SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : - - એક વાર પિતાનું શ્રાદ્ધ આવતાં મહેશ્વરદત્તે પેલા પાડાને ખરીદીને મારી નાખે. આ પ્રમાણે પિતાના માંસની વાનીઓ બની, અને તે લોકોને પીરસવામાં આવી. બીજા દિવસે તે માંસ તથા મધનો સ્વાદ લેતા મહેશ્વરદત્ત પુત્રને ખેાળામાં લઈને પોતાની માતા જે કુતરી થયેલી હતી તેને માંસના ટુકડા નાખવા માંડે. કુતરી ૫ણ તે સંતોષપૂર્વક ખાવા માંડી. એ વખતે કઈ સાધુ માસક્ષપણુના પારણા નિમિત્તે તે ઘરમાં પ્રવેશ્યા, અને અત્યંત પ્રસન્ન મહેશ્વરદત્તને તેમણે જે. એવી અવસ્થાવાળા તેને અવધિજ્ઞાનથી જાણીને તે વિચારવા લાગ્યા, “અહો ! અજ્ઞાનને કારણે આ માણસ શત્રુને ખોળામાં લઈને બેઠો છે, પિતાનું માંસ ખાય છે અને કુતરી(પિતાની માતા)ને તે ખવરાવે છે.” “અકાય” એમ બોલીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. મહેશ્વરદતે વિચાર્યું, “ભિક્ષા લીધા વગર જ, “અકાર્ય” એમ બોલી સાધુ કેમ ચાલ્યા ગયા?” પછી શોધતો શોધતો તે સાધુ પાસે આવ્યો અને એકાન્ત પ્રદેશે તેમને જોઈને પૂછવા લાગ્યો, “ભગવાન ! મારા ઘેર આપે ભિક્ષા કેમ ન લીધી? જે કારણ હોય તે કહે.” સાધુએ કહ્યું, “ શ્રાવક! તારે ક્રોધ ન કરવો.” પછી તેમણે તેના પિતાનું રહસ્ય, પત્નીનું રહસ્ય અને શત્રુનું રહસ્ય યથાસ્થિત અભિજ્ઞાનપૂર્વક કહ્યું. તે સાંભળીને જેને સંસાર ઉપર નિર્વેદ થયો છે એવો તે મહેશ્વરદત્ત ગૃહવાસને ત્યાગ કરીને એ જ સાધુની પાસે પ્રત્રજિત થયે. હે પ્રભવ! કાચાર તો આ પ્રકારનો છે. તેને પ્રમાણભૂત માનતા કોઈ માણસ અજ્ઞાનને લીધે માનનીય હોય તેને પીડા આપે, અકાર્યમાં કાર્યબુદ્ધિ રાખે અને જે કરવા ગ્ય હોય તેને ત્યાગ કરે, પરંતુ જ્ઞાની એમ ન કરે. આ પ્રમાણે કાચાર તે વિષને જ અનુકૂળ છે. સંસાર દુઃખથી ભરેલો છે એમ જાણુતા મનુષ્ય મોક્ષ માટે ઉદ્યમ કરવું જોઈએ. આ સંસારની અંદર, નારક ભવમાં જેની ઉપમા પણ ન આપી શકાય અને જેમને પ્રતિકાર પણ ન કરી શકાય એવાં નિરંતર દુઃખો છે; તિર્યંચમાં ટાઢ, તાપ અને ભૂખ આદિ સ્વપક્ષ અને પરપક્ષથી પેદા થયેલાં દુઃખો છે; મનુષ્યભવમાં દારિદ્ર, દુર્ભાગ્ય, નીચ, ઊંચ અને મધ્યમના ભેદે, પારકાના હુકમે સહન કરવા તથા પ્રિયજનના વિયાગરૂપ દુખે છે, દેવભવમાં કિલિબષિક, આભિગિક (આદિ અધમ દેવકેટિઓ), બીજા દેવોની સમૃદ્ધિનું દર્શન તથા યુત થવાને ભય આદિ દુઃખ છે, તેથી ઉદ્વેગ પામતા પ્રાણીએ જિનેશ્વરે ઉપદેશેલે નિર્વાણપંથ સેવ.” ત્યારે પ્રભાવે પૂછયું, “વામી! વિષયસુખ અને સિદ્ધિસુખ વચ્ચે શું અંતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy