SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : આ વાત જણાવીને • આજથી આ મારેા ભાઇ નથી ' એમ કહીને જિનદાસના ત્યાગ કર્યા. જિનદાસ એક વાર એક સેનાપતિ સાથે જુગાર રમતા હતા. તે વખતે આવકના ગોટાળા કરતા એવા તે સેનાપતિએ જિનદાસને આયુધથી માર્યાં. ઋષભદત્તને સ્વજનાએ કહ્યુ, “વ્યસનને કારણે દુ:ખ પામતા જિનદાસનું તું રક્ષણ કર; એથી તારા યશ થશે. ” આથી ઋષભદત્ત જિનદાસની પાસે ગયા. ઘાયલ અવસ્થામાં પડેલા જિનદાસે કહ્યુ, “ હે આય! મારા અવિનયની ક્ષમા કરો. પરલેાકમાં જતા એવા મને ઉપદેશવડે સહાયરૂપ થાએ. ” ઋષભદત્તે તેને આશ્વાસન આપ્યુ, “ જિનદાસ ! તુ વિષાદ ન કરીશ. તું જીવે એવા ઉપાય હું કરીશ. ” જિનદાસે કહ્યું, “મને હવે જીવનના લાભ નથી; હું અનશન કરીશ. ” એમ નિશ્ચય કરી, આરંભ અને પરિગ્રહના ત્યાગ કરી તથા પેાતાની પ્રતિજ્ઞા અનુસાર વિધિપૂર્વક આરાધના કરી કાળધર્મ પામીને તે જંબુદ્વીપના અધિપતિ દેવ થયે. ૮ મારા ડિલ બંને પુત્ર ચમકેવલી થશે ’એમ જાણીને પેાતાના કુળની પ્રશંસા કરીને એ દેવ અહીંથી ગયા. ” 66 પછી વિષ્ણુન્માલી દેવ ત્યાંથી ગયા એટલે તેની દેવીએ પ્રસન્નચંદ્ર કેવલીને પૂછવા લાગી, “ ભગવન્ ! અહીંથી વિદ્યુન્માલી દેવથી વિયાગ પામ્યા પછી અમારા ક્રી સમાગમ થશે કે નહીં ? ” કેવલીએ કહ્યું, “ તમે આ જ નગરમાં વૈશ્રમણુ, ધન, કુબેર અને સાગરદત્ત નામના ઇબ્યાની પુત્રો થશેા. ત્યાં મનુષ્યજન્મ પામેલા આ દેવની સાથે તમારે। સમાગમ થશે. તેની સાથે સંયમ પાળીને તમે જૈવેયક સ્વર્ગોમાં દેવ થશે. ” કેવલીએ આ પ્રમાણે કહેતાં દેવીએ તેમને વંદન કરીને ગઇ. વસુદેવચરતની ઉત્પત્તિ * આ પ્રમાણે તપના મહિમાને વૃત્તાન્ત સાંભળીને શ્રેણિક રાજા ભગવાન્ મહાવીરને પૂછવા લાગ્યા, “ ભગવન્ ! કેટલા જીવે આ ભવમાં તપ કરીને તેનું ફળ આ ભવમાં જ અનુભવે છે ? અને કેટલા જીવા પેાતાનાં સુકૃત્યાનું ફળ પરભવમાં પામે છે ? ” ભગવાને કહ્યું, પેાતાનાં તપનાં ફળ આ લેાકમાં જ અનુભવનારા ધમ્મિલૈં આદિ અનેક થઇ ગયા છે; અને તપવડે મેળવેલાં દેવ અને મનુષ્યનાં સુખા પરલેાકમાં ભેગવનારા આ અવસપિણી કાળમાં વસુદેવ વગેરે થઇ ગયા છે. ” આ પ્રમાણે સાંભળીને જેને કુતૂહલ થયું છે એવા શ્રેણિકે પ્રણામ કરીને પૂછ્યું, “ હે ભગવન્ ! વસુદેવે કેવી રીતે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું, કેવી રીતે તપ કર્યુ અને દેવલાક તથા મનુષ્યલાકમાં તેનુ ફળ કેવી રીતે મેળવ્યું તે કહેા.” આ પછી ભગવાને શ્રેણિકને, સર્વજ્ઞ કહી શકે તેવી રીતે, વસુદેવચરિત કહ્યું. એ વસુદેવચરિતને અભય આદિ પદાનુસારી ( એક જ પદ સાંભળવાથી આખા વિષય યાદ રાખવાની શક્તિવાળા ) અણુગારીએ ધારણ કરી લીધું. પછી ધર્મ, અર્થ, કામ અને મેાક્ષના ઉપદેશ કરનારા તે અણુગારાએ પેાતે ધારણ કર્યા પ્રમાણે કહેલું વસુદેવચરિત આજે પણ શ્રુતધરા ધારણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy