SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : વિહાર કરતા આચાર્ય મગધા જનપદમાં ગયા, ત્યાં ભવદત્તે વિનંતિ કરી, “ભગવન્! મારા સંબંધીઓને મળવા ઈચ્છું છું.” બીજા સાધુઓની સાથે ગુરુએ ભવદત્તને મોકલ્યા. એ સમયે નાગદત્તની પુત્રી, વાસુકીની આત્મા (ગર્ભજા) નાગિલાની સાથે ભવદેવને વિવાહ થયા હતા. ભવદત્ત પિતાના સંબંધીઓ પાસે ગયા. તેમના આગમનથી સંબંધીઓ ખુશ થયા. ભવદત્તે તેમનું કુશળ પૂછયું અને કહ્યું, “હું જાઉં છું, કારણ કે તમે કાર્યમગ્ન છો.” પણ ઘણે આગ્રહ કરીને સંબંધીઓએ તેમને વિપુલ આહાર વહોરાવ્યો. તે વખતે ભદેવ સખીઓ સહિત બેઠેલી પોતાની વધને શણગાર પહેરાવતા હતા. વડિલનું આગમન સાંભળીને તે સફાળો ઊડ્યો, ત્યારે સખીઓએ કહ્યું, “ અધીર શણગારેલી વધૂને મૂકીને જવું આપને માટે યોગ્ય નથી.” ભવદેવે કહ્યું, “બાલિકાઓ! વડિલને પ્રણામ કરીને હું હમણાં જ આવ્યું એમ જાણે.” પછી તે ઘરમાંથી બહાર નીકળ્યા અને મોટાભાઈને પ્રણામ કર્યા. મોટાભાઈએ ઘી ભરેલું વાસણ ભવદેવના હાથમાં આપ્યું; અને સાધુઓ ત્યાંથી ચાલ્યા. ભવદેવ પણ હાથમાં વાસણ લઈને પાછળ પાછળ ચાલ્યો. પહેલાં સ્ત્રીઓ પાછી વળી, પછી થોડેક દૂર જઈને પુરુષ પણ પાછા વળ્યા. તેઓએ ભવદેવને કહ્યું, “સાધુ તો સાવદ્ય (નિઘ) વચન બેલે નહીં, માટે હવે તમે પાછા વળે.” પરંતુ મને કહ્યા સિવાય કેમ પાછો વળું ?” એમ વિચાર કરતે ભવદેવ ભવદત્તને ઉપાયપૂર્વક પોતાનાં અને પરાયાં ખેતરો, પુષ્કરિણીઓ અને વનખંડ બતાવવા લાગ્યું. ભવદત્ત પણ “જાણું છું, યાદ છે” એમ બોલતા રહ્યા. એમ કરતાં ગામની સીમમાં પહોંચ્યા, બીજું ગામ પણ નજીક આવ્યું. પણ ભવદત્ત પોતાના ભાઈને “પાછો વળ” એમ કહેતા નથી. એ પ્રમાણે ચાલતાં ગુરુ પાસે પહોંચ્યા. વરનો પોશાક પહેરેલા ભવદેવને સાધુઓએ જે. સુકલકો બોલવા લાગ્યા કે, “જયેષ્ઠ આર્યો જેમ કહ્યું હતું તેમજ કર્યું. ” આચાર્યો પૂછયું, “આ તરુણ કેમ આવ્યો છે?” ભવદતે જવાબ આપે, “દીક્ષા લેવાને માટે.” ગુરુએ કહ્યું, “એમ કે ?” મોટાભાઈનું અપમાન ન થાય તે ખાતર ભવદેવે પણ હા” કહીને એ વસ્તુ સ્વીકારી. પછી ભવદેવને દીક્ષા આપવામાં આવી અને સાધુસમુદાયની સાથે બીજે સ્થળે મોકલવામાં આવ્યા. એટલામાં ભવદેવનાં સ્વજનોએ આવીને પૂછયું કે “ભવદેવ ક્યાં ગયો?” ત્યારે ભવદત્તે કહ્યું, “એ તો અહીં આવીને તુરત જ પાછો ગયે છે.” આમ કહેવામાં આવતાં તે સ્વજને “ભવદેવ બીજા માળે પાછો વન્ય હશે” એમ વિચારીને એકદમ પાછાં વળ્યાં. આ તરફ અકામક ભવદેવ પિતાની ભાર્યાને હદયમાં ધારણ કરતો બ્રહ્મચર્ય પાળવા લાગ્યો. ઘણુ કાળ પછી ભવદત્ત અનશન કરીને સમાધિથી કાળધર્મ પામીને શક્રને સામાનિક દેવ થયા. હવે, ભદેવ પિતાની સ્ત્રીને યાદ કરીને તે મારી પત્ની છે, હું તેને પ્રિય પતિ છું; માટે એના સમાચાર મેળવવાને જાઉં” એમ વિચાર કરતો વિરને પૂછયા વગર ચાલી નીકળ્યો. સુગ્રામ ગામની બહાર એક મન્દિર હતું, અને તેનાં બારણાં બંધ કરેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy