SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ રર ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ: લીધા પહેલાં રાણીને ગર્ભ રહેલ તે વધવા માંડ્યો. ચાર પુરુષોએ પ્રસન્નચંદ્રને આ હકીકત જણાવી. પૂરા દિવસે રાણીએ કુમારને જન્મ આપે, અને તેને વલ્કલમાં મૂક્યો હતો તેથી વકલચીરી એવું તેનું નામ પાડ્યું. સૂતિકાગથી રાણી મરણ પામી. ધાત્રીએ કુમારને વગડાઉ ભેંસના દૂધથી ઉછેરવા માંડ્યો. થોડા સમય પછી ધાત્રી પણ મરણ પામી. પછી વકલચીરીને કષિ કમંડળમાં લઈને ફરવા માંડ્યા. વકલચીરી મોટો થતાં તેનું આલેખન કરીને ચિત્રકારોએ પ્રસન્નચંદ્રને બતાવ્યું. તેણે ભાઈ પ્રત્યેના સ્નેહથી ગણિકાપુત્રીઓને તાપસનું રૂપ ધારણ કરાવીને ‘ખાંડના લાડુરૂપી વિવિધ ફળવડે વકલચીરીને લોભાવીને અહીં લાવો” એવી સૂચના આપીને આશ્રમમાં મોકલી. તે ગણિકાપુત્રીઓએ મધુર ફળ, મધુર વચન અને સુકુમાર, ઉન્નત અને પુષ્ટ સ્તનના સ્પર્શવડે વલકલચીરીને ભાવ્યો. સંકેત પ્રમાણે ત્યાંથી જવાના વખતે જ્યારે તે પિતાનાં તાપસનાં ઉપકરણે મૂકવા ગયે ત્યારે વૃક્ષ ઉપર બેઠેલા ચાર પુરુષોએ નિશાની કરી કે “ઋષિ આવ્યા છે.” આથી પેલી ગણિકાપુત્રીઓ ત્યાંથી એકદમ નાસી ગઈ. વકલચીરી તેમનાં પગલાં જેતે જેતે પાછળ ચાલ્યા. અટવીમાં ભમતા એવા તેણે રથમાં બેઠેલા એક પુરુષને જોઈને કહ્યું, “તાત! વંદન કરું છું.” ત્યારે પેલા રથવાળાએ પૂછયું, “કુમાર! કયાં જવું છે?” વકલચીરીએ જવાબ આપે કે, “મારે પિતનપુર નામના આશ્રમમાં જવું છે.” પેલા પુરુષને પણ પિતનપુર જવું હતું, એટલે તેણે કહ્યું કે, “ચાલો આપણે સાથે સાથે જઈએ.” પછી વટકલચીરી રથવાળાની પત્નીને પણ “તાત!” એ પ્રમાણે સંબોધન કરવા લાગ્યું. પેલીએ કહ્યું, “આ તે કયા પ્રકારને વિનય છે?” રથવાળાએ કહ્યું, “સુન્દરિ ! સ્ત્રીઓથી રહિત એવા આશ્રમમાં આ ઉછરેલે હોવાથી સ્ત્રી-પુરુષને ભેદ જાણતા નથી, માટે એના ઉપર ક્રોધ ન કરવો જોઈએ.” પછી વલકલચરી રથના ઘડાઓને જોઈને પૂછવા લાગ્યો, “આ મૃગલાઓને કેમ જોડ્યા છે?” સારથિએ કહ્યું, “કુમાર ! આ મૃગોને આ કાર્યમાં જ ઉપયોગ થાય છે. એમાં કંઈ દોષ નથી.” પછી રથવાળાએ વલ્કલચીરીને લાડુ આપ્યા, તે જોઈને તેણે કહ્યું, “પિતનપુરવાસી ઋષિકુમારોએ પણ મને અગાઉ આવાં જ ફળ આપ્યાં હતાં.” રસ્તે ચાલતાં તેમને એક ચાર સાથે યુદ્ધ થયું. રથવાળાએ ચાર ઉપર જમ્બર પ્રહાર કર્યો તેની શસ્ત્રચાતુરીથી પ્રસન્ન થએલા ચોરે કહ્યું, “મારી પાસે વિપુલ ધન છે. તે હે સૂર! તું લઈ લે.” ત્યારપછી ચારે બતાવેલા ધનથી એ ત્રણે જણે રથ ભર્યો. અનુક્રમે તેઓ પિતનપુર પહોંચ્યા. ત્યાં રથિકે વકલચીરીને ઉતાર્યો અને કેટલુંક ધન આપીને કહ્યું કે, “તારું રહેઠાણ શોધી લે.” તે ફરતો ફરતે ગણિકાગ્રહ આગળ પહેર્યો અને ત્યાં ગણિકાને કહ્યું, “તાત! વંદન કરું છું. આ મૂલ્ય લઈને મને અહીં રહેવા દે.” ગણિકાએ કહ્યું, “તમને આવાસ આપીશું. અહીં બેસો.” પછી ગણિકાએ હજામને બેલા. વલકલચીરીએ આનાકાની કરવા છતાં તેના નખ કાપ્યા અને હજામત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy