SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૦૧ ] કાયેલું હોવાને કારણે ઘણી વારે કૃણે નારદને જોયા, અને કહ્યું, “ત્રાષિનું સ્વાગત હો ! હું ચિન્તામગ્ન હતું તેથી આપને જોયા નહીં.” એટલે નારદે હસતાં હસતાં કહ્યું, “કૃષ્ણ! તમને ભારે ચિતાઓ છે–જેમ કે, કયા રાજાની કન્યા રૂપાળી અથવા સ્ત્રીરત્નરૂપ હશે? અથવા કયો રાજા સેવા કરતો નથી? કે જરાસંધના પક્ષમાં કોણ કેણું છે? : ઇત્યાદિ.” કૃણે કહ્યું, “એમ નથી. મારી ચિન્તાનું કારણ સાંભળો–રુકિમણીના પુત્રને જન્મતાં વેંત જ કોઈ હરી ગયું છે, એની શોધ કરવાની હું ચિન્તા કરું છું.” દાંતની શુભ્ર કાન્તિવડે શોભાયમાન વાણું બોલતાં નારદે કહ્યું, “કૃષ્ણ! સુન્દર સંગ થયો છે, કારણ કે સત્યભામાનો પ્રસવકાળ પણ નજદીક આવ્યા છે. ચારણશ્રમણે આદેશ આપ્યા મુજબ, તેને પણ પુત્ર થશે. આથી રુકિમણનું કેશમુંડન થવાને તે સંભવ જ હવે ચાલ્યો ગયો !” એટલે કૃષ્ણ બોલ્યા, “મશ્કરી બસ કરો, જાઓ, દેવીને ધીરજ આપ. નારદ હસતાં હસતાં રુકિમણ પાસે ગયા. કિમણીએ કહ્યું, “આર્ય! તમે મારા પુત્રના સમાચાર લાવશે, એવી મને તે આશા હતી. તમે પણ આમ કહો છો એથી હું શેકાતુર થઈ છું. ” આથી અનુકંપા પેદા થતાં નારદે કહ્યું, “રુકિમણિ! શોક મૂકી દે. હું તારા પુત્રને ખોળી કાઢ્યા સિવાય ફરી તને મેં નહીં બતાવું. આ મારો નિશ્ચય છે. ” આમ કહીને નીલકમળનાં પાત્રોના રાશિ જેવા શ્યામ ગગનમાં નારદ ઊડ્યા. પ્રદ્યુમ્નના હરણ વિષે સીમંધર જિનને નારદને પ્રશ્ન પછી નારદે વિચાર કર્યો કે, “પહેલાં અહીં અતિશય-જ્ઞાની કુમારશ્રમણ અતિમુક્તક સંશયોના ખુલાસા આપનાર હતા; પણ હાલમાં પશ્ચિમ વિદેહમાં સીમંધર નામે તીર્થકર વિહરે છે, તેમના ચરણમાં હું જાઉં, આ બાબતનો ખુલાસો તેઓ કરશે.” આ પ્રમાણે સંકલ્પ કરીને ક્ષણવારમાં નારદ અરિહંતની પાસે ગયા. ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને નારદે પૂછયું, “ભગવન્! તારવતીમાં વાસુદેવ કૃષ્ણની પટ્ટરાણી રુકિમણીના પુત્રને જન્મતાં વેંત જ કેણ હરી ગયું હશે ?” ભગવાને કહ્યું, “ધૂમકેતુ નામે તિષ્ક દેવે શત્રુવટથી તેનું હરણ કરીને ભૂતરમણ અટવીમાં “આ અહીં સૂર્યના તાપથી સોસાઈ જશે' એમ વિચારીને શિલાતલ ઉપર મૂકી દીધો હતો. કાલસંવર અને કનકમાલા નામે વિદ્યાધરનું જોડું પ્રભાતે તેના ઉપર થઈને જતું હતું. પેલો બાળક ચરિમશરીરી હોવાના દેવગથી વિદ્યાધર-મિથુનની ગતિ પ્રતિહત થઈ. “શું અહીં કોઈ સાધુ તપ કરતા રહેતા હશે ?” એમ વિચાર કરતું તે જોડું નીચે આવ્યું, તે પિતાના તેજથી તેમજ મુદ્રાના રત્નનાં કિરણોથી દીપતા તથા ૧. રુકિમણીની આ ઉક્તિ એવી છે કે ત્યાર પહેલાં નારદે તેને કુમારના સમાચાર વિષે પિતાનું અજ્ઞાન દર્શાવતું વાકય કહ્યું હોવું જોઈએ, પરંતુ મૂળમાં એવું કંઈ નથી. આથી મૂળ ગ્રન્થમાંથી એકાદ-બે વાક્ય પડી ગયાં હોય એ સંભવ લાગે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy