SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થામા-વિજયા લંભક. [ ૧૪૭ ] (એવું કયું કર્મ છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજજનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામે છતે જે નાશ પામતું નથી?) અને પિતાના પિતાને તેણે કહ્યું કે, “તાત! જે પુરુષ આ ગીતિકાને અર્થ સંભલાવે તેની સાથે તમારે મને પરણાવવી. ” પછી એ ગીતિકા પ્રસિદ્ધ કરવામાં આવતાં વિદ્વાનો વિવિધ પ્રકારની વસ્તુઓ એ સંબંધમાં સંભળાવવા લાગ્યા, પણ એમાં કઈ સુમિત્રાનો અભિપ્રાય જાણી શકે નહીં. પણ એક પુરુષે સંભળાવ્યું– कम्मयाण तवोकम्मयं बहुनिव्वेसणीयं अलजणीयं च । पच्छा य होइ पच्छ(त्थ)यं, ण य णासइ नट्ठए सरीरयम्मि । ( કર્મોમાં તપશ્ચર્યારૂપી કમ એવું છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજજનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામે છતે જે નાશ પામતું નથી.) રાજાએ તેને પૂછતાં તે પુરુષે કહ્યું, “તમે જે ભાવાર્થ જાણે છે તે જ મેં તમને સંભળાવ્યો છે.” પછી તે પુરુષને સ્નાન અને ભોજન કરાવીને પૂછ્યું એટલે તેણે કહ્યું, “રત્નપુરમાં પુરુષપંડિત છે તેણે આ કહ્યું છે આવું બોલવાની મારી તે શક્તિ કયાંથી ?એટલે રાજાએ “તમે તે દૂત છે” એમ કહી તેનો સત્કાર કર્યો અને રાજકન્યાએ પણ તેને રજા આપી. પછી સુમિત્રાએ પિતાને વિનંતી કરી, “તાત ! પુરુષપંડિતે મારો અભિપ્રાય જાણ્યો છે. હવે જે અર્થથી મારી ખાત્રી કરાવી આપે તે હું તેની પત્ની થાઉં, બીજા કોઈની નહીં.” પછી સુમિત્રા ઘણું પરિવાર સહિત રત્નપુર ગઈ, અને અગાઉથી તૈયાર કરવામાં આવેલા ઊતારામાં રહી. પુરુષપંડિત સુપ્રભને બોલાવવામાં આવતાં તે ત્યાં ગયે, એટલે રાજકન્યાએ તેને પૂછયું, “તપ એ બહુકાળ સુધી ટકે એવું અને લાઘનીય કેવી રીતે? પાછળથી હિતકારી કેવી રીતે ? શરીરને નાશ થયા છતાં પણ તે ફળ આપે એ કેવી રીતે?” સુપ્રમે ઉત્તર આપે, “સાંભળ– બે ઇભ્યપુત્રની કથા અહીં બે ઈશ્યપુત્ર હતા. તેમાં એક પિતાના મિત્રો સાથે ઉદ્યાનમાંથી નગરમાં આવતો હતો. બીજે રથમાં બેસીને નગરમાંથી બહાર જતો હતો. તેઓ નગરના દરવાજે ભેગા થયા. ગર્વને કારણે બંનેમાંથી એક જણ પિતાના રથને પાછો લેવા માગત નહોતે. આથી તેમની વચ્ચે બોલાચાલી થઈ. એકે કહ્યું, “તું પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી ગર્વિત થયેલો છે, જે પિતે ધન કમાવાને સમર્થ હોય તેને જ અહંકાર શોભે.” બીજે પણ એમજ કહેવા લાગ્યું. આકર્ષ નિમિત્તે તે બન્નેએ પ્રતિજ્ઞા કરી કે, “આપણામાંથી જે પરિવાર સિવાય બહાર નીકળી પડે અને બાર વરસની અંદર ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy