SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૮] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : ધન લઈને લાવે તેને બીજે માણસ પિતાના મિત્રો સહિત દાસ થઈ જશે.” આ પ્રમાણે વચન પાના ઉપર લખીને તે પાનું શેઠિયાના હાથમાં આપવામાં આવ્યું. પછી તે બેમાંથી એક તે ત્યાંથી જ નીકળી પડયે. દેશના સીમાડા ઉપરથી પડિયાઓમાં ફળ લાવીને તે શહેરમાં આવ્યું. ત્યાં લે-વેચ કરતાં મૂડી થઈ, એટલે એક વહાણવટીને આશ્રયે સમુદ્રમાર્ગે વેપાર કરવા લાગ્યો. એમ કરતાં ઘણું ધન મળ્યું, એટલે તેણે પિતાના મિત્રોને સમાચાર મોકલ્યા. બીજે ઈભ્ય-પુત્ર, મિત્રોએ ઘણું પ્રેરણું કરવા છતાં બહાર નીકળતે જ નહીં અને કહે કે, “એ બિચારો ઘણું કાળે જેટલું ધન કમાશે તેટલું તે હું અલ્પ સમયમાં મેળવી લઈશ” પણ બારમા વર્ષે પેલા બહાર નીકળેલા ઇભ્યપુત્રના આગમનના સમાચાર સાંભળીને તે દુખપૂર્વક ઘરની બહાર નીકળે અને વિચાર કરવા લાગ્યું કે, “કલેશભીરુ અને વિષયલોલુપ એવા મેં ઘણે કાળ ગુમાવ્યું. હવે એક વરસની અંદર હું કેટલું કમાઈ શકવાનો હતો? માટે શરીરનો ત્યાગ કરવો એ જ મારે માટે શ્રેય છે. એ પ્રમાણે નિશ્ચય કરીને તે સાધુ પાસે ગયો અને ત્યાં ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી પિતાનું શરીર ખપાવીને તથા અનશન કરીને નવ માસને સાધુપર્યાય પાળ્યા પછી કાળધર્મ પામી તે સૌધર્મ કલ્પમાં દેવ થયો. અવધિવિષયથી કારણ જાણયું છે એવા તેણે પિતાના દેશના સીમાડે સાથે વિકુવને પિતાના મિત્રને ખબર મોકલ્યા. આ વિષે શંકા કરતા મિત્રએ તેની તપાસ કરવા માટે ચાર-પુરુષને મેક. ચાર-પુરુષદ્વારા તેની સમૃદ્ધિની ખબર પડતાં એ મિત્રે તેની પાસે ગયા. પેલાએ વસ્ત્ર અને આભરણથી પોતાના મિત્રને સત્કાર કર્યો. બીજે ઈભ્યપુત્ર પહેલાંથી જ આવીને રાજાને મળ્યા હતા અને ભાંડ (માલ) સહિત પિતાનું ધન તેણે બતાવ્યું હતું, પણ દેવનું દ્રવ્ય તેના કરતાં ઘણું વધારે હતું; રત્નસહિત તે દ્રવ્યથી રાજા પ્રસન્ન થયે. જે ઈભ્યપુત્રે બાર વર્ષ સુધી કલેશ સહન કર્યો હતો તેને મિત્ર સહિત પરાય છે. સમારંભ પૂરો થતાં દેવ–સાર્થવાહે પોતાના મિત્રોને કહ્યું, “હું કેવી રીતે દ્રવ્ય કમાય તે જાણે છે?” તેઓ બેલ્યા, “ના, અમે જાણતા નથી.” તેણે કહ્યું, “તપથી.” પિતાના દાસ બનેલા બીજા ઈભ્યપુત્રને તથા તેના મિત્રોને પિતાને દિવ્ય પ્રભાવ દર્શાવીને આ હકીકત તેણે જણાવી અને કહ્યું, “જો તમે દીક્ષા લે તો તમને મુક્ત કરું. ” એટલે તપના પ્રભાવથી વિસ્મિત થએલા તેઓએ મિત્રો સહિત પ્રણામ કરીને કહ્યું, “અમને પ્રત્યક્ષ તપને પ્રભાવ દર્શાવીને તમે અમારા ઉપર ઘણી કૃપા કરી છે. જે અમે પ્રતિબોધ પામીશું તે આત્મહિત આચરીશું.” પછી તેમને પ્રતિબંધ પમાડીને દેવ ગયે. પેલા બધા અત્યારે સુસ્થિત અણુગારની પાસે દીક્ષા લેશે. આ કારણથી તપસ્વીઓનું તપ ઘણું કાળ સુધી ટકે એવું અને પૂજનીય છે, શરીરને નાશ થાય તે પણ તપનું ફળ દેવલેકમાં મળે છે, બીજાઓનું કર્મ અ૫ કાળ સુધી જ ટકે એવું હોય છે અને શરીરને નાશ થતાં તેનો પણ નાશ થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy