SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ ૧૭ ] ફરી વાર પ્રણામ કરીને પ્રભવ વિનવવા લાગ્યા, “ સ્વામી ! તે લેાકધર્મ ને અનુરૂપ વન કરા, જેથી પિતાના ઉપકાર થાય. પિતાની પુત્રવિષયક તૃમિ વિચક્ષણ પુરુષા વર્ણવે છે કે—ઋણમાંથી મુક્ત' થયેલેા (જેણે પિતૃઋણ ફેડયુ એવા) પુરુષ વગ માં જાય છે. ’’ ત્યારે જ બુકુમારે કહ્યું, “ એ સાચી વાત નથી. ભવાન્તરમાં ગયેલા પિતાને પુત્ર ઉપકાર કરવાનો બુદ્ધિથી અપકાર પણ કરી નાખે છે. અને પિતાને જે કઇ શાન્તિ મળે તે પુત્ર તરફથી મળતી નથી, કારણ જીવા પાતે કરેલાં કર્માનું જ ફળ ભાગવનારા હાય છે. પિતાને ઉદ્દેશીને પુત્ર જે આપે તે ભક્તિ ખરી, પણ જેમ માણસના જન્મ પરાયત્ત છે, તેમ આહાર પણ પેાતાનાં કર્મના પરિપાક અનુસાર મળે છે. ( એમ ન માનીએ તે ) જેમના વંશ નાશ પામ્યા છે તેવા નિરાધાર અને અતૃપ્ત સ્થિતિવાળા જીવા સારાયે ભવિષ્યકાળમાં કેવી રીતે રહેવાના હતા ? પુત્ર આપેલું અન્નપાણી કે જે અચેતન છે તે પિતા પાસે કેવી રીતે જઇ શકે ? એ જ પ્રમાણે પિતાને ઉદ્દેશીને કરેલું પુણ્ય પણ તેને કેવી રીતે પહેાંચે ? પિતા અથવા પિતામહ કુન્થુ અથવા કીડી અથવા એવા નાના શરીરવાળા થયા હાય અને તે પ્રદેશમાં તેની તૃપ્તિ નિમિત્તે પુત્ર જળ છાંટે, તા તેમાં મરનારના ઉપકાર અથવા અપકાર થાય છે, એમ કેવી રીતે કહેવાય ? અથવા સાંભળ——— લાધમ ની અસ’ગતિ વિષે મહેશ્વરદત્તની કથા તામ્રલિપ્તિ નગરીમાં મહેશ્વરદત્ત નામે સાવાહ હતા. તેનેા સમુદ્રદત્ત નામે પિતા ધનના સંચય, સંરક્ષણ અને પરિવનના લાભમાં ગ્રસ્ત એવા મરણ પામ્યા, અને અતિશય માયાને કારણે એ જ પ્રદેશમાં પાડા થયા. માયા અને કપટમાં કુશળ એવી તેની બહુલા નામની શોચવાદી માતા પણ પતિશેાકથી મરણુ પામીને એ જ નગરમાં કુતરી થઇ. મહેશ્વરદત્તની પત્ની ગાંગલા વડિલેાથી સૂના તે ઘરમાં રહેતી, સ્વચ્છંદી બની ગઇ. એક વાર ઇચ્છિત પુરુષ સાથે સ ંકેત કરીને સાંજે તેની રાહ જોતી તે ઊભી હતી. આયુધ સાથે તે સ્થળે આવેલા એ પુરુષ મહેશ્વરદત્તની નજરે પડયા. તે પુરુષે પેાતાની જાતના રક્ષણ માટે મહેશ્વરદત્તને મારી નાખવાનેા વિચાર કર્યો, પણ મહેશ્વરદત્તે લઘુસ્તપણે તેને ગાઢ પ્રહાર કરતાં થાડેક દૂર જઇને તે પડયા, “ અહા ! મને મદ ભાગ્યને અનાચારનું આ ફળ મળ્યું, ” એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક પેાતાની નિન્દા કરતા તે મરણુ પામ્યા, અને ગાંગિલાના ઉદરે પુત્ર તરીકે જન્મ્યા અને એક વર્ષના થતાં મહેશ્વરદત્તને પ્રિય પુત્ર થયા. ૧. અહીં ‘ ઋણ ’ના અં લૌકિક ‘દેવુ...' નહીં, પણ પિતૃઋણ છે. વૈદિક પરંપરા અનુસાર, દરેક મનુષ્ય ત્રણ ઋણ ફેડવાનાં છે: ઋષિઋણ, દેવઋણ અને પિતૃઋણ, ઋષિઋણ બ્રહ્મચર્ય વડે, દેવઋણ યજ્ઞા કરવાવડે અને પિતૃઋણ પુત્ર ઉત્પન્ન કરવાવડે. અર્થાત્ પેાતાની પાછળ શ્રાદ્ધાંજલિ આપવા માટે પુત્રને મૂકી જનાર પુરુષ સ્વર્ગીમાં જાય છે; એટલે પિતાનાં ઉત્તરકાર્યાં કરવા પુત્રે સંસારમાં રહેવુ જોઇએ, એમ પ્રભવ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy