SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ મદનગા સંભક [ ૩૦૯ ] મને કન્યા આપે.” પછી “વીસામે કરે” એમ કહીને તેને આવાસ આપવામાં આવ્યું. રાજાએ મંત્રીઓની સાથે વિચાર કર્યો, “આ તે લાંબી દાઢીવાળો અને યુવાવસ્થા વટાવી ગયેલ છે. માટે ઉપાયપૂર્વક તેનું નિવારણ કરીએ-અમારી કન્યાઓને સ્વયંવર આપવામાં આવેલ છે, માટે જે કન્યા તમને ઈછે તેને લઈ જાઓ.” આ પ્રમાણે કહેવામાં આવતાં જમદગ્નિ કન્યાઓના અંત:પુરમાં ગયે; એક એક કન્યાને કહેવા લાગ્યા, “ભદ્રે ! હું તને ઈછું ?” તેઓએ કહ્યું, “તું ઉન્મત્ત છે; ડોસા ! તારી જાતને જે, પછી અમને વર, આઘે ખસ !” આથી જમદગ્નિને રસ ચઢી, અને “તમે કુજાઓ થઈ જાઓ !” એમ તેણે કહ્યું. આથી તે કન્યાઓ વિરૂપ થઈ ગઈ. તે કાળથી કાન્યકુબ્બ (નગર) થયું. એક કન્યા રેણુમાં રમતી હતી, તેને હાથમાં ફળ રાખીને જમદગ્નિએ કહ્યું, “ભદ્ર ! મને ઈચ્છ.” તેણે હાથ લાંબો કર્યો, એટલે “આ મને વરી છે” એમ વિચારી તેને કઢિણમાં નાખીને જમદગ્નિ નીકળે. મંત્રીઓએ તેને કહ્યું, “અહીંથી એક પગલું પણ ચાલ્યા વગર આ કન્યાનું ચુક તમારે આપવું જોઈએ.'' તે બે, “અહીંથી ચાલ્યા વગર કેવી રીતે આપું ? જે માગતા હો તે કેઈક રાજાની પાસેથી લાવીને આપું.” મંત્રીઓ બેલ્યા, “અત્યારે જ આપવું જોઈએ-એ મર્યાદા છે.” આ પ્રમાણે મંત્રીઓએ આગ્રહ કરતાં તેણે પેલી કન્યાઓને અકુજા-સ્વાભાવિક કરી. પછી કન્યાને લઈને તે આશ્રમપદમાં ગયે. પછી કન્યાની ધાત્રી તથા બત્રીસ ગાયને પણ ત્યાં મોકલવામાં આવી. તે રેણુકા પણ ત્યાં ઊછરવા લાગી. જેને વૈરાગ્ય પડ નથી એવા પદ્યરથ રાજાએ વાસુપૂજ્ય અણગારની પાસે દીક્ષા લીધી, અને જેનાં કર્મો ખપી ગયાં છે એ તે નિર્વાણ પામે. જમદગ્નિ રેણુકાને ઉછેરવા લાગ્યા. તે યુવાવસ્થામાં આવી ત્યારે જમદગ્નિએ રેણુકા સાથે વિવાહ કર્યો. એક વાર પુત્રની ઈચ્છાવાળી જિતશત્રુની પટ્ટરાણી રાજાની સાથે આશ્રમપદમાં આવી. તેણે રેણુકાને કહ્યું, “બેટા ! (મંત્રથી) સાધીને મને ચરુ આપ, જેથી મને પુત્ર જન્મ.” રેણુકાએ જમદગ્નિને કહ્યું. “મારી માતા ઉપર કૃપા કરો, જેથી તેને પુત્ર થાય.” જમદગ્નિએ બે ચરુ આપ્યા–એક રેણુકા માટે, બીજે દેવી માટે. દેવીએ કહ્યું, “બેટા ! તું તારે ચરુ મને આપ. અવશ્ય ઋષિએ પિતાના પુત્રને માટે વિશિષ્ટ સાધના કરી હશે. મારી પાસેને ચરુ તું રાખ.” રેણુકાએ વિચાર્યું “હું તે મૃગી (અરણ્યવાસી - ૧ “ વસુદેવ-હિંડી ” ની છાપેલી પ્રતમાં શેર વેડુિં મuતો એ પાઠ છે, તેનો સ્પષ્ટ અર્થ થતું નથી; પણ ખંભાતની તાડપત્રની પ્રતમાં શેર દિં એવો પાઠ છે, તેને અનુસરીને અનુવાદ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy