SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] વસુદેવ-હિડી : : પ્રથમ ખંડ : શિષ્યા થઈ. રાજાની અનુજ્ઞા લઇને ગુરુએ જ ખુસ્વામીને શિષ્ય તરીકે પ્રભવ આપ્યા. પૂર્વ સહિત સામાયિક આદિ શ્રુત જ સ્વામીએ જ્ઞાનાવરણુના ક્ષાપશમની લબ્ધિથી થાડા કાળમાં ગ્રહણ કરી લીધું', પ્રભવ પણ સાધુપણાને સારી રીતે પાળવા લાગ્યા. ભગવાન્ પાંચમા ગણધર પણ ગણુ સહિત વિહાર કરતા ચંપાનગરી પહોંચ્યા અને ત્યાં પૂર્ણ ભદ્રં ચૈત્યમાં સમેાસર્યો. કાણિક રાજા ત્યાં વંદન કરવા માટે આવ્યા. પ્રણામ કરીને જંબુસ્વામીના રૂપદર્શનથી વિસ્મિત એવા તે રાજા ગણધરને પૂછવા લાગ્યા, “ ભગવન્ ! આ પદામાં આ સાધુ ઘીવડે છટાયેલા અગ્નિ જેવા પ્રતાપી અને મનેાહર શરીરવાળા દેખાય છે, તેા એમણે એવુ` કેવુ શીલ પાત્યુ' હતું, તપ કર્યું. હતુ` કે કેવા પ્રકારનું દાન આપ્યુ હતુ, જેથી એમની આવી તેજ:સંપત્તિ છે ? ” ત્યારે ભગવાને કહ્યુ, “ હું રાજન્! જ્યારે તારા પિતા શ્રેણિક રાજાએ ભગવાન્ મહાવીરસ્વામીને પૂછ્યું ત્યારે ભગવાને જે કહ્યું હતું તે સાંભળ—— પ્રસન્ના' અને વલ્કલચીરીના સંબધ તે સમયે અરહંત ભગવાન્ ગુણુશીલ ચૈત્યમાં સમેાસર્યા હતા. તીર્થંકરના દર્શીન માટે ઉત્સુક શ્રેણિકરાજા વંદન કરવાને માટે નીકળ્યેા. તેના અગ્રાનીક (આગળના રસાલા)માંના પેાતાના કુટુંબ સંબધી વાતા કરતા એ પુરુષાએ એ હાથ ઊંચા રાખીને એક ચરણુ ઉપર ઊભા રહીને આતાપના લેતા એક સાધુને જોયે. તેમાંના એકે કહ્યુ, “ અહા ! મહાત્મા ઋષિ સૂર્યની સામે ઊભા રહીને આતાપના લે છે; નક્કી સ્વર્ગ અથવા મેાક્ષ એને હસ્તગત છે. ” બીજાએ પેલા ઋષિને એળખ્યા અને કહેવા લાગ્યા, “ અરે, તુ શું નથી જાણતા ? આ તેા રાજા પ્રસન્નચંદ્ર છે. એને ધર્મ ક્યાંથી હેાય ? બાળક પુત્રને એણે રાજ્ય ઉપર સ્થાપન કર્યા, તેને હવે મંત્રીએ પદભ્રષ્ટ કરે છે. આ રીતે આણે પેાતાના વંશના વિનાશ કર્યાં છે. કેાણુ જાણે એના અંત:પુરનું શું થશે ? 'ધ્યાનમાં વિદ્મ કરનારું આ વચન પ્રસન્નચંદ્રના કાન સુધી પહાંચ્યું. તે વિચાર કરવા લાગ્યા, “ અહા ! આ અમાત્યા કેવા અનાય છે ? મે' દરરાજ જેમનું સન્માન કર્યું હતુ એવા તે મારા પુત્રની જ સામે પડ્યા છે. જો હું ત્યાં હાજર હેાત અને તેમણે આવુ કર્યુ હત તા જરૂર તેમને ખરાખર શિક્ષા કરત, આવા સંકલ્પ કરતા તે પ્રસન્નચંદ્રની આગળ જાણે તે પ્રસંગ સાક્ષાત્ વિદ્યમાન થયા. પેલા અમાત્યા સાથે તે મનથી જ યુદ્ધ કરવા લાગ્યા. "" : એટલામાં શ્રેણિક રાજા તે સ્થળે આવ્યેા. વિનયપૂર્વક ઋષિને વંદના કરી, અને ધ્યાનિશ્ચલ એવા તેમને જોયા. ‘ પ્રસન્નચંદ્ર રાજર્ષિનું તપમાં આટલું સામર્થ્ય ખરેખર આશ્ચર્યજનક છે' એમ વિચાર કરતા તે તીર્થંકર પાસે પહેાંત્મ્યા. વંદન કરીને તેણે ભગવાનને વિનયપૂર્વક પૂછ્યું, “ ભગવન્ ! પ્રસન્નચંદ્ર અણુગારને જે સમયે મેં વંદન કર્યું. તે સમયે તેઓ કાળ કરત તેા કયી ગતિમાં જાત ? ” ભગવાને કહ્યું, સાતમા ። 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy