SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૨ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : અત્યંત દર્શનીય એવા બાળકને તેણે જોયે. “અહો! આશ્ચર્ય છે! આ પ્રકારના રૂપ અને તેજથી દીપતો આ બાળક કોઈ સામાન્ય માણસને પુત્ર નહીં હોય’ એ પ્રમાણે પ્રશંસા કરતો કાલસંવર બે, “દેવિ ! ચાલે, જઈએ. ” પણ કનકમાલા ત્યાંથી ખસી નહીં ત્યારે વિદ્યાધરે કહ્યું. “દેવિ ! દેવકુમારના જેવી કાન્તિવાળા આ બાળકની તારે જરૂર છે?” કનકમાલાએ જવાબ આપ્યો “તમે આપ તે, જરૂર છે.” પછી પ્રસન્ન થયેલા વિદ્યારે એ બાળકને તેના ખોળામાં મૂક્યો અને કહ્યું “આ પુત્ર મેં તને આપે.” એ બને જણાં, દરિદ્ર લોકો જેમ ભંડાર લઈ જાય તેમ, તેને લઈને ત્યાંથી ગયાં. વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિના પશ્ચિમ ભાગમાં અમરાવતીને જાણે અંશ હોય એવું, મેઘકૂટ નામે નગર છે. ત્યાં ઉત્સવ કરવામાં આવ્યો અને જાહેર કરવામાં આવ્યું કે, “કનકમાલા દેવીએ તિરસ્કરણ વિદ્યાર્થી પોતાનો ગર્ભ પહેલાં ઢાંકી દીધો. હતો. હવે તેને દીપ્તિમાન કુમાર જમ્યા છે. પ્રદ્યુમ્ન એવું તેનું નામ પાડવામાં આવ્યું છે.” એ કુમાર ત્યાં ઊછરે છે. જ્યારે તે સોળ વરસને થશે ત્યારે પિતાનાં માતા-પિતાને મળશે.” પ્રદ્યુમ્નના પૂર્વભવ વિષે પ્રશ્ન નારદે ફરી પૂછયું, “ભગવાન બાળક જન્મે એટલામાં તેનો શત્રુ કયાંથી પેદા થયે ?” ભગવાને નારદને ઉત્તર આપે, “અનાદિ સંસારમાં વસતા જીવને તે તે નિમાં કારણવશાત્ સર્વે પ્રાણિઓ બાંધવ તેમજ શત્રુ થયેલાં હોય છે. આ બાળકને પણ સમ્યકત્વ થયું તે કાળે જે તેને પિતા હતો તે જન્માન્તરે પાછો તેને શત્રુ થયે હત, તે તું સાંભળ– પ્રદ્યુમ્ન અને સાંબના પૂર્વજન્મની કથામાં અગ્નિભૂતિ-વાયુભૂતિને ભવ ભરતક્ષેત્રમાં મગધા જનપદમાં શાલિગ્રામ નામે ગામમાં મરમ નામે ઉઘાન છે. ત્યાં સુમનસ નામે યક્ષ છે. અશોકવૃક્ષ નીચે આવેલી તેની સુમના નામે શિલા છે. ત્યાં કે એની પૂજા કરે છે. આ ગામમાં સોમદેવ બ્રાહ્મણના, અગ્રિલા નામે પત્નીથી થયેલા, અનેક શાસ્ત્રોમાં નિર્વિને જેમની બુદ્ધિ સંચાર કરતી હતી તેવા, એ પ્રદેશમાં પંડિત તરીકે સુવિખ્યાત અને ઘણું લેકે વડે માન્ય એવા અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે પુત્રે રહેતા હતા. એ સમયમાં, ચૌદ પૂર્વેને ધારણ કરનાર તથા જેમને અવધિજ્ઞાન પેદા થયું હતું એવા નંદીવર્ધન નામે અણગાર વિહાર કરતા મનોરમ ઉદ્યાનમાં સમેસર્યા. તેમની પાસે આસપાસથી લેકે આવીને સર્વસે ઉપદેશેલે ધર્મ સાંભળતા હતા અને સંશય પૂછતા હતા. તે સાધુ પણ જિનેશ્વરની જેમ યથાર્થ વ્યાખ્યાન કરતા હતા. આ પ્રમાણે કેને ૧ કાલસંવર એ મેઘટ નગરને રાજા હતા અને કનકમાલા તેની રાણી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy