SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ ૨૫ ] રાજાએ પૂછયું, “આ દેવોને સંપાત શાથી છે?” મહાવીરસ્વામીએ જવાબ આપે કે, “પ્રસન્નચંદ્ર અણગારની કેવલજ્ઞાન-ઉત્પત્તિથી હર્ષ પામેલા દેવો અહીં આવ્યા છે.” ત્યારે રાજાએ પૂછયું, “આ મહાનુભાવ કેવલજ્ઞાન કોનાથી વિચ્છેદ પામશે? અર્થાત છેલો કેવલજ્ઞાની કોણ થશે?” તે સમયે બ્રહ્મનો સામાનિક વિદ્ય—ાલો દેવ ચાર દેવીઓની સાથે દશે દિશાને તેજસ્વી કરતો ભગવાનને વંદન કરવા આવ્યું હતું. તેને બતાવીને ભગવાને કહ્યું, “આનાથી વિચ્છેદ પામશે.” રાજા ફરી પૂછવા લાગ્યા, “શું દેવ કેવલી થાય ખરે? વિશુદ્ધ ચારિત્ર્યવાળા એવા છેલ્લા મનુષ્યભવમાં કેવલજ્ઞાન થાય છે એમ તો આપે જ વર્ણવ્યું હતું.” ભગવાને કહ્યું, “આ દેવ આજથી સાતમા દિવસે ચવીને મનુષ્યદેહ પામશે.” ત્યારે શ્રેણિકે પૂછયું, “અવનકાળે દેવોનું તેજ હીન થાય છે, ત્યારે આ તો પિતાના તેજથી સૂર્યને પણ પરાસ્ત કરે છે. એવું શાથી છે?” ભગવાને જવાબ આપે, “અત્યારે તે આ દેવનું તેજ ક્ષીણ થઈ ગયું છે, પહેલાં આની તે જેલેશ્યા અનંતગણું વધારે હતી. ” રાજાએ પૂછયું, “આ દેવે પૂર્વભવમાં એવું તે શું કર્યું હતું, જેથી એની આટલી તેજઃસંપત્તિ છે?” ભગવાન કહેવા લાગ્યા— જંબુસ્વામીની પૂર્વભવ-કથામાં ભવદત્ત અને ભવદેવને સંબંધ “આજ જનપદમાં સુગ્રામ નામે ગામ છે. તેમાં આર્યવ નામે રાષ્ટ્રકૂટ રહેતો હતો. તેની રેવતી નામે ભાર્યા હતી; અને ભવદત્ત અને ભવદેવ એ બે પુત્રો હતા. એમાંના મોટા ભવદત્ત યુવાવસ્થામાં આવતાં જ સુસ્થિત અનગારની પાસે દીક્ષા લીધી અને ગુરુની સાથે વિચારવા લાગ્યા. એક વાર એક સાધુએ આચાર્યને વિનંતિ કરી કે, “આપની અનુજ્ઞા લઈને હું મારાં સગાંવહાલાંઓની પાસે જવા ઈચ્છું છું. ત્યાં મારો નાનો ભાઈ છે. તે મારામાં અત્યંત સનેહ ધરાવે છે અને મને જોઈને જ દીક્ષા લેશે.” પછી આચાર્ય બહBત સાધુઓની સાથે તેને મેકલ્ય, પણ સગાંઓની પાસેથી પાછા વળીને એ સાધુ ગુરુની પાસે કહેવા લાગ્યો કે, “મા-બાપ મારા ભાઈનું લગ્ન કરવા ઈચ્છે છે; કન્યા પણ મળી ગઈ છે. આથી તેણે દીક્ષા લીધી નહીં.” ત્યારે ભવદતે કહ્યું, “તમારા ભાઈ તે કેવા છે કે – ભલે તેમને લગ્નને સમય હતે છતાં–લાંબા કાળે મળેલા ભાઈની સાથે પણ ન આવ્યા ?” પેલા સાધુએ જવાબ આપે, “તમારા ભાઈ દીક્ષા લેશે તે જોઈશું. ” ભવદત્તે કહ્યું, “જે ક્ષમાશ્રમણે એ તરફ વિહાર કરે તો મારા ભાઈને દીક્ષા લેતે જોશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy