SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૫ર ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ ? વસુદેવનું વેદાધ્યયન અને તેની પરીક્ષા નારદ અહીં રહેતો હતો. તેનો પુત્ર શારદ, અને તેને પુત્ર બહુરત હતા. તે પછી મમરુક, મરુભૂતિ, નારદ, વિશ્વદેવ, સુરદેવ, (દેવદેવ) એ પરંપરાએ આ ગ્રામના સ્વામીએ થયેલા છે. હે કન્દિલ! દેવદેવની પરમ રૂપવતી પુત્રી સમશ્રી કન્યાને બુધ અને વિબુધની સમક્ષ પ્રાકૃત માણસ વેદના વિષયમાં પરાજિત કરે એ શકય નથી.” આ સાંભળીને મેં ઉપાધ્યાયને કહ્યું, “બન્ને પ્રકારના વેદ હું ભણીશ, માટે એ બાબતમાં કૃપા કરો.” પછી (યોગ્ય સમયે) વેદવાદીઓ એકત્ર થતાં મને જોઈને દેવદેવ બ્રહ્મદત્તને પૂછવા લાગ્યું કે, “આ ક્યાંથી આવ્યા છે?” બ્રહ્મદરે કહ્યું, “તે મગધના વતની છે અને મારે ઘેર સ્વાધ્યાય નિમિત્ત રહે છે.” એટલે દેવદત્ત બોલ્યા કે, “તમે મને કહ્યું નહીં, તે ઠીક ન કર્યું. ” પછી કોઈ પણ વેદવિદે પરીક્ષા આપવા માટે ઈચ્છયું નહીં. આખીયે સભા સ્વિમિત સાગરની જેમ સ્થિર થઈ ગઈ. ભગિકે ગામધણીએ કહ્યું, “કેઈન બોલવા માટે ઉત્સાહ ન હોય તે બ્રાહ્મણે જેમ આવ્યા છે તેમ પાછા જાય. ફરી પાછું સંમેલન થશે.” એટલે મેં કહ્યું, “અધિકૃત પુરુષો મને ભલે પૂછે. કદાચ હું તેના જવાબ આપીશ.” મને પૂછવામાં આવ્યું. મેં સ્વર સહિત અખલિત ઉચ્ચાર કર્યો, અને તેને અમિથ્યા પરમાર્થ કહ્યો. પછી મેંગિકે કહ્યું, “હે વેદપારગામીઓ ! સાંભળે. જે કેઈએ વિદ્યાભ્યાસ કર્યો હોય તે આ વેદપારગામી વૃદ્ધોની સમક્ષ પ્રશ્નોના જવાબ આપવા માટે આવે.” પણ કઈ વેદવિદે પરીક્ષા આપવાની ઈચ્છા કરી નહીં. સ્તિમિત સાગરની જેમ સભા મૌન રહી. પછી મને ઉપાધ્યાયે કહ્યું, “ભદ્રમુખ! પ્રશ્નોના ઉત્તર આપીને કન્યારત્નને પ્રાપ્ત કર.” એટલે હું ઊડ્યો અને જિનેશ્વરોને મેં પ્રણામ કર્યા. અનુગમાં હાજરી આપવાને આવેલા ઘણું માણસોએ, કૌમુદીયુત ચન્દ્ર સમાન અને ગ્રીવા ઉપર રહેલા યજ્ઞોપવીતથી પવિત્ર એવા મને જોયો. પછી મેં વેદાર્થ પારગામી વૃદ્ધોને કહ્યું, “તમારે જે બાબતમાં સંશય હોય તે અથવા તમારે જે પૂછવું હોય તે પૂછો.” મારી ગંભીર ઘષવાળી વાચા સાંભળીને વિસિમત થયેલા, અનુયોગમાં એકત્રિત થયેલા માણસો કહેવા લાગ્યા, “એણે પૃચ્છાના અધિકારનું સન્માન કર્યું છે એમ ફ્રુટ વિષય અને અક્ષરવાળી એની વાણી જ કહે છે.” પછી મને વૃદ્ધોએ કહ્યું, “હે પ્રિયસ્વરૂપ! કહે, વેદને પરમાર્થ છે છે?” પછી મેં કહ્યું, “નૈતિક કહે છે–વિ ક્રિયાપદ જ્ઞાનના અર્થમાં આવે છે, તેને જાણે છે, તે વડે જાણે છે અથવા તેને વિષે જાણે છે તેથી વેદ કહેવાય છે. તેનો અમિથ્યાવાદી અર્થ તે તેનો પરમાર્થ છે.” વેદપારગામીઓ એથી પ્રસન્ન થયા, અને મને કહ્યું, “તેનું ફળ શું છે?” મેં કહ્યું, “ વિજ્ઞાન એ એનું ફળ છે.” તેઓએ કહ્યું, “વિજ્ઞાનનું ફળ શું છે?” મેં કહ્યું, “વિજ્ઞાનનું ફળ વિરતિ છે.” તેઓએ કહ્યું, “વિરતિનું ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy