SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : તેમ (ઈન્દ્રિયો ભેગી થતાં આત્મા પેદા થાય છે એમ માનવામાં આવે છે. અહીંથી કોઈ પરભવમાં જતું નથી તેમજ દેવ અને નારક ભવમાં સુકૃત અને દુષ્કૃતનાં ફળ કે અનુભવતું નથી '; આ પ્રમાણે તેણે નિશ્ચય કરેલ હતો. એ નિઃશીલ અને અને નિર્વત એવો તે અસ્ત્રાની ધારની જેમ અત્યંત ક્રૂર હતું અને પ્રાણિવધમાં ઉદ્યત રહેતો હતો. આ પ્રમાણે કર્મ કરતાં તેને ઘણે સમય વીતી ગયા. પછી મરણકાળે અશાતા વેદનીયની બહુલતાથી તે નારકને એગ્ય પુદગલપરિણામવાળે થયે– શ્રવણમધુર ગીતને તે આક્રોશ ગણવા લાગ્યો, મનહર રૂપોને વિકૃત જેવા લાગે, ક્ષીર, ખાંડ અને સાકર જેવી વસ્તુઓને દુર્ગધવાળી માનવા લાગ્યા, ચંદનના લેપને અંગારે કહેવા લાગ્યો અને હંસતૂલની મૃદુ શમ્યા તેને કાંટાવાળી શાખાના જેવી લાગવા માંડી. તેને આ પ્રકારને વિપરીત ભાવ જાણીને કુરુમતી દેવી હરિશ્ચન્દ્રની સાથે તેની એકાન્તમાં સેવા કરવા લાગી, કચન્દ્ર રાજા આ પ્રમાણે અત્યંત દુ:ખી થઈને કાલધર્મ પામ્યો. તેની શબયાત્રા કાઢયા પછી હરિશ્ચન્દ્ર પિતાના ગંધસમૃદ્ધ નગરનું ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યા. પોતાના પિતાના આ પ્રકારના મરણને વિચાર કરતાં તેને એવી બુદ્ધિ પેદા થઈ કે, “સુકૃત અને દુષ્કૃતનું ફલ છે. ” પછી તેણે પોતાના બાલમિત્ર એક ક્ષત્રિયકુમારને કહ્યું, “ભદ્ર, પંડિતજોએ ઉપદેશેલું ધર્મજ્ઞાન તું મને કહેજે, એ જ તારી સેવા.” એટલે તે ક્ષત્રિયકુમાર તે આજ્ઞા અનુસાર જે ધર્મ સંબંધી વચન સાંભળતે તે રાજાને કહી સંભળાવતા. રાજા પણ તેમાં શ્રદ્ધા કરીને સુશીલતાથી તે વચન માનતો હતે. એક વાર નગરથી થોડે દૂર સાધુને થયેલા કેવલજ્ઞાનને તે પ્રકારે મહિમા કરવા માટે દે આવ્યા હતા. આ હકીક્ત જાણીને ક્ષત્રિયકુમાર સુબુદ્ધિએ રાજા હરિશ્ચન્દ્રને હકીકત જણાવી. દેવોના આગમનથી વિસ્મિત થયેલો રાજા પણ વેગવાન અશ્વ ઉપર આરૂઢ થઈને સાધુ પાસે ગયે, અને વિનયપૂર્વક વંદન કરીને, બેસીને સાધુના મુખમાંથી નીકળતું વચનામૃત સાંભળવા લાગે. સંસારની હકીકત તથા મોક્ષસુખની વાત તેમની પાસેથી સાંભળીને તે નિ:શંક થયો કે “પરભવ છે.” પછી હરિશ્ચન્દ્ર રાજાએ પૂછયું, “હે ભગવાન! મારા પિતા કઈ ગતિમાં ગયા છે?” એટલે ભગવાને (કુરુચન્દ્રને અંતકાળમાં થયેલા) વસ્તુઓના વિપરીત જ્ઞાન ઉપરથી સાતમી પૃથ્વીમાં નારકી તરીકે તેની ઉત્પત્તિ થયેલી જાણીને કહ્યું, “હરિશ્ચન્દ્ર! જેણે પાપ અને આસવનાં દ્વાર બંધ કર્યા નહતાં એ તારે પિતા ઘણાં પ્રાણીઓને પીડા કરીને પાપકર્મની ગુરુકતાને લીધે તે નરકમાં ગમે છે. ત્યાં તે પરમ અસહ્યા, જેની ઉપમા ન આપી શકાય તેમજ જેને પ્રતિકાર પણ ન થઈ શકે એવું અને સચેતન-જ્ઞાની માણસને સાંભળતાં પણ ભય થાય એવું દુઃખ નિરંતર અનુભવે છે. ” કેવલીએ કહેલે પિતાના પિતાને આ પ્રકારને કર્મવિપાક સાંભળીને સંસારભીરુ હરિશ્ચન્દ્ર રાજા ૧ નરકમાં જનાર માણસને મરણ સમયે સારામાં સારી વસ્તુ પણ ખરાબ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy