SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૯૬] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડઃ એવામાં અજોડ રૂપવાળ, રુચિર આભૂષણેથી અલંકૃત તથા રજ વગરના આકાશ જેવો તેજસ્વી એક દેવ ત્યાં આવ્યો. હર્ષિત થયેલા તેણે “પરમ ગુરુને નમસ્કાર ” એમ વંદના કરતાં મને પ્રણામ કર્યા. ત્યારપછી તેણે અમિતગતિને વંદન કર્યું. વિદ્યાધરેએ તેને પૂછયું, “દેવ! અમે ક્રમ પૂછીએ છીએ કે પહેલાં સાધુને વંદન કરવું જોઈએ કે શ્રાવકને?” તેણે ઉત્તર આપ્યો, “સાધુઓને વંદન કરવું જોઈએ, પછી શ્રાવકને પણ હું ભક્તિવશ હોવાને કારણે ક્રમ ચૂકી ગયો હતો. આમની (ચારુદત્તની) કૃપાથી મને આ દેવશરીર અને આ રિદ્ધિ મળી છે.” વિદ્યાધરએ પૂછયું, “કેવી રીતે?” એટલે દેવ કહેવા લાગ્યો, “બકરાના ભાવમાં હું જાતિસ્મરણ જ્ઞાનવાળો હતે. ગત જન્મનું સ્મરણ કરતા મને એમણે ધર્મમાં જોડ્યો. સાંભળે, પહેલાં તો હું અથર્વવેદ દ્વારા પ્રવતેલા મત્રેના વિનિયોગમાં પાંચ વાર અગ્નિમાં હોમાયો. છઠ્ઠી વાર મને વાણિયાઓએ મારી નાખે.” એટલે વિદ્યાધરોએ પૂછયું, “દેવ! અથર્વવેદ કેવી રીતે ઉત્પન્ન થયે ? અને કેણે તે કર્યો?” તેણે ઉત્તર આપ્યો, “મહાકાલ નામે પરમાધાર્મિક દેવ હતો. સગર પ્રત્યેન વેષને કારણે તેને નરકમાં નાખવાના હેતુથી, એ દેવે પશુવધ પ્રકાશિત કર્યો હતો. પરંપરાના આગમથી પિપ્પલાદે તે ગ્રહણ કર્યો હતો. તેણે તેના આશ્રયથી અથર્વવેદની રચના કરી હતી. એ પિપ્પલાદની ઉત્પત્તિ સાંભળો– અથર્વવેદની ઉત્પત્તિ અને પિપ્પલાદને વૃત્તાન્ત વારાણસી નામે નગરી છે. ત્યાં ઘણું શિખ્યાઓના પરિવારવાળી, વ્યાકરણ અને સાંખ્યશાસ્ત્રમાં કુશળ તથા અત્યંત માનનીય એવી સુલસા નામે પરિત્રાજિકા વસતી હતી. યાજ્ઞવલક્ય નામે ત્રિદંડી વાદ કરવાની ઈચ્છાથી વારાણસી આવ્યા. તે બન્નેની વચ્ચે ચર્ચા થઈ. તે વખતે સુલસાએ જ્ઞાનમદથી કહ્યું, “જે મને વાદમાં જીતે તો છ માસ સુધી તમારી પાદુકાઓ વહન કરું.” પછી મધ્યસ્થ સમક્ષ તેમની વચ્ચે વાદ થયે. શબ્દશાસ્ત્ર-વ્યાકરણના વિષયમાં યાજ્ઞવલ્કયે સુલતાને જીતી, એટલે માન મૂકીને તે યાજ્ઞવષ્યની સેવા કરવા લાગી. આ પ્રમાણે તેમની વચ્ચેની મર્યાદા તૂટી જવાથી તથા એકબીજાની સમીપ રહેવાને કારણે તેમનું પતન થયું. શિષ્યાઓએ પણ સલસાને ખરાબ શીલવાળી ગણીને તેને પરિત્યાગ કર્યો. તેને પોતાની બહેન માનતી તથા ઘણુ કાળની તેની સબતી એકમાત્ર નંદા નામે (શિષ્યા) તેની સાથે રહી હતી. સુલસાને ગર્ભ રહ્યો. “મને ગમે રાની હકીકત જાહેર થતાં રખેને હું અપમાનિત થાઉં” એમ વિચારીને, નંદાને પિતાનું ગમન-સ્થાન કહી બતાવી, તીર્થયાત્રાના બહાને તે નીકળી. ગંગાના કિનારે યાજ્ઞવલ્ક્યની સાથે ઘેરી વૃક્ષઘટાઓથી વીંટાયેલા પીપળાના વૃક્ષની નીચે તે રહેવા લાગી. નંદા તેને સમાચાર આપતી હતી. પ્રસવને દિવસ નજીક આવ્યો ત્યારે સુલસા અત્યંત ખિન્ન થઈ ગઈ. યાજ્ઞવલયની શુશ્રષાથી તેણે યથાકાળે પુત્રને જન્મ આપે. પુત્રને સ્નાન કરાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy