SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧લ્પ ] બતાવીને (ધૂમસિંહ) કહેતો હતો, “આ તારો પતિ અમિતગતિ (મરણ પામે છે, માટે તું મારું સેવન કર અથવા સળગતા અગ્નિમાં પ્રવેશ કર.” સુકુમારિકા બોલી, “હું તે મારા પતિ અમિતગતિનું જ અનુસરણ કરીશ.” એટલે તેઓએ (ધૂમસિંહના સેવકોએ) લાકડાંને માટે ઢગલો કર્યો, તેમાં આગ મૂકી, શબને પણ મૂક્યું અને પ્રિયા શબને આલિંગન કરીને બેઠી. તે જ વખતે હું ત્યાં પહોંચે. મેં હુંકાર કર્યો, એટલે તેઓ નાસી ગયા. મેં પ્રિયાને ચિતા ઉપરથી ઊતારી. હું હજી જીવતે હતો એ જોઈને તે વિસ્મય પામી. મારા શત્રુઓને મેં નસાડ્યા એટલે તેઓ સમુદ્રમાં પેસી ગયા. પછી હું પાછો વળીને પિતા પાસે ગયો અને તેમને બધું કહ્યું. પછી મારા પિતાએ વિદ્યાધરણિના વૃદ્ધોદ્ધારા ધૂમસિંહ સાથે વિદ્યાધરને બોલવા-ચાલવાને વ્યવહાર બંધ કરાવ્યા. એક વાર મારા પિતા વિદ્યાધરરાજની પુત્રી મનોરમાં નામે કન્યા લાવ્યા. પાણિગ્રહણ કરીને હું તે ભાર્યાની સાથે રમણ કરવા લાગ્યું. પછી મારા પિતાએ, મને રાજ્યધુરા સેંપીને, હિરણ્યકુંભ અને સુવર્ણકુંભ નામના ચારણ પ્રમાણેની પાસે દીક્ષા લીધી તથા નિ:સંગ અને તપપરાયણ થઈને તેઓ વિચારવા લાગ્યા. મારે ત્યાં સિંહ યશ અને વરાહગ્રીવ એ પુત્રો થયા, અને ગન્ધર્વદત્તા પુત્રી થઈ. મારા પિતા નિર્વાણ પામ્યાના સમાચાર સાંભળીને મેં પણું, સિંહયશને રાજ્ય આપીને, તે જ ચારણશ્રમની પાસે દીક્ષા લીધી. સૂત્રોને અભ્યાસ કર્યા પછી હું આ કંઠક દ્વીપમાં કકડય પર્વત ઉપર આતાપના લઉં છું, અને રાત્રે ગુફામાં વસું છું. ભદ્રમુખ! સારું થયું કે તમે અહીં મને મળ્યા. હવે તમને કોઈ વાતની ખામી નહીં રહે. મારા પુત્રો અહીં દરરોજ મને વંદન કરવા માટે આવે છે. તેઓ પોતાના નગરમાં લઈ જઈને તમારી શુશ્રુષા કરશે, અને વિપુલ ધન સહિત તમને ચંપા નગરી લઈ જશે.” - ભગવાન્ આ પ્રમાણે કહેતા હતા ત્યાં તે ડી જ વારમાં વિદ્યાધર-રાજાઓ સિંહયશ અને યશગ્રીવ ત્યાં આવ્યા. તેમણે પિતાને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. સાધુએ તેમને કહ્યું, “પુત્રો ! તમારા પિતાને લાંબે કાળે પ્રણામ કરો. ઘણું મુશ્કેલીએ તેઓ અહીં આવી પહોંચ્યા છે.” એટલે તેઓ બેલ્યા, “તાત ! આ તમારા ધર્મપિતા છે” એમ કહે છે, તો શું આ ચારુસ્વામી તે નથી?તેમણે કહ્યું, “હા, એમ જ છે. સ્થાન અને ધનથી પરિભ્રષ્ટ થયેલા તે લાંબે કાળે મારા જેવામાં આવ્યા છે.” પછી તેમણે બધી હકીકત પોતાના પુત્રોને કહી. એટલે તેઓએ પિતાને ગ્ય એવા માન સાથે મને વંદન કર્યું, અને હું વિશ્રામ લેતો હતો ત્યારે મને કહ્યું, “જેને પ્રતિકાર થઈ શકે નહીં તથા જેમાંથી છોડાવી શકાય નહીં એવી સ્થિતિમાં રહેલા અમારા પિતાને જીવિતદાન આપીને ઉપકાર કરનાર આપને અમે યથાશક્તિ પ્રત્યુપકાર કરીશું. અમારા સદભાગ્યે જ આપને અહીં આપ્યા છે. આજે અમારો કલેશ દૂર થયે છે.” આ પ્રમાણે તેઓ બોલવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy