભા પટ્ટરાણી તારાએ ત્યાંથી નાસી છુટતાં કૌશિક ઋષિના આશ્રમમાં પુત્રને જન્મ આપે. (ગર્ભ) ઊંધે માથે પડ્યો. પછી ભૂમિ-માટી ખાવાને લીધે તેનું સુભૂમ એવું નામ પાડવામાં આવ્યું. મંત્રીઓએ દેવીને કહ્યું, “ભૂમિને ખાનારે થયો હોવાથી આપણે ભૂમિને વધારનાર આ રાજા થશે.” ભયરામાં ગુપ્તપણે તે ઊછરવા લાગ્યો. રામની પરશુ ફર દેવતાએ અધિષિત કરી. પછી રામે તેના પ્રભાવથી ક્ષત્રિને વિનાશ કર્યો. “કાર્તવીર્યને અને મારે વેર છે. બીજાઓ નિરપરાધ છે, પણ તે દુરાચારીઓ અરણ્યમાં રહેલા એવા મારે નાશ કરવા ઈચ્છે છે ” આવા અમર્ષ વડે કરીને તેણે સાત વાર પૃથ્વી નક્ષત્રી કરી. જેમને મારતે તેમની દાઢે તે ભેગી કરતા જેણે શત્રુઓને જીત્યા છે એવો રામ હસ્તિનાપુરમાં રાજ્ય કરે છે. આ કારણથી તાપસ-કુમારના વેશમાં ૧ મૂળમાં ૩Hસ્થળો પરદો એ શબ્દો છે. ઝડપથી દોડવાને લીધે ગર્ભ અધોમુખ પડ્યો, એમ અર્થ કરવો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy