SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા લંભક [ ર૨૧ ] તે પરમષિને વંદન કરીને પિતાના નગરમાં આવ્યું. પિતાના પુત્રને રાજ્યલક્ષ્મી સોંપીને તેણે સુબુદ્ધિને સૂચના કરી કે, “મારા પુત્રને તારે ઉપદેશ કરો.” સુબુદ્ધિએ તેને વિનંતી કરી, “સ્વામી ! કેવલીનું વચન સાંભળીને હું પણ જે તમારી સાથે તપ ન કરું તે મારું સાંભળ્યું ન સાંભળ્યા બરાબર છે. “ઉપદેશ કરે” એમ આપ કહે છે, તે ઉપદેશ મારો પુત્ર પોતાના સ્વામીને કરશે.” રાજાએ પોતાના પુત્રને સૂચના કરી, “ધર્મની બાબતમાં તારે સુબુદ્ધિના પુત્રની સૂચના અનુસાર કાર્ય કરવું.” પછી તે રાજા, સિંહ જેમ બળતી ગુફામાંથી બહાર નીકળે તેમ ત્વરાપૂર્વક નીકળે, અને કેવલી પાસે તેણે સુબુદ્ધિ સહિત દીક્ષા લીધી. પરમસંવિગ્ન, સ્વાધ્યાય અને પ્રશસ્ત ધ્યાનમાં પરાયણ તથા જેને જ્ઞાનાતિશય પિદા થયો છે એ તે કર્મ જાળને ખપાવીને નિર્વાણ પામ્યો. એમ સાંભળવામાં આવે છે કે-એ રાજર્ષિ હરિશ્ચન્દ્રના વંશમાં અસંખ્ય ધર્મપરાયણ રાજાઓ થઈ ગયા પછી અત્યારે તમે રાજ્યના સ્વામી છે, અને હું (સ્વયં બુદ્ધ) સુબુદ્ધિના વંશમાં છું. ઘણું પુરુષોની પરંપરાથી ચાલતા આવેલા ધર્મોપદેશના અધિકારનું અમારું સ્થાન છે. મેં તમને અચાનક વિનંતી કરી તેનું કારણ સાંભળો–આજે હું નંદનવનમાં ગયે હતો. ત્યાં મેં આદિત્યયશ અને અમિતતેજ નામે બે ચારણશ્રમને જોયા. મેં તેમને વંદન કરીને પૂછયું, “ભગવંત! મહાબલનું કેટલું આયુષ્ય છે?” તેમણે કહ્યું, “હવે એક માસ બાકી રહ્યો છે.” આથી સંજમપૂર્વક હું આવ્યું. આ ખરેખરી વાત છે. માટે જે તમને શ્રેય લાબે તે વિના વિલંબ કરે. સ્વયં બુદ્ધે કહેલાં આ ઉપશમનાં વચને સાંભળીને, ધર્માભિમુખ થયેલ તથા આયુષ્યના ક્ષયની વાત સાંભળીને, જેમાં પાણી ભરવામાં આવ્યું હોય તેવા કાચી માટીના વાસણની જેમ, અવસાદયુક્ત હદયવાળે તથા ભયભીત બનેલો હું ઊઠીને હાથ જોડીને સ્વયંબુદ્ધને શરણે ગયા અને કહેવા લાગ્યા, “મિત્ર! જેનું માત્ર એક માસ આયુષ્ય બાકી રહ્યું છે એવો હું હવે પાકનું શું હિત કરી શકીશ?” તેણે મને આશ્વાસન આપ્યું, “સ્વામી ! જેણે સર્વ નિન્ય વ્યાપારોને ત્યાગ કર્યો છે તેને માટે એક દિવસ પણ બહુ છે, તે માસનું શું કહેવું ?” પછી સ્વયં બુદ્ધના વચનથી પ્રજાપાલનનું કાર્ય પુત્રને સેંપીને, આહારનું પચ્ચકખાણ કરી, સંસ્કારકશ્રમણ બનેલો હું જિન-મન્દિરમાં રહો અને તથા સ્વયંબુદ્ધની સૂચનાથી થયેલ જિનેશ્વરના ઉત્સવથી પ્રસન્ન મનવાળો હું અનિત્યતા, સંસારનું દુઃખ અને (પૂર્વકાળના સાધુઓએ કરેલાં) પાદપપગમન એ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર વાતો સાંભળતે કાલધર્મ પામે અને અહીં (દેવ તરીકે) પેદા થયે. આ પ્રમાણે મેં થોડું તપ કર્યું હતું.” આ પ્રમાણે આર્ય લલિતાગક દેવે પરિવાર સહિત મને કહ્યું. પછી ઈશાનેન્દ્ર પાસેથી ૧. મરણ પામવાને માટે સાધુ થયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy