SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ રાક ના -- - - [ ૨૫૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : કહેવા લાગ્યા, “સ્વામી ! મારા ઉપર કૃપા કરે, જેથી હું સુગતિગામી થાઉં.” શાંડિત્યે કહ્યું, “રાજય જીતતાં તને ઘણું પાપ થયું છે, માટે મનુષ્ય વિધિ વડે કરીને સ્વર્ગગામી કેવી રીતે થાય છે તે તું સાંભળ.” પછી તેણે અશ્વમેધ, રાજસૂય વગેરે યજ્ઞવિધાનની રચના કરી અને તેમનું સ્વર્ગગમનરૂપ ફળ થાય છે તેમ સંભળાવ્યું. સગરને, બીજા રાજાઓને તથા વિશ્વભૂતિ પુરોહિતને પણ તે ઉપર શ્રદ્ધા થઈ. સગરને તથા તેની પત્ની સુલસાને અશ્વમેધ યજ્ઞની દીક્ષા આપવામાં આવી. વિશ્વભૂતિ ઉપાધ્યાય પાસે ઘણું પ્રાણીઓને વધ કરાવવામાં આવ્યું. અશ્વમેધને અંતે સુલસાને કહેવામાં આવ્યું, “નિ વડે અશ્વનો સ્પર્શ કર, એટલે તારાં પાપ દૂર થઈ જશે અને તું સ્વર્ગમાં જઈશ.” એ સમયે મહાકાલ દેવે તેને પ્રયત્નપૂર્વક પકડી રાખી અને સ્વયંવરમાં તેણે કરેલા મધુપિંગલના ત્યાગનું તેને સ્મરણ કરાવ્યું. તીવ્ર વેદના થતાં મૃદુ પ્રકૃતિને કારણે મરણ પામીને સુલસા ધરણની અગ્રહિષી થઈ. પછી સગરને રાજસૂય યજ્ઞની દીક્ષા આપવામાં આવી. તે વખતે ગંગા-યમુનાના સંગમ આગળ રાજ પુત્ર દિવાકરદેવ, નારદના કહેવાથી, યજ્ઞની સામગ્રી લઈને ગંગામાં ફેંકી દેવા લાગે. શાંડિલ્યને સગરે પૂછયું, “યજ્ઞની સામગ્રી કોણ હરી જાય છે?” શાંડિલ્ય કહ્યું, “દેવને પ્રસન્ન કરવા માટેની સામગ્રી અસહિષ્ણુ રાક્ષસો હરી જાય છે, માટે અહીં શ્રીષભસ્વામીની પ્રતિમા સ્થાપિત કરો.” યજ્ઞના રક્ષણ નિમિત્તે ત્યાં પ્રતિમા સ્થાપવામાં આવી. એટલે દિવાકરદેવે નારદને કહ્યું, “આર્ય! હવે આ પાપાચારીઓને હું વિન કરી શકું તેમ નથી. વિદ્યાધર જિનપ્રતિમાને અપરાધ કરે તે તેમની વિદ્યાને પ્રતિઘાત થાય છે. માટે હવે આપણે તટસ્થ રહીએ. આપણે આ દુષ્કૃત્યમાં શા સારુ સંબદ્ધ થઈએ?” એમ કહીને તે નારદની સાથે ઊભે રહો. પછી શાંડિયે સગરને કહ્યું, “હવે તમે ઈટ બનાવે. વિવિધ જંગમ પ્રાણીઓને કાદવથી ભરેલી વાવોમાં નાખો. તેમનાં હાડકાં કહી જાય ત્યારે બહાર કાઢે. જ્યારે એ હાડકાંઓ કૃમિjજ જેવાં બની જાય ત્યારે તે માટીથી ગાડાંનાં ચક્ર જેટલી મોટી ઈટે બનાવે. એ ઈટો જ્યારે પકવવામાં આવશે ત્યારે એક આંગળ ઓછી થશે” આ પ્રમાણે સગરને શિખવ્યું. ત્યાર પછી નિભાડે રચતાં થરથરમાં ઘી, મધ, અને ચરબી નાખવામાં આવી. તેની ચીકાસ અને વાસથી સર્પો, કૃમિએ અને કીડી જેવા જંતુઓ ત્યાં આવ્યાં. પછી આંગળીના ટેરવા ઉપર ઉભેલા માણસ જેટલી ઊંચાઈવાળી વેદિકા તે છેટે વડે બનાવવામાં આવી. ઓગણપચાસ દિવસ સુધી પ્રયાગ અને પ્રતિષ્ઠાનના મધ્યમાં બકરાઓ, ૧. આ દિવાર દેવ, સંદર્ભ ઉપરથી, કોઈ વિદ્યાધર લાગે છે. પાછળથી તે વેદશ્યામપુરને રાજા થાય છે, તેથી ત્યાંના કપિલ રાજાને પુત્ર તે કદાચ હોય. ૨. ગંગા નદીને કિનારે, અત્યારના અલ્હાબાદની સામે આવેલું જૂસી. આ સ્થળ હાલ પણ પ્રતિસ્થાપુર કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy