SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૦ ] વસુદેવ-હિંડી: : પ્રથમ ખંડ : સૂર્યોદય થતાં મારા વૃત્તાન્ત સાંભળીને મારા મામા આવ્યા. તેમણે મને આલિંગન આપ્યું અને કહ્યુ, “ અહા ! તે કુળને ઉજજવળ કર્યું છે, તે પુરુષાર્થ કર્યો છે.” મે પૂછ્યું, “માતાના શા સમાચાર છે ? ” તેમણે કહ્યુ, “ સાંભળેા-તમે પ્રવાસે ગયા ત્યારે તમને ઘરમાં નહીં જોતી વસન્તતિલકા અશાકવનિકામાં ફ્રી આવીને દાસીઓને પૂછવા લાગી, · ચારુસ્વામી કયાં ગયા ? ’ વસન્તતિલકાએ ઘણુા આગ્રહ કરતાં દાસીએએ કહ્યું, ‘આ તે ધનહીન છે એમ વિચારીને જ્યારે તેમણે માદક પીણું પીધું હતું ત્યારે માતાએ તેમને ભૂતગૃહમાં ફૂંકાવી દીધા હતા. આ સમાચાર જાણીને વસન્તતિલકા ગૃહિણી (મિત્રવતી) પાસે ગઇ. ત્યાં પણ તમને નહીં જોતાં તેણે વેણીમધ બાંધ્યા, રાજાને નિષ્ક્રય (રાજાની સેવામાંથી મુક્તિ મેળવવા માટેના લાગેા) આપ્યા અને ગૃહિણીની સેવા કરવા લાગી. મિત્રવતી પણ પેાતાના પાતિત્રત્યની રક્ષા કરતી રહે છે. ” પછી હર્ષ પામેàા અને વેપારીઓને સત્કાર પામતા હું મારા ઘરમાં પ્રવેશ્યા, માતાને વંદન કર્યું, મિત્રવતીને આલિંગન આપ્યુ, વસન્તતિલકાના વેણીમધ છેાડયા અને રત્ના ભંડારમાં મૂકયાં. ' અનુક્રમે ગન્ધત્તા પૂર્ણ યુવાવસ્થામાં આવી. પછી મેં સભામંડપ કરાવ્યેા, તમારી શેાધ માટે પુત્રીની સંગીતને લગતી પ્રતિજ્ઞા જાહેર કરી તથા હાથીનું યુગલ ચીતરાવ્યું, કારીગર પાસે આલેખન કરાવ્યું. હવે હું કુળધર્મને વિઘ્ન ન થાય તેવી રીતે ભેગ ભાગવતા રહું છું અને મારા મિત્રના પુત્ર વિદ્યાધરાને માસેમાસે સમાચાર મેાકલું છું. મે' તે દિવસે ( લગ્ન સમયે ) તમને અગ્નિહેાત્રને માટે પૂછ્યું હતું તથા કહ્યું હતું કે ‘ આ પુત્રી કુળમાં તમારા સરખી અથવા કદાચ તમારાથી વિશેષ પણ હાય, ’ તેનું રહસ્ય આ છે. ,, આ પ્રમાણે ચારુદત્ત શ્રેણીની આત્મકથા સાંભળીને મે તેમના સત્કાર કર્યો તથા તેમને રજા આપી. ગન્ધદત્તાને લાડ કરતા હું ભાગ ભાગવતા હતા. શાન્તિવાળી તથા મિત અને મધુર ભાષણ કરનારી શ્યામા અને વિજયા પણ તેને અનુમત થઇ હતી. આ પ્રમાણે ચારુદત્ત શ્રેષ્ઠીના ભવનમાં નિર્વિઘ્ને મારા કાળ જતા હતા. એમ કરતાં ઋતુઓમાં પ્રધાન વસન્ત ઋતુ આવી, શિશિરઋતુ વીતી ગઇ, કુસુમના સુગંધી પરાગ ઊડવા લાગ્યા, શ્રવણુને સુખ આપનાર કેકિલ-કૂજન સંભળાવા લાગ્યું, જળ સુખપૂર્વક ઉલ્લેગ કરી શકાય તેવું બન્યું, તરુણેાના સમૂહ મદનવશ થયે। અને સુરવનમાં યાત્રા જાહેર કરવામાં આવી. પૂર્વકાળમાં) ચંપાનગરીના પૂર્વક રાજાની દેવીને સમુદ્રસ્નાન કરવાના દોહદ થયા હતા, તે પૂરા કરવા માટે ગતિમાન જળવિસ્તારવાળુ' સરોવર તેને યુક્તિપૂર્વક સમુદ્ર તરીકે બતાવવામાં આવ્યું હતું. જેના દોહદ સંપૂર્ણ થયા છે તથા પુત્રજન્મના લાભથી જેનું મુખ સન્તાષપૂર્ણ બનેલું છે એવી તે રાણીના વિનાદને માટે એક વર્ષના થયેલા તે પુત્રને લઇને નગરજના સહિતની આ યાત્રા પ્રવર્તાવવામાં આવી હતી. એ વાતને ઘણા સમય વીતી ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy