SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : ' જાતને પાડાની આગળ બતાવી. આ જોઇને પાડાને વિચાર થયા કે, “ આવું રૂપ મે કળ્યાં જોયુ છે ? આમ વિચાર કરતાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયના ક્ષયાપશમથી તેને જાતિસ્મરણ થયું, અને “ હે વિઠલ ! મને બચાવા ” એ પ્રમાણે તે ખૂમ પાડવા લાગ્યા. ત્યારે પાતે જ બનાવેલા કસાઈઓને વૃદ્ધ કહેવા લાગ્યા, “ અરે કસાઇએ ! આને પીડા કરશે! નહીં, એ મારે। ક્ષુલ્લક ( નાના શિષ્ય ) છે. ” કસાઇઓએ જવાબ આપ્યા, “ એ તમારું કાં સાંભળે છે? માટે અહીંથી ચાલ્યા જાએ. ” છેવટે જ્યારે દેવે જાણ્યુ કે, ‘મારા પુત્રે હવે ધર્મના સ્વીકાર કર્યા છે' ત્યારે કસાઇઓને વિનંતી કરીને પાડાને મૂકાવ્યા. દેવે એને ધર્મોના ઉપદેશ આપ્યા, અને પછી તે અનશન કરીને કાળધર્મ પામતાં સૌધર્મ કલ્પમાં દેવ થયે. આ પ્રમાણે એ બ્રાહ્મણપુત્રને તેના પિતાએ તિર્યંચની દુર્ગતિમાંથી ઉગાર્યાં. તમારા વિડેલ ભાઇ પણ દેવલેાકમાં ગયેલા છે. તમારું સાધુરૂપ જોઇને તેઓ શું તમને પ્રતિમેધ પમાડવાના વિચાર નહીં કરે ? તમે પ્રમત્તાવસ્થામાં રહીને આ અશાશ્વત જીવનને અંતે કાળધર્મ પામીને સંસારમાં ભમશેા નહીં; ગુરુની પાસે પાછા જાએ. ” નાગિલાની સાથે જે બ્રાહ્મણી આવી હતી તેના પુત્ર દૂધપાક જમીને એ વખતે ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા. માતા ! એક ઠીખડું લાવ, તેમાં દૂધપાકનું વમન કરી નાખું; કારણ કે તે અતિશય સ્વાદિષ્ટ છે, માટે હું ફરીથી જમીશ. અત્યારે તે દક્ષિણાને માટે ખીજે જમવા જાઉં છું, ” ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, “ પુત્ર ! વમન કરેલુ અન્ન ખવાય નહીં, માટે દક્ષિણા લેવાનુ ખસ કર. વત્સ! તુ હવે સુખપૂર્વક રહે. ” ભવદેવને પણ આ વચન સાંભળીને શુદ્ધ બુદ્ધિ પેદા થઇ કે, “ આ બ્રાહ્મણી સાચું કહે છે. વમન કરેલું ખાનાર જુગુપ્સાને પાત્ર થાય છે. ” ( અર્થાત્ વમન કરેલું અન્ન ખાનાર આ બ્રાહ્મણુ જેમ જુગુપ્સાને પાત્ર થાય તેમ વમન કરેલા-ત્યાગેલા સંસારને હું સ્વીકાર કરું તેા હુ' પણ તેવા જ ગણાઉં. ) પછી તે નાગિલાને કહેવા લાગ્યા, “તમારાથી પ્રતિઆધ પામેલા હુ ગુરુ પાસે જઇને પરલેાકનું હિત આચરીશ; પણ સ્વજનાને હું મળી ” નાગિલાએ કહ્યું, “ ધમા માં વિઘ્ન કરનાર સ્વજનાનું પણ તમારે શું કામ છે ? માટે તમારા કાર્યમાં નિશ્ચિત થઇને જાએ. હું પણુ સાધ્વીની પાસે દીક્ષા લઇશ. ” નાગિલાનાં આ વચનાને પ્રમાણ કરતા ભદેવ જિનબિંબને વંદન કરીને ગયા. ગુરુની પાસે આલેચ ના અને પ્રતિક્રમણ કરીને નિર્વિકાર થયેલા એવા તે સાધુપણું પાળીને કાળધર્મ પામીને દેવરાજ શક્રના સામાનિક દેવ થયા. ' લ સાગરદત્ત અને શિવકુમારના ભવના વૃત્તાન્ત ભવદત્ત દેવ પેાતાના આયુષ્યને ક્ષય થતાં ચ્યવીને પુકલાવતી વિજયમાં પુ’ડરી કણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy