SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૦૩ ] તે સાધુની સેવા કરતા જોઈને સોમદેવ બ્રાહ્મણના પુત્ર કહેવા લાગ્યા, “આ અજ્ઞાન લોકો અમારી અવજ્ઞા કરીને શ્રમણની પાસે જાય છે. એવું કયું જ્ઞાન છે, જે અમારાથી અજાણ્યું હોય?” તેમણે પિતાની આજ્ઞા માગી, “તાત! મનેરમ ઉદ્યાનમાં કઈ મુનિ આવીને રહ્યો છે. લોકો ત્યાં જાય છે. અમે તે મુનિની સાથે વાદ કરીશું, માટે રજા આપે.” પિતાએ કહ્યું, “ઉપાધ્યાયને ધન આપીને સંતુષ્ટ કરીને મેં તમને ભણાવ્યા છે. તમે શા માટે પરાભવ સહન કરો છો? એ શ્રમણને પરાજય કરો.” લેકેની સાથે તે બે જણા મુનિની પાસે ગયા, અને થોડેક દૂર ઊભા રહીને બોલ્યા, “અરે શ્રમણ ! તારી સાથે વાદ કરવાને માટે અમે આવ્યા છીએ. તું શું જાણે છે તે કહે, એટલે અમે તને ઉત્તર આપીએ.” હવે, તે આચાર્યનો અવધિજ્ઞાની અને વાદકળામાં કુશળ એવા સત્ય નામે શિષ્ય સુમના શિલા પાસે પ્રસન્ન ચિત્તે બેઠો હતો. તેણે સાદ કરીને કહ્યું, “અરે બ્રાહ્મણો! પાડાના જેવા ન થશે, જે કહેવાનું હોય તે કહે.” એટલે તેઓ તેની પાસે જઈને બેલ્યા, “અરે શ્રમણ ! “પાડાના જેવા” એમ કેમ કહે છે?” સત્યે કહ્યું, “સાંભળે– પાડાનું ઉદાહરણ કેઈ એક અરણ્યમાં માત્ર એક જ જળાશય હતું. અરણ્યવાસી ચોપગાં પશુઓ તૃષાતુર થઈને તે સ્થળે આવતાં હતાં તથા પાણી પી શાન્ત થઈને જ્યાંથી આવ્યાં હોય ત્યાં પાછાં જતાં હતાં. એક પાડે એ જળાશયમાં સ્નાન કરીને પિતાનાં શીંગડાવડે, જ્યાં સુધી પાણી ડહોળું થઈ જાય ત્યાં સુધી, ખોદતો હતો. એટલે તે પાણી તેને પિતાને કે બીજા પ્રાણુઓને પીવાને માટે નકામું બની જતું. આ દષ્ટાન્ત છે. જે અરણ્ય તે સંસારરૂપી અરણ્ય સમજવું, પાને સ્થાને આચાર્ય સમજવા, પશુઓને સ્થાને ધર્મ સાંભળવાની અભિલાષા રાખતાં પ્રાણિઓ સમજવાં. તમે ધર્મકથામાં વિદન કરનારા પાડા જેવા ન થશે. એટલા માટે જ મેં તમને સાદ કરીને લાવ્યા હતા. ” એટલે પેલા બે બ્રાહ્મણોએ કહ્યું, “અમે આ મુનિ સાથે વાદ કરવાને માટે આવ્યા હતા. જે તમને પરાજિત કરવાથી તમારા ગુરુ પણ પરાજિત થયા ગણાય, તે તમારી સાથે વાદ કરવો યોગ્ય છે. નહીં તો પાડા જેવા અમે કદાચ તમારે માટે સિંહ સરખા બની જઈશું.” સત્યે કહ્યું, “એમજ છે; તમે મને જીતે.” તેઓએ પૂછયું, “પરાજિત થનારને શી સજા કરવી?” સાધુએ કહ્યું, “જે તમને યોગ્ય લાગે તે.” તેઓ બેલ્યા, “જો તમે અમારે પરાજય કરશે તે અમે તમારા શિષ્ય બની જઈશું. જે તમે પરાજિત થાઓ તો તમારે બધાએ અહીંથી ચાલ્યા જવું.” આ પ્રમાણે નકકી થયા બાદ મધ્યસ્થની સમક્ષ સત્યે તેમને કહ્યું, “તમારી જે ઈચ્છા હોય તે મને પૂછો.” તેઓએ જવાબ આપ્યો કે, “વેદના પારગામી એવા અમને તે કંઈ સંશય નથી. તમારે જે પૂછવાનું હોય તે પૂછો.” સાધુએ કહ્યું, “જે મારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy