SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ ૨૭ ] હતાં; તેની પાસે વિશ્રામ લેવાને માટે તે બેઠા. ત્યાં એક સ્ત્રી ગંધ-માલ્ય લઈને એક બ્રાહ્મણીની સાથે પૂજા કરવાને આવી. તેણે સાધુવેશે જોઇને ભદેવને વંદન કર્યું. ભવ દેવે તેને પૂછ્યું, “ શ્રાવિકા ! તુ અહીં રહે છે, એટલે ચાક્કસ જાણતી હાઇશ કે આર્યવ રાષ્ટ્રકૂટ કે રેવતી જીવે છે ? ” ત્યારે પેલીએ જવાબ આપ્યા કે, “ એમને કાળધર્મ પામ્યાંને ઘણા સમય વીતી ગયા છે. ’’ આ સાંભળી ઉદાસ થયેલા ભવદેવે ફરી પૂછ્યું, “ અને ભવદેવની વધુ નાગિલા જીવે છે ? ” પેલીએ વિચાર કર્યાં કે, “ નક્કી આ ભવદેવ હશે, માટે પૂછી જોઉં. ” પછી તેણે પૂછ્યું કે, “ તમે ભવદેવને કચાંથી એળખા ? અને અહીં શા માટે આવ્યા છે ? ” એટલે ભવદેવે જવાબ આપ્યું કે, “હું આવના નાના પુત્ર ભવદેવ છું. વધૂની રજા લીધા સિવાય મારા વડેલ ભાઇની ઇચ્છાનુસાર મે દીક્ષા લીધી. મારા ભાઈ મરણ પામતાં, ‘હું અનભિજાત-અકુલીન ન ગણુાઉં ' એટલા માટે નાગિલાને મળવા આવ્યેા છું. ” પેલી સ્રોએ કહ્યું, “હું જ તે નાગિલા છું. તમે લાંબા કાળ સુધી તપ કર્યું છે. આટલા કાળ પછી જેને તમે મળવા આવ્યા છે. એવી હું તમારી પત્ની શી રીતે ગણુાઉં ? તમે દીક્ષા લીધા બાદ, વિડલાવડે પૂજાતાં સાધુસાધ્વીએ કેટલીક વાર અહીં આવતાં હતાં, અને અમારા ઘરમાં રહેતાં હતાં. તેમણે આ વિષયમાં કેટલીક વાર કહેલુ એક કથાનક સાંભળેા— ભાપિપાસાથી પાડાના અવતાર પામેલા બ્રાહ્મણપુત્રની કથા "" “ એક બ્રાહ્મણ પત્ની મરણ પામતાં પેાતાના નાના પુત્રને લઈને ઘરમાંથી નીકળી પડ્યો, અને જેણે વસ્તુઓના ભાવ જાણ્યા છે એવા તેણે મેાક્ષમાની શેાધ કરતાં સાધુની પાસે દીક્ષા લીધી. પેલે છેાકરી શીત ભાજન, વિરસ પાન, ખુલ્લા પગ, કર્કશ શય્યા, અસ્નાન વગેરે કારણેાથી દુ:ખ પામતા હતા, તેને કેટલાક વખત સુધી તેા વૃધ્ધે યતનાપૂર્વક રાખ્યા, પણ એક વાર તેણે કહ્યું, “ હે વડિલ ! હવે જાઉં છું, હવે હું ગૃહવાસમાં રહીશ. 6 તારા જેવા ધ હીનનુ મારે પણ શું કામ છે ? ’એમ કહી વૃદ્ધે પણ તેના ત્યાગ કર્યો. તે પેાતાના સહવાસી લેાકેામાં ગયા. ત્યાં બધાએ એને ઓળખ્યા. પછી તે એક બ્રાહ્મણના ઘરમાં રહેવા લાગ્યા. કેટલાક સમય પછી પેલા બ્રાહ્મણે એને પેાતાની પુત્રીનુ વાગ્નાન કર્યું. એટલે ભાગની પિપાસાવાળે તે બધુ કામ કરવા લાગ્યા. વિવાહુકાળે ચાર લેાકા એ દંપતીનું અપહરણ કરી ગયા. આત્તે ધ્યાનમાં રહેલા તે ભાગપિપાસુ યુવક મરીને પાટા થયેા. હવે, તેના પિતા દેહત્યાગ કરીને દેવલેાકમાં ગયા હતા. ત્યાંથી પુત્રસ્નેહથી જોતાં એને પાડા થયેલા જાણ્યા. આથી કસાઇનુ રૂપ ધારણ કરીને તેણે એ પાડાને ગેાવાળિયા પાસેથી ખરીદ્યો. પછી એને લાકડીથી મારતા મારતા કસાઇએ ( જેમને દેવે જ ઉત્પન્ન કરેલા હતા ) ત્યાંથી હાંકી જવા માંડ્યા. દેવે પેલા વૃદ્ધનું રૂપ ધારણ કરીને પેાતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy