SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - સોમશ્રી લંક [૨૪] wa અજ એટલે બકરે, તેનાથી યજન કરવું જોઈએ.” તે વખતે સત્યના પક્ષમાં રહેલી દેવતાએ તેના સિંહાસન ઉપર પ્રહાર કર્યો અને તે ભૂમિ ઉપર સ્થાપિત કરી દીધું. ઉપરિચર-ભૂમિથી અદ્ધર રહેનાર–વસુ ભૂમિચર થયા. પિતાને આવું બોલવા માટે ઉત્તેજન આપનાર બ્રાહ્મણની સામે તેણે જોયું. તેઓએ કહ્યું, “તે જ વાદને વળગી રહેવું જોઈએ.” એટલે મૂઢતાથી વસુ રાજા કહેવા લાગ્યો, “જે અર્થ પર્વતક કહે છે તે બરાબર છે.” નારદે કહ્યું, “રાજા ! પર્વતકનો પક્ષ કર્યો, હજી પણ સત્યનું અવલંબન કર, કારણ કે હજી તું ભૂમિતલ ઉપર છે.” છતાં “તારો ઉદ્ધાર અમે કરીશું” એમ બોલતા બ્રાહ્મણની પ્રેરણાથી વસુ બોલતો હતો ત્યાં જ રસાતલમાં પહોંચી ગયા. “આ પર્વતે રાજાને વિનાશ કર્યો ” એ રીતે લેકોએ પર્વતકનો ધિક્કાર કર્યો. પછી નારદ ચાલે ગયે. આ પછી વસુરાજાના આઠ પુત્રને અનુક્રમે રાજ્યાભિષેક કરવામાં આવ્યું, પણ તે સર્વેને દેવતાએ વિનાશ કર્યો. તે સમયે “હવે મને સહાયક પ્રાપ્ત થયેલ છે” એમ વિચારતો મહાકાલ દેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પર્વતકની પાસે આવ્યું. રડતા એવા તેને પર્વતકે પૂછયું, “કેમ રડે છે ?” એટલે તે બે, “સાંભળ, પુત્ર! વિષ્ણુ, ઉદક, પર્વત, ક્ષીરકદંબ અને શાંડિલ્ય એ પ્રમાણે ગૌતમના પાંચ શિખ્યા હતા. તેમાંને શાંડિલ્ય હું છું. ક્ષીરકદંબની સાથે મને અત્યંત પ્રીતિ હતી. તેને મરણ પામેલે સાંભળીને હું તારી પાસે આવ્યો છું. તેણે જે વિદ્યા શિખેલી હતી તે બધી હું તને શિખવીશ.” પર્વતકે “ભલે” કહીને એ વાત સ્વીકારી. પછી દેવે યુક્તિમતી નગરીમાં મહામારી ફેલાવી, અને પશુધના મંત્ર રચીને પર્વતને કહેવા લાગ્યો, “પર્વતક ! પુત્ર! લોકોને શાન્તિ કર, આ મંત્ર ભણ.” (પર્વતકે પશુવધ સહિત યજ્ઞો કર્યા.) મહાકાલના સાઠ હજાર આભિયોગ્ય દેવતાઓ પર્વતકને ખાત્રી કરાવવા તે વખતે કહેવા લાગ્યા, “અમે યજ્ઞના પશુઓ મરીને દેવતા થયેલ છીએ.” વિમાનમાં બેઠેલા તે દેવોએ પોતાની જાતને બતાવી. લોકો વિસ્મય પામ્યા કે, “અહો ! આશ્ચર્ય છે!” ઘેર ઘેર મહામારીનું પણ શમન થઈ ગયું. સદેહે વસુ પણ લોકોને બતાવવામાં આવ્યું. શાંડિલ્ય, દેવ અને પર્વતકના મંત્રપ્રભાવની લેકે ઉપર છાપ પડી ગઈ. પછી મહાકાલ દેવે સગરના દેશમાં મહામારી ઉત્પન્ન કરી, સગરે સાંભળ્યું કે, “ચેદી વિષયમાં શાન્તિકર્મ કરનારા બ્રાહ્મણે છે.” પર્વતક અને શાંડિલ્યને અભ્યર્થના કરવામાં આવતાં તેઓ ત્યાં(સગરના દેશમાં)ગયા. ત્યાં પશુઓનાં બલિદાનથી શાન્તિકર્મ કર્યું. આભિ ગ્ય દેવોએ પોતાની જાત બતાવીને કહ્યું, “અમે પશુઓ હતા, પણ પર્વતક સ્વામીએ મંત્રોથી અમારે વધ કરતાં દેવ થયા છીએ.” આ પ્રત્યક્ષ દેવતા–સાન્નિધ્ય જોઈને સગર ૧. મધુપિંગલને જીવ, ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy