SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સામશ્રી લલક [ ૨૫૧ ] પાડાએ અને પુરુષોના વધ કરવામાં આવ્યેા. આમાં દરરાજ પાંચ પાંચ પ્રાણીના ઉમેરા કરવામાં આવતા. બીજો આદેશ એવા છે કે, ચાર સધ્યાએ પાંચ પાંચ પ્રાણીએ વધારવામાં આવતાં. દક્ષિણાના લેાભથી ઘણા દ્વિજો એકત્ર થયેલા હતા, તેઓ પર્વતક અને શાંડિલ્યની પ્રશંસા કરવા. લાગ્યા. નારદે સગરને કહ્યુ, “ પર્વતકે વસુરાજાના સર્વનાશ કર્યો છે, માટે તેના ઉપદેશ સાંભળીને પાપકર્મ કરીશ નહીં. ” સગર મેલ્યા, “ શાંડિલ્યસ્વામી અને પતક મારુ અત્યંત હિત કરનારા છે. તે જે ઉપદેશ કરે તે મારે માટે પ્રમાણભૂત છે. તારું વચન હું નહીં કરું. તારે જે વસ્તુની જરૂર હાય તે લઇને જા, ચાલ્યા ,, જા. આ પ્રમાણે જેની સાથેના સ્નેહભાવ તાડી નાખવામાં આવ્યા છે એવા તે નારદ મનમાં દયા આણીને રાજપુત્ર દિવાકર દેવની સાથે ચાલ્યા ગયા. સગરને તથા બીજા રાજાઓને (પશુવધમાં ) દઢ કરવા માટે મહાકાલ દેવે વસુને વિમાનમાં રહેલે ખતાન્યા. આમ કરવાના વિધિ છે' એમ કહીને વિશ્વભૂતિ પુરેાહિતને તે તેણે મારી નાખ્યા. સગરે નરકનુ ભાથું ખાંધ્યું છે એમ જાણીને તથા મારા શરીરને હવે સ્વર્ગમાં લઈ જાઉં ' એમ ભાવીને તથા પેાતાના વેરનુ કારણુ સંભારીને મહાકાલ ધ્રુવે કમુખી, સેનસુખી, મહાચુલ્લી અને કિરાતરૂપિણી વિદ્યાએ (સગર ઉપર) નાખી. ત્યાં સેામવલ્લી હતી, તે છેદીને સામપાન કર્યું. આથી ત્યાં ફરતા ઘણા માણસો એ તીર્થને દિતિપ્રયાગ કહેવા લાગ્યા. પણ તેને ખરા અર્થ નહીં જાણનારાઓએ એ સ્થાનને પ્રયાગ ’ તરીકે પ્રકાશિત કર્યું. કુમાર દિવાકરદેવ વેદશ્યામપુરના અધિપતિ થયેા. બુધ અને વિબુધ એ સાધુઓને તે સમયે ગિરિતટ ગ્રામમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઇ હતી. નજદીકમાં રહેલા દેવા મહિમા કરવાને માટે આવ્યા. દેવેદ્યોતથી વિસ્મિત થયેલે રાજા દિવાકરદેવ નારદની સાથે ત્યાં ગયા; અને કેલીને વંદન કરીને સગરની ગતિ પૂછવા લાગ્યા. સગરનું નરકગમન તથા મહાકાલદેવે કરેલી વૈશાન્તિ કેલીએ કહી. તે સાંભળીને સંસારભ્રમણુથી ભયભીત થયેલા નારદે દીક્ષા લીધી, બુધ અને વિબુધ કેવલી સિદ્ધિમાં ગયા. આ તરફ નારદના પુત્રાને દિવાકરદેવે ગિરિતટ ગ્રામ આપ્યું. તેમણે બુધ અને વિષુધને એળખાવનારી પ્રતિમા આયતનમાં સ્થાપિત કરી છે. મહાકાલ દેવનું પરંપરાગત ચરિત્ર આ પ્રમાણે છે. શાંડિલ્યના મતને અનુસરતી ગ્રન્થરચના તે અનાય વેદ છે. ૧. ચાર સ ંધ્યા–સવાર, અપેાર, સાંજ અને મધ્યરાત્રિ. ૨. ‘દિતિ ના અર્થ છેદન ' થાય છે. ૩. આ લલકના પ્રારંભમાં આવતું ગિરિટ ગ્રામ તે જ આ ગિરિતટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy