SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : હું કૃતાર્થ થયે છું.” પછી મનમાં દ્વેષ રાખતો તે પિપ્પલાદ તેની સેવા કરવા લાગ્યું. ઘણે કાળ વીતા પછી નંદાની ખબર લેવા માટે સુલસી ત્યાં આવી. તેણે નંદાને પિપલાદના ભવનમાં ફરતી જોઈ. પૂછવામાં આવતાં નંદાએ પિપલાદ કેવી રીતે મોટો થયે તે કહ્યું. (સુલસાના આગમનની ખબર) નંદાએ પિપ્પલાદને પણ જણાવી, અને કહ્યું, “પુત્ર! આ તારી માતા છે.” પિપ્પલાદે પણ ખોટો વિનય બતાવી તેની સેવા કરી. પછી તેણે યાજ્ઞવલક્યને કહ્યું, “તાત! તમને મોટા પિતૃમેધથી દીક્ષિત કરવામાં આવે છે.” તે બોલ્યા, “પુત્ર! મારું જે કંઈ હિત હોય તે તું કર.” પછી તેને પિપ્પલાદે દીક્ષા આપીને ગંગા તીરે એકાન્તમાં બાંધ્યું અને કહ્યું, “તાત! તમારી જીભ બતાવો.” પછી તેણે હાથચાલાકીથી કાતર વડે જીભ કાપી નાખી. અવાક્ બનેલા તે યાજ્ઞવલક્યનાં કાન, નાક, હોઠ, હાથ, પગ ઇત્યાદિ અવયવો ઉપર ખાર છાંટીને પિપ્પલાદે અગ્નિમાં હેમ્યા, અને તેને ક્રોધપૂર્વક કહ્યું, “દુરાચાર! મેં જન્મતાં વેંત તારો શે અપરાધ કર્યો હતો કે તેં મારો નિર્જન પ્રદેશમાં ત્યાગ કરી દીધો ? હું જીવી શકું તે માટે તેં કેઈને ખબર પણ કેમ ન આપી? તું જ મારે શત્રુ છે.” પછી નિષ્ટ થયેલા તે યાજ્ઞવક્યને તેણે ગંગામાં ફેંકી દીધો, ભૂમિ ઉપર ગંદક છાંટયું અને પછી જાહેર કર્યું કે, “યાજ્ઞવલક્ય તે વિમાનમાં ગયા છે.” આ જ પ્રમાણે તેણે સુલસાને પણ મારી નાખી. આ પ્રમાણે પિતા અને માતાને ઘાત કરનાર પિપ્પલાદને હું વર્લ્ડલી નામે શિષ્ય હતે. અથર્વવેદના જ્ઞાનવાળો હું બ્રાહણેને ભણાવતે હતે. મરીને હું બકરો થયે. આ તરફ મિથિલામાં જનક રાજા હતો. તેને સુનકમેધ નામે તાપસ ઉપાધ્યાય હતું. તે પુરોહિતે રાજાના શાતિકર્મ નિમિત્તે મારે ઘાત કર્યો. ફરી વાર હું બક થ. એ શુનકમેધે, એ પ્રમાણે, પાંચ વાર મને મારીને હેપે. વર્દીલી વગેરે મારા પૂર્વજન્મો મને યાદ હતા. ફરી પાછો હું કંકણ દેશમાં બકરો થયો. ત્યાં વણિક જ્યારે મને મારતા હતા ત્યારે આ ચારુદત્તે અહિંસાપ્રધાન ધર્મને મને ઉપદેશ કર્યો. તે વખતે મેં વિચાર કર્યો, “ધર્મને શુદ્ધ ઉપદેશ આ જ હોવો જોઈએ. વેદશાસ્ત્રના ઉપદેશના ફળરૂપે તે આ છઠું મરણ હું અનુભવું છું. જિનેશ્વરેએ ઉપદેશેલાં વચન ઉપર આ ચારુદત્ત ભાવપૂર્વક મને રુચિવાળો કર્યો, અરિહંત-નમસ્કારમાં સ્થિર રહેલે હું કાર્યોત્સર્ગ કરીને ઊભા રહ્યા, એટલે વણિકોએ મને મારી નાખે. પછી હું નંદીશ્વરદ્વીપમાં દેવ થયો છું અને આ ઇભ્યપુત્રની ગુરુપૂજા કરવાની ઈચ્છાવાળો હું અહીં આવ્યો છું.” પછી વિદ્યાધરોએ તે દેવને કહ્યું, “દેવ! અમે પહેલાં સત્કાર કરીશું, કારણ કે ચારુસ્વામીએ અમારા પિતાને પહેલા જીવિતદાન આપ્યું હતું અને પછી તે તમારા ધર્મોપદેશક બન્યા હતા.” દેવ બોલ્યો, “હું સત્કાર કરીશ, પછી તમે સન્માન કરજે.” વિદ્યાધરોએ કહ્યું, “દેવ! તમે સત્કાર કરી રહે એ પછી તમારા કરતાં વધુ કરવાની અમારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy