SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [ ૪૨૧ ] ઇન્દુસેન અને બિન્દુસેનને સંબંધ તે રાજાની અભિનંદિતા અને સિંહનંદિતા એ બે ભાર્યાઓ હતી. અભિનંદિતાના બે પુત્રો હતા-ઈન્દુસેન અને બિન્દુસેન. કોશાબમાં બલ રાજા હતો, તેની શ્રીમતી ભાર્યા હતી અને શ્રીકાન્તા પુત્રી હતી. તે રાજાએ તે શ્રીકાન્તા ઇન્દુસેનને આપી હતી. પરિવાર સહિત તે કન્યાને તેણે અનંતમતિ ગણિકાની સાથે (સાસરે) મોકલી હતી. તે ઈસેન અને બિન્દુસેન અનંતમતિ ગણિકાને કારણે “આ મારી છે, મારી છે” એમ કહીને દેવરમણ ઉદ્યાનમાં યુદ્ધ કરવા લાગ્યા. પછી બને પ્રત્યે એકસરખો નેહ હોવાથી તેમજ મૃદુ ચિત્તને કારણે તેમને અટકાવી શકવાને અસમર્થ એ રાજા “આ લોકેનું મરણ હું ન જેઉં” એમ વિચારીને, તાલપુટ વિષથી ભાવેલું કમળ સુંધીને બન્ને દેવીઓની સાથે મરણ પામ્યો. “કપિલને વશ હું ન થાઉં” એમ વિચારતી સત્યભામાં બ્રાહ્મણ પણ તેજ રીતે કમળ સૂધીને મરણ પામી. પછી તે ચારે જણાં (મરીને) જંબદ્વીપમાં ઉત્તરકુરુ ક્ષેત્રમાં જન્મ્યાં. ત્યાં શ્રીસેન અને અભિનંદિતાનું એક મિથુન થયું તથા સિંહનંદિતા અને સત્યભામાનું બીજું મિથુન થયું. શ્રીસેન અને સિંહનંદિતા પુરુષ થયાં, તથા બાકીનાં (અભિનંદિતા અને સત્યભામા ) સ્ત્રી થયાં. એક વિદ્યાધર વિમાનમાર્ગે આવીને, આકાશમાં રહીને, પિલા ઈનસેન અને બિન્દુસેનની વચ્ચે ઊભું રહીને તેમને આ અર્થને બંધ કરવા લાગ્યો કે, “હે ઉત્તમ કુમાર ! આ તરફ મુખ રાખીને મારું વચન સાંભળો મણિકુંડલી વિદ્યાધરને સંબંધ આ જ જંબુદ્વીપમાં મહાવિદેહ વર્ષમાં સીતા મહાનદીની ઉત્તરે પુષ્કલાવતી નામે વિજય છે. ત્યાં વિદ્યાધરો અને ચારણે જેમાં વસે છે એ, રમણીય, નવા શિખરો વડે મંડિત, તથા શરદકાળનાં અબ્રોની શોભા જેવી શોભાવાળો વૈતાઢ્ય પર્વત છે. ત્યાં પંચાવન નગરો વડે મંડિત એવી ઉત્તરશ્રેણિમાં આવેલા આદિત્યાભ નગરમાં સકુંડલી નામે રાજા વસે છે, તેની પત્ની અજિતસેના છે, તેને પુત્ર હું મણિકુંડલી નામે છું. એક વાર જિનેશ્વરી પ્રત્યેની ભક્તિથી જિવંદન કરવા માટે હું પુંડરીકિણી નગરીમાં ગયા હતા. ત્યાં અમિત યશ જિનવરને વંદન કરીને, ત્રણ પ્રદક્ષિણા કરીને, જરા, મરણ અને કલેશને નાશ ૧. અભિનંદિતા અને સિંહનદિતાના (તાલિં) ઇન્દુસેન અને બિસેન એ બે પુત્રો હતા, એમ અગાઉ (પૃ. ૪૨૦) કહ્યું છે, પરંતુ એ બને પુત્રો એકલી અભિનંદિતાના હતા એમ અહીં તેમજ મણિકંડલીની પૂર્વભવકથામાં કહ્યું છે. ત્રિષષ્ટિના પાંચમા પર્વનો પ્રારંભમાં બને પુત્રો શિખિનંદિતા (સિંહનંદિતા)ના હોવાનું જણાવ્યું છે. અર્થાત હેમચન્દ્રના કથન અનુસાર પણ બે પુત્રો એક રાણીના હતા. “વસુદેવ-હિ ડી ' કારે બનેને અભિનંદિતાના ગયા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy