SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખરું : 'આમ દઢધર્મ નામે દેવ આપે. તેણે કહ્યુ, “ લલિતાંગક ! નંદીશ્વરમાં જિન-મહિમા કરવાને માટે દેવરાજ જાય છે, માટે હુ પણ જાઉં છું. આ વસ્તુ તમને વિદ્રિત થાશે. કહીને તે ગયા. પછી ઇન્દ્રની આજ્ઞાથી અવશ્ય જવુ પડશે, માટે અત્યારે જ જઈએ, એમ વિચારીને આર્ય લલિતાંગક દેવ સહિત હું ક્ષણવારમાં નંદીશ્વરદ્વીપમાં ગઇ. જિનમન્દિરામાં અમે ઉત્સવ કર્યાં. તિલેાકમાં તીર્થંકરને વંદન કરતાં તથા શાશ્વત ચૈત્યની પૂજા કરતાં તે લલિતાંગક દેવનુ ચ્યવન થયું. અત્યત શાકથી દાઝતા હૃદયવાળી તથા વિવશ એવી હું પરિવાર સહિત શ્રીપ્રભ વિમાનમાં ગઇ. જેની શાભા ક્ષીણુ થતી જતી હતી એવી મને જોઇને આવેલા સ્વયં બુદ્ધ દેવ કહેવા લાગ્યા, “ સ્વયં પ્રભે ! જિનેશ્વરના મહિમા કર; આ તારા ચ્યવનકાળ છે; તને ખેાધિના લાભ થશે. ” તેનું વચન સ્વીકારીને તીરછાલેાકમાં આવેલા નંદીશ્વરદ્વીપમાં પૂજા કર્યા પછી ચવેલી હું પણુ જ બદ્રીપના વિદેહમાં પુલાવતી વિજયમાં પુંડરી કણીમાં નગરીમાં વસેન ચક્રવર્તીની વસુમતી દેવીની પુત્રી શ્રીમતી નામે થઇ. પિતાના ભવનરૂપી પદ્મસરમાં રાજહંસી સમાન તથા ધાત્રીએ વડે સંભાળ લેવાતી એવી હુ ચમક પર્વત ( એ લગાલગ આવેલા પર્વત ) ઉપરની લતાની જેમ સુખપૂર્ણાંક ઊછરી. રમણીય કલા પણ મેં ગ્રહણુ કરી. એક વાર રાત્રે સતાભદ્ર પ્રાસાદમાં હું ઊભી હતી ત્યારે નગરની બહાર દેવાનુ આગમન થએલુ' મેં જોયુ. તે વખતે વિચાર કરતાં મને મારા દેવભવનું સ્મરણ થયું; તે સ્મરણ થતાં દુ:ખથી આક્રાન્ત થએલી હું મૂર્છા પામી. પરિચારિકાએએ જળકણા છાંટતાં જેની મૂર્છા વળી છે એવી હું વિચાર કરવા લાગી, “મારા પ્રિય લલિતાંગક દેવ કયાં હશે ? તેના વિના લેાકેાની સાથે ખેલવાનુ મારે શું કામ છે ?” એમ વિચારીને મે મૂંગાપણું સ્વીકાર્યું, પરિજના કહેવા લાગ્યાં, “ ભક દેવાએ એની વાચા હરી લીધી છે. ’ ચિકિત્સકેાએ પ્રયત્ન કર્યો તેમજ ખલિ, હેમ, મંત્ર અને રક્ષાવિધિ પણ કરવામાં આવી, પણ મેં મૂંગાપણું મૂકયું નહીં. મારી સૂચનાએ હું લખીને પરિચારિકાઓને આપતી હતી. એક વાર હું ઉપવનમાં ગઈ હતી ત્યારે પડિતા નામની મારી ધાવમાતાએ એકાન્તમાં મને કહ્યું, “ બેટા શ્રીમતિ ! જો કાઇ કારણથી તું મૂંગી રહેતી હાય તા તે વિના સ`કાચે મને કહે. શક્તિ અનુસાર તારું કાર્ય સાધવાને હું પ્રયત્ન કરીશ. મારી પાસે વિદ્યાનું મળ છે, આથી તારું પ્રયાજન મનુષ્યલેાકમાં હશે તે તે હું સંપાદન કરીશ. અથવા જો તુ દેવના દોષથી ખરેખર મૂગી હાય તા પછી શુ થઇ શકે ?” તેણે એમ કહેતાં મેં વિચાર્યું, “ ધાવમાતા ઠીક કહે છે. મારા હૃદયનું પ્રયાજન કાણુ સાધવાનુ હતુ ? માટે તેને હું સાચી વાત કહું. ” પછી મે કહ્યું, “ માતા ! અત્યારે હું મૂંગાપણુ ધારણ કરીને રહું છું તેનું કારણ છે. ” તેણે મને કહ્યું, “ બેટા ! મને કારણુ કહે, તે સાંભળીને જેમ કહીશ તેમ કરીશું ” એટલે મે કહ્યું, “ સાંભળે!~~ Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy