SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક૨૬ ]. વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: કરે તે તે નાટકથી રહિત એવા તને રાજ્યથી, વાહનથી અથવા વિદ્યાધરપણાથી શું?” નારદ પાસેથી આ સાંભળીને દમિતાએિ અપરાજિત અને અનંતવીર્ય પાસે દૂત મોકલ્યા. કેટલાક આચાર્યો એમ કહે છે કે, “દમિતારિ વિદ્યારે પિતે જ તે દાસીઓ વિષે જાણ્યું હતું.” પછી તેણે દૂત મોકલ્યો કે, “રનો રાજગામી હોય છે, માટે દાસીઓને મોકલો.” ‘બળવાનનો વિરોધ કરવો ઉચિત નથી' એમ ધારી તે બે ભાઈઓ બોલ્યા, “ઠીક કહ્યું, અમે વિચાર કરીએ છીએ.” એમ કહીને દૂતને રજા આપી. પછી તેમને વિચાર થે, આકાશગમનના અભિમાનથી દમિતારિ આપણે પરાજય કરે છે, માટે આપણે પૂર્વે ગ્રહણ કરેલી વિદ્યાઓ સાધીએ અને પછી તેના અભિમાનનો નાશ કરીએ.” એ દેશકાળમાં તેમની ભવિતવ્યતાને કારણે પૂર્વભવની વિદ્યાઓ પણ તેમને ઉપસ્થિત થઈ. વિદ્યાઓએ તેમને કહ્યું “દેવ! અમે તમારી વશવતી છીએ; તમે જે વિદ્યાઓ સાધવા ઈચ્છે છે તે જ અમે આ ઉપસ્થિત થયેલી છીએ.” સંતુષ્ટ થએલા તેઓએ એ વિદ્યાઓની પૂજા કરી. ફરી વાર દમિતારિએ દૂત મોકલ્યા. ગર્વ પૂર્વક ભાષણ કરતા તે દૂતનું તેમણે શાન્તિથી સ્વાગત કર્યું અને કહ્યું, “ દમિતારિ રાજા અમારે માટે સેવન કરવા લાયક છે; છોકરીઓને-દાસીઓને લઈ જાઓ.” પછી બર્બરી અને ચિલાતિકાનું રૂપ ધારણ કરીને તેઓ દૂતની સાથે દમિતારિ પાસે ગયા. જેમણે પ્રણામ કર્યા છે એવા તેમને દમિતારિએ સૌમ્ય ચક્ષુથી જયા અને કહ્યું, “કનકશ્રી કન્યાની સાથે તમે રમે.” વિનયપૂર્વક પ્રણામ કરીને તેમણે કનકશ્રીને મધુર વચનથી બોલાવી. કનકશ્રીએ આદરપૂર્વક અપરાજિત અને અનંતવીર્યના કુલ, શીલ, રૂપ અને જ્ઞાન વિષે પૂછયું. પોતે એકબીજાના ગુણેથી સમન્વિત છે” (એમ તેઓએ કહ્યું). પછી અનંતવીર્ય વિષેની વાતચીતમાં પ્રેમ ધારણ કરતી તે કન્યાને અપરાજિતે કહ્યું, “દેવિ ! જે તમારી આજ્ઞા હોય તે અપરાજિત અને અનંતવીર્યને અહીં લાવીએ; અમારે એ પ્રભાવ છે” આ પ્રમાણે કહેવામાં આવતાં તેણે સ્વીકાર્યું કે, “તેમ કરે.” કેટલાક કહે છે કે “પેલી નતિકાએએજ કન્યાને રાજકુમારમાં આસક્તિવાળી કરી હતી” ( અર્થાત સાચી નર્તિકાઓને મોકલવામાં આવી હતી.) પછી તેઓએ પિતાનાં સાચાં રૂપ દર્શાવ્યાં. વિમિત થયેલી તે કન્યા અનંતવીર્ય પાસે ગઈ અને કહેવા લાગી, “દેવ! આ પ્રાણ તમારે વશ છે. સ્વામી ! મારા ઉપર તમારો અધિકાર છે. પણ મારા પિતા વિદ્યાબળ વડે સમર્થ છે, તે જીવનનો અંત આણે એવી પીડા તમને કરશે, માટે અહીંથી ચાલ્યાં જઈએ. એથી નિર્વિધ્ર થશે. પેલા બે જણે તેને કહ્યું, “રાજાને અથવા વિવાદ કરતા બીજા ગમે તેને જીતવાને અમે સમર્થ છીએ; ગમન માટે નિ:શંકપણે વિચાર કરી લે.” આ પ્રમાણે કહેવામાં આવતાં તમારું વચન પ્રમાણે છે” એમ કહીને મદનથી મોહિત થયેલી તે કન્યા ચાલી નીકળી. અપરાજિત અને અનંતવી પોતે જ ઘોષણા કરી કે, “ કનકશ્રી કુમારોને અપરાજિત અને અનંતવીર્ય હરો જાય છે, જેની શક્તિ હોય તે અટકાવે,” એમ કહીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy