SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : માટે જ દર્દ થાય છે, બાકી કઈ વ્યાધિ નથી.” આ પ્રમાણે ખરી હકીકત જાણીને તેની માતાએ કુબેરસેનને કહ્યું, “પુત્રિ! પ્રસવકાળે તને પીડા ન થાય એટલા માટે આ ગને ગાળી નાખવાનો ઉપાય હું શોધું છું. એથી તે વ્યાધિરહિત થઈશ, અને વિષયગમાં પણ વિધન નહીં આવે. ગણિકાઓને વળી પુત્ર-પુત્રીનું શું કામ છે?” પરંતુ તેણે માન્યું નહીં, અને કહ્યું, “જન્મશે ત્યારે હું બાળકનો ત્યાગ કરીશ.” ગ્ય સમયે તેણે પુત્ર અને પુત્રીને જન્મ આપે. માતાએ કહ્યું, “હવે આમનો ત્યાગ કર.” એટલે તેણે કહ્યું દશ રાત્રિ પછી કરીશ.” પછી તેણે “કુબેરદત્ત” અને “કુબેરદત્તા ” એ નામથી અંક્તિ બે મુદ્રાઓ કરાવી. દશ રાત્રિઓ પૂરી થતાં સુવર્ણ અને રત્નોથી ભરેલી બે નાની નાવડીઓમાં બાળકોને મૂકીને એ નાવડીઓને તેણે યમુના નદીમાં તરતી મૂકી દીધી. આ પ્રમાણે તરતાં એ બે બાળકને દેવગે સવારમાં શૌરિપુર નગરમાં બે ઈભ્યપુત્રોએ જયાં. નાવડીઓ ભાવી એકે છોકરો લીધે, બીજાએ છોકરી લીધી. “આ તે ધનયુક્ત છે” એ રીતે તુષ્ટ થયેલા તે બને બાળકોને પોતપોતાને ઘેર લઈ ગયા. બાળક અનુક્રમે ઉછરતે યુવાવસ્થાને પામ્યો. “ આ ગ્ય સંબંધ છે એમ માનીને કુબેરદત્તા કુબેરદત્તને આપવામાં આવી.. લગ્નના દિવસો વીતી ગયા બાદ વધુની સખીઓએ વરની સાથે ઘત રમવાનું ઠરાવ્યું. કુબેરદત્તના હાથમાંથી નામની મુદ્રા લઈને કુબેરદત્તાની આંગળીએ પહેરાવી. મુદ્રાને જોઈને કુબેરદત્તાને વિચાર થયે, “આ મુદ્રાઓમાં નામનું તેમજ મુદ્રાના આકારનું સામ્ય શાથી હશે ? કુબેરદત્તમાં મને ભરબુદ્ધિ થતી નથી તેમજ અમારો કોઈ પૂર્વજ આ નામધારી હોય એમ પણ સાંભળવામાં આવતું નથી. નક્કી આ બાબતમાં કંઈક રહસ્ય હશે.” એમ વિચારીને બને મુદ્રાઓ તેણે વરની આંગળીએ પહેરાવી. એ જોઈને તેને પણ આવો જ વિચાર છે. તે વધુને મુદ્રા પાછી આપીને માતાની પાસે ગયે, અને સેગન આપીને સાચી વાત પૂછી. તેણે યથાસ્થિત વાત કહી.” કુબેરદને કહ્યું, “માતા! તમે જાણવા છતાં આ અગ્ય કર્યું.” ત્યારે માતાએ જવાબ આપે, “પુત્ર અમે મોહવશ આ કામ કર્યું છે. જે થયું તે થયું. પણ પુત્ર! વધુ માત્ર પાણિગ્રહણ પૂરતી જ દૂષિત થઈ છે. એમાં કંઈ પાપ થયું નથી. પુત્રીને હવે પછી તેને ઘેર હું મોકલું છું. તું પ્રવાસે જા. ત્યાંથી પાછો આવીશ ત્યારે તારો વિશિષ્ટ સંબંધ કરીશું.” આમ કહીને કુબેરદત્તાને સ્વગૃહે મોકલી. તેણે પણ માતાને એ પ્રમાણે જ પૂછતાં તેની માતાએ પણ બધી હકીક્ત કહી. • આથી નિર્વેદ પામેલી કુબેરદત્તાએ શ્રમણ તરીકે દીક્ષા લીધી અને પ્રવર્તિનીની સાથે વિહાર કરવા લાગી. પ્રવર્તિનીના વચનથી પેલી મુદ્રા તેણે સાચવી રાખી. વિશુદ્ધ ચારિત્ર્યવાળી તે કુબેરદત્તાને અવધિજ્ઞાન થયું. કુબેરસેનાના ઘેર વસતા કુબેરદત્તને તેણે જે. “અહો ! અજ્ઞાનને કેવો દેષ છે!” એમ વિચારીને તે બન્નેના પ્રતિબંધને માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy