SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૮ ] વસુદેવ–હિડી : : પ્રથમ ખંડ: કદલીગૃહાના મધ્યભાગમાં ડૅમનાં જાળિયાંથી અલંકૃત ચાક રચ્યા. પછી પુત્ર સહિત તીર્થંકર-માતાને મણુિકિરણા વડે રંજિત સિ ́હાસન ઉપર બેસાડીને તથા અનુક્રમે સ્નેહાભ્યંગ અને મન કરીને, દક્ષિણ-પશ્ચિમ દિશામાં ત્રિવિધ (દ્રવ્યમિશ્રિત, શીત અને ઉષ્ણુ) જળ વડે સ્નાન કરાવી તેમના મનને પ્રફુલ્લિત કરી, તે દિશાકુમારીએએ ઉત્તર તરફની પરસાળમાં ગેાશીષ ચંદન અને અણુિનાં કાષ્ઠથી સળગાવેલા અગ્નિમાં હામ કર્યાં. રક્ષાકર્મ કરીને તે બન્નેને જન્મભવનમાં પાછાં લાવવામાં આવ્યાં. પછી મંગલ ગીતા ગાતી તે દિશાકુમારીએ ત્યાં ઊભી રહી. દેવાએ કરેલા શ્રીષભદેવના જન્માત્સવ તે સમયે દેવરાજ શક્ર ખાલસૂર્યના બિંબ જેવા દૈદ્રિષ્યમાન પાલક વિમાનમાં બેસી ગગનપ્રદેશને અ ંધકારરહિત કરતા પેાતાના પરિવાર સહિત જિનેશ્વરની જન્મભૂમિમાં આવ્યે. તીર્થંકરની માતાની કમનેાહર વાણીથી સ્તુતિ કરીને, મરુદેવીને અવસ્વાપિની વિદ્યા વડે ઊંઘાડી દઇ, કુમારનું પ્રતિરૂપ વિષુવી, તે માતાના પડખામાં મૂકી તથા એ રીતે માતાને નિશ્ચિન્ત મનાવી, પરમ આદરપૂર્વક પાંચ રૂપ ધારણ કરી તથા ભગવાનને પેાતાના કરકમલના પુટમાં સારી રીતે બેસાડીને મદર પર્વતના ચૂડામણિ સમાન અને એ પર્વતના દક્ષિણ દિશાભાગમાં આવેલી અતિપાંડુક બલશિલા ઉપર ક્ષણવારમાં ભગવાનને ઇન્દ્ર લાબ્યા; અને ચતુર્વિધ (વૈમાનિક, જાતિષ્ઠ, ભવનપતિ અને બ્યન્તર) દેવે। જેની સેવા કરી રહ્યા છે એવા ભગવાનને શાશ્વત સિંહાસન ઉપર બેસાડીને સહસ્રનયન ઈન્દ્ર ઊભા રહ્યો. પછી રિતેષથી જેનું મુખારવિન્દ વિકસિત થયું છે એવા અચ્યુતેન્દ્રે ક્ષીરાદ સાગરના જળથી ભરેલા ૧૦૦૮ કનકકલશેા વડે વિધિપૂર્વક ભગવાનને અભિષેક કર્યો અને અનુક્રમે સ ઔષધિ અને તીર્થોદકથી તેમને સ્નાન કરાવ્યું. જ્યારે લેાકનાથ શ્રીઋષભદેવને સ્નાન કરાવવામાં આવતું હતું ત્યારે પ્રસન્ન હૃદયવાળા દેવા રત્ન, મણિ અને પુષ્પાની વૃષ્ટિ કરતા હતા. ભગવાનને વિધિપૂર્વક અભિષેક કરીને અચ્યુતેન્દ્ર પ્રયત્નથી તેમને અલંકારો અને આભૂષણા પહેરાવ્યાં. પછી સ્વસ્તિક આદિ મંગલ આલેખ્યાં, નાસિકા અને મનને પ્રિય લાગે એવા ધૂપ કર્યાં અને કર્ણ મધુર સ્તુતિ કરીને ભગવાનની સેવા કરવા લાગ્યા. એજ પ્રમાણે ભક્તિ વડે પ્રેરાયેલા પ્રાણત આદિ ઇન્દ્રો પણ જેમણે ભયને દૂર કર્યા અને ભવ્યજનેરૂપી કુમુદને ખિલવવા માટે જે ચદ્રસમાન છે એવા તીર્થંકરની અત્યંત આદરથી પૂજા કરીને પ્રસન્ન મનવાળા અને સ્તુતિપરાયણુ બનીને ઊભા રહ્યા. પછી એજ રીતે ઇન્દ્ર ક્ષણવારમાં ભગવાનને તેમના જન્મ-ભવનમાં માતાની પાસે લાવ્યેા. જેમની પાસેથી પુત્રનુ પ્રતિરૂપ લઇ લેવામાં આવ્યું છે એવાં મરુદેવી, દેવીએએ જયશબ્દ કરતાં, જાગી ઊઠાં. ઇન્દ્રે રેશમી વસ્રોની જોડ અને કુંડલ-યુગલ ઓશીકાની નીચે મૂકયુ, તથા શ્રીભાજનની જેમ સર્વ વિઘ્નાનું શમન કરનાર અને ષ્ટિને આનંદ આપનાર શ્રીદ્યામગઢ (પુષ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy