SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - ----- - - - - - - - -- -- --- --- --- - - [ ૨૪ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પિતા કેવી રીતે રહેતા હશે?” એમ વિચારતાં પિતાના દર્શન માટે ઉત્સુક બને તે પ્રસન્નચંદ્ર પાસે જઈને પગે પડી કહેવા લાગ્યો, “દેવ! મને રજા આપો. પિતાને મળવા માટે હું ઉસુક થયે છું.પ્રસન્નચંદે કહ્યું, “આપણે બે સાથે જ જઈએ.” પછી તેઓ આશ્રમમાં ગયા. ત્યાં સોમચંદ્ર ષિને નિવેદન કરવામાં આવ્યું કે, “ પ્રસન્નચંદ્ર પ્રણામ કરે છે.” પિતાને પગે પડેલા પ્રસન્નચંદ્રને ષિએ પોતાના હાથવડે પંપાળીને પૂછ્યું, પુત્ર! તું નીરોગી છે?” પછી વકલચીરીને આલિંગન કરીને લાંબા કાળથી ધારણ કરી રાખેલાં અશ્રુ પાડતાં એ ઋષિનાં નયન ખુલી ગયાં અને પિતાના અને પુત્રને પરમ પ્રસન્ન થયેલા તેમણે જોયા, તથા સર્વ રાજ્યનું કુશળ પૂછયું. “લાંબા કાળથી જેની સંભાળ લેવાઈ નથી એવાં પિતાનાં ઉપકરણે કેવાં થઈ ગયાં છે, એ તો જે” એમ વિચાર કરતાં વકલચીરી ઝુંપડીમાં ગયે; અને યતિ જેમ પાત્રકેસરિકાથી પાત્ર સાફ કરે તેમ પિતાનાં ઉત્તરીયથી એ ઉપકરણે સાફ કરવા માંડ્યો. “આ જ પ્રકારનું કાર્ય આ પહેલાં મેં કયાં કર્યું છે? ” એ પ્રમાણે સ્મરણ કરતાં એ કાળે આવરણના ક્ષયથી તેને જાતિસ્મરણ-પૂર્વજન્મનું સ્મરણ થયું. પછી તે પિતાના પૂર્વકાળના દેવ-મનુષ્યના ભવ અને પૂર્વે પામેલું સાધુપણું સ્મરવા માંડ્યો, અને સ્મરીને વૈરાગ્ય પામ્યો. ધર્મધ્યાનના વિષયથી પર બનેલે તથા જેને વિશુદ્ધ પરિણામ થયે છે એ તે બીજા શુકલ ધ્યાનની ભૂમિકા ઓળંગી ગયે અને મેહનીય કર્મ, જ્ઞાનાવરણ–દર્શનાવરણ કર્મ અને ઘાતી કર્મ જેનાં ક્ષય પામ્યાં છે એવા તેને કેવલજ્ઞાન થયું અને તે સાધુ બન્યો. પિતાના પિતાને તથા પ્રસન્નચંદ્ર રાજાને તેણે જિનેપદિષ્ટ ધર્મ કહો. જેમણે સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે એવા તે બન્નેએ “આપે એગ્ય માર્ગ બતા” એમ કહીને પિતાના મસ્તકથી કેવલીને પ્રણામ કર્યા. પ્રત્યેકબુદ્ધ (જેને કઈ એક નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થયું છે) એ વલ્કલચીરી પિતાને લઈને મહાવીર વર્ધમાન સ્વામીની પાસે ગયે. પ્રસન્નચંદ્ર પણ પિતાના નગરમાં ગયે. પિતાના ગણ સહિત વિહાર કરતા જિન ભગવાન પિતનપુરમાં મનરમ નામના ઉદ્યાનમાં સમોસર્યા. વકલચીરીનાં વચનથી જેને વૈરાગ્ય પેદા થયેલ છે તથા તીર્થંકરની પરમ મનહર વાણીરૂપી અમૃતથી જેને ઉત્સાહ વૃદ્ધિ પામ્યા છે એવા પ્રસન્નચંદ્ર બાળક પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને સાધુ બન્યા. જેણે સૂત્ર અને અર્થ જાણ્યાં છે તથા તપ અને સંયમથી જેની મતિ શુદ્ધ બની છે એવા પ્રસન્નચંદ્ર મગધાપુર(રાજગૃહ)માં આવ્યા, અને ત્યાં આતાપના લેતા હતા ત્યારે તારા પિતા શ્રેણિકે તેમને આદરપૂર્વક વંદન કર્યું હતું. હે કુણિક રાજા ! રાજા પ્રસન્નચંદ્ર આ પ્રકારે દીક્ષા લીધી હતી.” જે સમયે ભગવાન મહાવીર સ્વામી નારક અને દેવગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિને ગ્ય એ પ્રસન્નચંદ્રને ધ્યાન પ્રત્યય વર્ણવતા હતા તે સમયે તે પ્રદેશમાં દેવે ઉતર્યા. શ્રેણિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy