SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કથાની ઉત્પત્તિ [ ૨૩ ] કરી. તેનાં વકલ ઉતારી લેવામાં આવ્યાં અને વસ્ત્રાભરણ પહેરાવીને ગણિકાપુત્રીની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. “મારે આ ઋષિવેશ દૂર કરશે નહીં” એમ બેલતા વલકલચીરીને ગણિકાઓ કહેવા લાગી કે, “જે કે આવાસની ઈચ્છાવાળે અહીં આવે છે તેને આ રીતે જ સત્કાર કરવામાં આવે છે. ” પછી તે ગણિકાઓ વધૂ-વરનાં ધવલમંગલ ગાવા લાગી. હવે, વલ્કલચીરીને લોભાવવા માટે ઋષિવેશધારી જે ગણિકાપુત્રીઓને વનમાં મેકલવામાં આવી હતી તે આવીને પ્રસન્નચંદ્રને કહેવા લાગી કે, “કુમાર તે વનમાં ચાલ્યા ગયા. ઋષિના ભયને લીધે અમે તેમને બોલાવી શક્યાં નહીં.” ત્યારે વિષાદ પામેલે રાજા વિચાર કરવા લાગ્યો કે, “અહો ! અકાર્ય થયું. કુમાર પિતા પાસે ગયો નથી, અહીં પણ આવ્યો નથી, તે કોણ જાણે કયાં ગયે હશે?” આ પ્રમાણે ચિન્તા કરતે બેઠે, એટલામાં તેણે મૃદંગને શબ્દ સાંભ. શ્રવણને દુઃખ આપનાર એ શબ્દ સાંભળીને તેણે કહ્યું, “હું જ્યારે દુઃખી છું ત્યારે કયે સુખી સંગીત-વિનોદ કરે છે?” ગણિકાને તેના હિતવી કઈ માણસે આ જણાવ્યું. એટલે ગણિકા ત્યાં આવી અને પ્રસન્નચંદ્ર રાજાને પગે પડીને કહેવા લાગી કે, “દેવ ! મને નૈમિત્તિકે કહ્યું હતું કે-જે તાપસરૂપી તરુણ તારે ઘેર આવે તેને જ તારી પુત્રી આપજે. તે ઉત્તમ પુરુષ છે અને તેની સાથે તારી પુત્રી ઘણું સુખ પામશે.” નૈમિત્તિકે કહ્યું હતું તે પ્રમાણે તે પુરુષ આજે મારે ઘેર આવ્યું. તેને ફલાદેશ પ્રમાણભૂત માનતી એવી મેં તાપસને કન્યા આપી; અને કુમાર જડતા નથી ” એ હકીકત જાણતી નહોતી તેથી આ લગ્ન નિમિત્તે ઉત્સવ કર્યો હતા. મારો આ અપરાધ ક્ષમા કરો.” જેમણે આશ્રમમાં કુમારને જે હતે એવા માણસોને રાજાએ મેકલ્યા. તેમણે કુમારને ઓળખ્યો અને આ પ્રિય વસ્તુ રાજાને નિવેદન કરી. અત્યંત પ્રસન્ન થયેલો રાજા તેને વધુ સહિત પોતાના મહેલમાં લઈ ગયે, સરખા કુલ, રૂપ અને યૌવન ગુણોવાળી રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું અને અર્થે રાજ્ય આપ્યું. વલ્કલચીરી યથેચ્છ સુખથી રહેવા લાગ્યા. પેલે રથિક ચરે આપેલું ધન વેચતો હતો તેને રાજપુરુષોએ ચોર ધારીને પકડ્યો. વકલચીરીએ પ્રસન્નચંદ્રને બધી હકીક્ત કહીને તેને છોડાવ્યા. આ તરફ, આશ્રમમાં કુમારને નહીં જોતા એવા સોમચંદ્ર ઋષિ શેકસાગરમાં ડૂબી ગયા. પછી પ્રસન્નચંદ્ર મોકલેલા દૂતો દ્વારા વકલચીરી નગરમાં ગયે છે એમ જાણીને તેને કંઈ ધીરજ આવી; અને પુત્રનું સ્મરણ કરતા તે અંધ બની ગયા. અનુકંપાવાળા બીજા ઋષિઓ તેમને ફળાહાર આપવા માંડ્યો. એ રીતે સોમચંદ્ર એ જ આશ્રમમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે બાર વરસ વીતી ગયા બાદ એક વાર વિકલચીરીકુમાર અર્ધ રાત્રે જાગી ગયે અને પિતાને યાદ કરવા લાગ્યા. “દયા વગરના મારા જેવા પુત્રથી વિખુટા પડેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy