SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ થકી પ્રત્યેકમાં તેને એક પત્નીની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક પરાક્રમના આ પ્રમાણે આવતા અંતને ગુણાર્થે “લંભ” એવું નામ આપ્યું હતું; અને એ રીતે નરવાહનદત્તની કથા વેગવતીલંભ, અજિનાવતીલંભ, પ્રિયદર્શનાલંભ ઇત્યાદિ પ્રકરણમાં વહેંચાયેલી હતી. “જૈન પરંપરા અનુસાર ( “વસુદેવ-હિંડી'માં ) શ્રીકૃષ્ણની પુરાણકથાની આજના એવી છે કેવસુદેવ પોતાના મોટા ભાઈ સાથેના કલહને કારણે ઘેરથી નાસી છૂટે છે અને પછી લાંબા પરિભ્રમણ દરમિયાન નરવાહનદાના જેવાં જ પરાક્રમ કરે છે, અને છેવટે પિતાની છેલ્લી પત્ની તરીકે રોહિણીને પ્રાપ્ત કરે છે. એ સમયે આકરિમક રીતે વસુદેવનું પિતાના મોટા ભાઈ સાથે મિલન થાય છે અને તે પિતાના કુટુંબની છાયામાં પાછા વળે છે. મદનમંજુકાને પાછી મેળવવાને દીર્ધ પ્રયત્ન અને રાજ્યાભિષેક એ પ્રસંગો અહીં છોડી દેવામાં આવ્યા છે, કારણ કે શ્રીકૃષ્ણની કથાને પ્રસંગે સાથે તે સુસંગત નથી. બધી જ વિગતે સહ મદનમંજીકા સાથે પ્રણયપ્રસંગ, જેનું છેવટ લગ્નમાં આવે છે તે શ્રીકૃષ્ણના પુત્ર સાંબ ઉપર કેમ આરોપવામાં આવ્યું છે એ સમજી શકાતું નથી. હરણવાળો પ્રસંગ અન્યત્ર વસુદેવનાં પરાક્રમોના વર્ણન પ્રસંગે મૂકવામાં આવ્યું છે, જેથી મદનમંજુકાનું મૂળ પાત્ર અહીં બે પાત્રોમાં વિભક્ત થઈ જાય છે-ગણિકાપુત્રી સહિરણ્યા અને રાજકન્યા સમશ્રી. “આ પ્રમાણે “બ્રહકથા’ના વસ્તુની અને તેના આયોજનની કંઈક બેકાળજીભરી ઘટના અહીં હોવા છતાં પણ નષ્ટ મૂળ ગ્રન્થકલેવર પર જેન રૂપાન્તર આપણને મહત્ત્વની નવી હકીકતે પૂરી પાડે છે. અગાઉ જેમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કાશ્મીરી રૂપાન્તરોમાં ૧૮ “લંબકે'માં કથા વહેંચાયેલી છે. અહીં આપણે ભ્રષ્ટ શબ્દ “લંબકની તે વાત જ નથી કરતા; મ ને બદલે વ ધરાવતે એ શબ્દ, લાકેતેએ બતાવ્યું છે તે પ્રમાણે, સ્વાભાવિક રીતે જ મૂળને નથી. લંબક' (લંભક)ને અર્થ “જેમાં નરવાહનદત્તને પત્ની પ્રાપ્ત થાય છે એવું પ્રકરણ” એ જ થઈ શકે, પણ ઉદયનની કથા અને પ્રાસ્તાવિક ભાગમાં આપી છે તે ગુણાઢ્યની કથા સુધી તેને અર્થ વિસ્તારી શકાય નહીં. બુધસ્વામીને “બૃહત્કથાશ્લોકસંગ્રહ સર્વસામાન્ય કાવ્યોની જેમ નાના સર્ગોમાં વહેંચાયેલું છે, અને તેના ઉપલબ્ધ થયેલા અંશમાં ૨૮ સર્ગ આવે છે. બધા નહીં, તે પણ ઘણા સર્ગોને અંતે ૪મશબ્દને બદલે તેને જ પર્યાય ગ્રામ મળે છે, અને ઇરાદાપૂર્વકના એક નિયમ તરીકે એક ઢામમાં સંખ્યાબંધ સર્ગોને સમાવેશ થઈ જાય છે. લાકે તે માને છે કે ગુણાત્યની કૃતિ “રામાયણ”ની જેમ જુદા જુદા કાંડમાં વહેંચાયેલી હોવી જોઈએ, અને મુખ્ય કથા ભાગ “લંભ” સહિત એવા કાંડેને બનેલે હેવો જોઈએ. જેન રૂપાન્તરમાં લંભનો પ્રયોગ તેના મૂળ અર્થમાં એક અંતિમ લયસ્થાન તરીકે-અર્થાત નરવાહનદત્તના (અહીં વસુદેવના ) વિજયને વર્ણવતા મુખ્ય કથાભાગનાં પ્રકરણના નામકરણના જ થયેલ છે. આ મુખ્ય કથા ભાગને “શરીર” કહેલ છે, અને ગ્રન્થના છ અધિકાર પૈકી તે પાંચમે છે; કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ અને પ્રતિમુખ એ ચાર અધિકારો તેની પૂર્વે આવે છે. શરીરની પછી ઉપસંહાર આવવો જોઈએ, પણ ગ્રન્થનો અંતભાગ ત્રટક હોવાથી તે ઉપલબ્ધ થતું નથી. મુખ્ય કથાભાગ “શરીરની અપેક્ષાએ “સંભોનો સમૂહ સંભવતઃ ગૌણ છે. મૂળ પ્રાચીન “બૃહત્કથા'માં આમૂલચૂડ વિભાગીકરણ નહોતું; પ્રાસ્તાવિક કથાપ્રકરણ પછી બીજાં નામકરણ સાથેના સંખ્યાબંધ ‘લંભ” હતા, અને તે પછી “ઉપસંહાર' આવતે. સંસ્કૃત રૂપાન્તરો પૈકી માત્ર “બહકથામંજરી'માંજ “ઉપસંહાર અને નિર્દેશ છે, અને લાકેતેએ પણ “ઉપસંહારને મૂળ કથાનું તદ્દન ગૌણ અંગ ગણ્યું છે. “વસુદેવ–હિંડી” પુરવાર કરે છે કે મૂળ “ બૃહત્કથા ”માં “ઉપસંહાર' હતે. સોમદેવે પોતાની કૃતિમાંથી “ઉપસંહાર” કાઢી નાખ્યો છે, પણ વધારામાં સેમેન્ટે સાચવેલી કેટલીક પ્રકીર્ણ બાબતે ઉપરાંત નરવાહનદત્તના તમામ સંભકેની એક સંપૂર્ણ સૂચિ પિતાના ગ્રન્થના પ્રારંભમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy