SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ: તે કેવું પાપ છે કે તમે સોગનમાં પણ મને ઈચ્છતાં નથી ? ” એટલે પક્ષીએ તેને કહ્યું, મહર્ષિ! તમે (અમને) મારી શકે એમ નથી. તમે અનપત્ય-સંતાન વગરના છો; નદીના તટ ઉપર પાણીના ઉત્કટ વેગથી જેનાં મૂળ ધોવાઈ ગયાં છે એવા વૃક્ષની જેમ આધાર વગરના બનેલા તમે દુર્ગતિમાં જશે. તમારું નામ પણ કોઈ નહીં જાણે. આ શું તમારું ઓછું પાપ છે? પુત્રવાળા બીજા ઋષિઓને શું તમે જોતા નથી ? અથવા તમારી બુદ્ધિથી જ વિચાર કર.” એટલે અલ્પ જ્ઞાનને કારણે જેને બંધ અને મોક્ષના વિધિની ખબર નથી એવો જમદગ્નિ વિચાર કરવા લાગ્યું, “ સત્ય છે, હું અનપત્ય-નિ:સંતાન છું. ” પછી તેણે અરણ્યને ત્યાગ કર્યો અને દારસંગ્રહ-લગ્નની ઈચ્છાવાળો થયે. તેને આ પ્રમાણે ભ્રષ્ટ થયેલે જાણુને અશ્રુતદેવ વાનરને કહેવા લાગે, “હવે અમારે જે પ્રમાણે પાસક છે તેની પરીક્ષા કરીએ. ” અમ્રુતદેવ અને વૈશ્વાનર દેવે કરેલી પરથની પરીક્ષા તે સમયે મિથિલા નગરીમાં પદ્યરથ નામે રાજા હતો. તેણે વાસુપૂજ્ય અણગાર પાસે તુરતમાં ધર્મ સાંભળ્યું હતું. તે અણગાર ચંપાનગરીમાં વિહરતા હતા. ધર્મ નિમિત્ત જાગરણ કરતા પરથને મનમાં એમ થયું કે, “મારા ધર્માચાર્ય વાસુપૂજ્ય મુનિવરને વંદન કરું (વંદન કરવા જાઉં.)” (તે વખતે બે દેવતાઓ) તેની પરીક્ષા માટે નીકળ્યા વૈવાનરે રાજાના અને પ્રધાન પુરુષોના શરીરમાં રોગો ઉત્પન્ન કર્યા. એટલે મંત્રીઓએ તેને વાર્યો કે, “સ્વામી ! યાત્રા બંધ રાખે; તમે અસુખી છે, તેમજ લોકોમાં પણ ઘણો ઉપદ્રવ છે.” રાજા બોલ્યા, “ હું કઈને બલાત્કારે લઈ જતો નથી; લેકે પાછા વળો; હું ગુરુદેવને વંદન કરીને જ અન્ય કાર્ય કરીશ. ” આ પ્રમાણે તેને દઢ નિશ્ચય હતો. જલાવર્તા અટવીમાં (પેલા દેવે) પાણ હરી લીધું, તે પણ “હું એકલો પણ જઈશ” એમ વિચારીને તે પાછો વળે નહીં. સામેથી સિંહે તેને ત્રાસ પમાડવા લાગ્યા. ફરી વાર પણ મંત્રીઓએ તેને વિનંતી કરી, પણ ધર્મરાગમાં રક્ત એવા તેણે પાછા વળવાની ઈચ્છા કરી નહીં. પછી “આને ધર્મવ્યવસાયમાંથી વિચલિત કરી શકાય એમ નથી ” એમ વિચારીને વેશ્વાનરે પિતાનું રૂપ બતાવીને તેને વંદન કર્યું અને અમા. પછી “આશ્ચર્ય !” એમ કહીને વૈશ્વાનરે સમ્યકત્વ સ્વીકાર્યું. ધવંતરિ પણ પદ્મરથને પ્રણામ કરીને જેમ આવ્યું હતું તેમ પાછો ગયો. વૈશ્વાનર પણ વૈતાઢ્યમાં ગયે. હવે, પક્ષીઓએ જેને મર્યાદામાંથી વિચલિત કર્યો હતે એ જમદગ્નિ કણિ, શકું વગેરે (તાપસનાં ઉપકરણવિશે) લઈને ઇન્દ્રપુર આવ્યું. ત્યાંને રાજા જિતશત્રુ જમદગ્નિનો મામો હતો. તેણે જમદગ્નિની અર્થથી પૂજા કરી, અને વિનંતી કરી,” જે કાર્ય હોય તે કહે.જમદગ્નિએ કહ્યું, “હું કન્યાની ભિક્ષા માટે આવ્યો છું, માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy