SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચન્દ્રા લંભક [૩૩૩] આવ્યા. “તેમને વહોરાવીએ” એ અમે ત્રણે જણને વિચાર થયો. “તું આપ” એમ કહીને (તે કામ માટે) વારુણીને નિયુક્ત કરી. તે સમયે તેને વિશુદ્ધતર ભાવ હતા. તે દાનફળથી રાજકુલમાં તારો જન્મ થયેલ છે. તારી માતા મંદિર હતી, તે પહેલાં કાળધર્મ પામીને પ્રતિષ્ઠ નગરમાં અતિબલ રાજાની સુમતિ દેવીની પુત્રી હીમતી નામે થઈ. તે યુવાવસ્થામાં આવી, એટલે પિતનપુરના અધિપતિ પૂર્ણભદ્ર રાજાને ભારે વૈભવપૂર્વક તે આપવામાં આવી. હું તારા પ્રત્યે બંધાયેલા નેહને લીધે દીક્ષા લેવાને અસમર્થ હો; આથી ગ્ય બ્રાહ્મણને પણ મેં તને આપી નહીં. આ કારણથી સ્ત્રીભાવપુરસ્કૃત કર્મનું ઉપાર્જન કરીને, જેણે શ્રમણ્ય કર્યું નથી પણ જેની વિષયતૃષ્ણા દૂર થઈ ગયેલી છે એ હું કાળ કરીને હીમતીના ગર્ભમાં રામકૃષ્ણા તરીકે જમે. હવે, પુરોહિતે એળવેલી થાપણ સિંહસેન રાજાએ યુક્તિપૂર્વક પાછી અપાવી તે લઈને પવિત્રની ખેટનિવાસી ભમિત્ર સાર્થવાહ પોતાના ઘર તરફ જતા હતા. (તે વખતે) તે વિચાર કરવા લાગે, “જેનું માત્ર જીવન બાકી રહેલું હતું એ હું જેમ તેમ કરીને સમુદ્રમાંથી અહીં પહે , માટે હવે મારે વેપાર કરવાની જરૂર નથી. જે મેં પૂર્વે મેળવેલું દ્રવ્ય છે તે વડે શ્રમણ-બ્રાહ્મણને ભાત-પાણી, શયન, આસન, ઔષધ, વસ્ત્ર અને પાત્ર આપતો અને અપાવતો હું કેટલેક કાળ કુટુંબની વચ્ચે વસીને, પછી મમત્વનો ત્યાગ કરીને દીક્ષા લઈશ. એમાં મારે પ્રમાદ કરે નહીં.” આ પ્રમાણે નક્કી કરી તે અટવીપ્રદેશમાં બેઠે. ભમિત્ર જ્યારે પ્રવાસમાં હતા ત્યારે દિવસ-રાત ખૂબ રુદન કરતી અને આહારની ઈચ્છા નહીં કરતી તેની માતા બિમાર થઈ. “અહે! પુત્રરૂપે ભદ્રામિત્રે કોઈ વેર વાળ્યું છે. તેને નહીં જોતી એવી હું જીવી શકું એમ નથી, વિવશ એવી હું પ્રાણ ત્યાગ કરીશ” (એમ કરતી) શેકપૂર્ણ હૃદયવાળી તે મરીને વાઘણ થઈ હતી. વનમાં આહારની શોધમાં તે ફરતી હતી. ધર્માભિમુખ એવા ભદ્રમિત્રને તેણે ખાધો તે માટે મોટો પુત્ર સિંહચન્દ્ર થયે. તું પૂર્વભવની વાણી છે. અધિક સનેહનું આ કારણ છે. સંસારની એ ગતિ છે કે બંધુ શત્રુભાવને પામે છે, જેમકે ભદ્વમિત્રની માતા. પરાયું હોય તે સ્વજન થાય છે, જેમકે ભમિત્ર. અથવા (સ્વજન ફરી વાર સ્વજન થાય છે, જેમકે-હે વારુણી! પૂર્વભવમાં પણ હું તારામાં નેહવાળો હતે.” ફરી વંદન કરીને પૂર્ણચંદ્ર કહેવા લાગ્યો, “સિંહસેનની શી ગતિ થઈ?” રામકૃબણાએ કહ્યું, “સાંભળ, સર્પ થયેલ શ્રીભૂતિ પુહિત સિંહસેનને કરડ્યો, એટલે તે કાળ કરીને સહલકીવનમાં હાથી થયે. વનચરોએ તેનું “અશનિવેગ” એવું નામ પાડયું. સ્વાધ્યાયમાં ઉદ્ય, કૃતસમુદ્રના પારને પામેલા અને અપ્રતિબદ્ધપણે વિહાર કરતા સિંહચંદ્ર અણગાર એક વાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાની ઈચ્છા રાખતા ગાડાંઓના સાથેની સાથે અટવીમાં પ્રવેશ્યા. ત્યાં સાથે મુકામ કર્યો, ગાડાં છેડ્યાં, બળદને પણ છેડયા અને તૃણુ તથા કાષ્ટ લાવનારાઓ ઊપડયા. સાર્થને શબ્દ સાંભળતા હાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy