SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૯ ] શી શક્તિ ? અમે સત્કાર કરીએ ત્યાર પછી શુશ્રૂષાપૂર્વક તમે તેમના સત્કાર કરો. કૃપા કરા. આ પ્રમાણે દેવને સમજાવીને વિદ્યાધરા મને શિવમન્દિર નગરમાં લઈ ગયા. · ચારુસ્વામી ! ચંપાનગરીમાં જવાની ઇચ્છા થાય ત્યારે મારું સ્મરણ કરજો' એમ કહીને દેવ પણ ગયા. પછી જાણે હું મારા પોતાના જ ઘરમાં રહેતા હેાઉં તેવી રીતે સિ’હુયશ અને વરાહગ્રીવ વડે પિતાના જેવીજ સેવા પામતા હુ રહેતા હતા. ચારુદત્તનું ગૃહાગમન એક વાર મેં વિદ્યાધરરાજાને કહ્યું, “ મને મારી માતા યાદ આવે છે, માટે હું જઇશ. ” એટલે તે બન્ને જણા મને કહેવા લાગ્યા, તાત! તમારી જો જવાની ઈચ્છા હાય તા તમને રોકવા એ અમારે માટે ચેાગ્ય નથી. જે રીતે તમને સુખ થતું હાય તેમ ભલે થાઓ. પણ એક વાત સાંભળેા-અમારા પિતા અમિતગતિ જ્યારે અહીં હતા ત્યારે તેમણે વિજયસેના દેવીની કૂખે જન્મેલી પેાતાની પુત્રો (ગન્ધદત્તા) માટે નૈમિત્તિકને પૂછ્યું હતું. નૈમિત્તિકે આદેશ કર્યા હતા કે, ‘આ ગન્ધદત્તા ઉત્તમ પુરુષની ભાર્યો થશે, અને તે પુરુષ વિદ્યાધરા સહિત દક્ષિણ ભરતને ભાગવશે. ચંપા નગરીમાં ચારુદત્તને ઘેર રહેલી આ કન્યાને તે પુરુષ સંગીતવિદ્યામાં પરાજિત કરશે. ભાનુશ્રેણીના પુત્ર ચારુદત્ત કાઇ કારણસર અહીં આવશે, તેને સોંપવામાં આવતાં એ કન્યા તે પુરુષને પામશે. એ પુરુષ કેવી રીતે ઓળખાશે ? ચિત્રકામમાં આલેખેલા હસ્તી-મિથુનનું તે આયુષ્ય જાણશે, પછી કેશયુક્ત તન્ત્રીવાળી, ખળેલા અને પાણીમાં બુડેલા લાકડામાંથી બનાવેલી વીણાઓના તે ઢાષ કાઢશે અને સપ્ત સ્વરની તન્ત્રીવાળી વીણા માગશે. આ રીતે તેને જાણવા.' માટે આ કન્યાને તમે લઇ જાએ.” મે પણ એ વસ્તુ સ્વીકારી. પછી મનુષ્યાને દુર્લભ એવા રત્ન અને સુવર્ણ ના સમૂહ તે વિદ્યાધરાએ મને આપ્યા. પ્રસ્થાન સમયે વિજયસેના દેવીએ પરિવાર સહિત તથા દાસ અને સેવકા સહિત પુત્રી ગન્ધદત્તા મને સોંપી અને કહ્યું કે, “ દીક્ષા લેતી વખતે રાજાએ કરેલી સૂચના પ્રમાણે આ કન્યાને સોંપી છે. તમારી પાસે તે ધર્મ પૂર્વક ધનિક્ષેપ (પવિત્ર થાપણુ) અનેા.” ܕܕ ગધવદ્વત્તા લ’ભક પછી મેં દેવનું ચિન્તન કર્યું. એટલે તે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે આબ્યા. વૈભવ સહિત અને પરિચારિકા સહિત ગન્ધદત્તાની સાથે તે મને અ રાત્રે ચંપા નગરીમાં લાળ્યેા. તેણે મને વિપુલ ધન આપ્યુ, તે નગરની બહાર ઉપવનમાં મેં દાટી દીધું. દાસદાસીએ પટમ’ડપ–કનાતામાં સૂઈ ગયાં. “ તમારે માટે રાજાને સૂચના કરું છું. જ્યારે કામ પડે ત્યારે મારું સ્મરણ કરજો ' એમ કહીને દેવ ગયા. વિદ્યાધર અને ધ્રુવે આપેલા ખચ્ચર, ગધેડા અને ઊંટ ત્યાં ઊભા રહેલા હતા તથા વિવિધ માલ-સામાન ભરેલાં ગાડાં પણ છેડેલાં હતાં. દેવની આજ્ઞા અનુસાર પઢિયે મશાલા સહિત તથા અલ્પ પરિજન સહિત રાજા ત્યાં આન્યા. મને ખબર આપવામાં આવી. મે રાજાના અર્ધ્ય થી સત્કાર કર્યા.૧ ૧. આ પછી મૂળમાંના તં ગાઢું પરિiતો...મીમિ ાં અહં તિ એ શબ્દોના અર્થી અસ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy