SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ૧૧/૧૨ એક વાર રાત્રે દીવાની સળગતી વાટ ઉંદર ખેંચી ગયે તે કારણે રૂ સળગી ગયું. દુકાનમાંથી હું મુશ્કેલીએ બહાર નીકળે. ઘણુંખરી દુકાન પણ સળગી ગઈ. જે કંઈ બાકી રહ્યું હતું તે લેકેએ બચાવી લીધું. પ્રભાતે ગ્રામવાસીઓએ મને આશ્વાસન આપ્યું. ફરી પાછા વેપાર કરતાં અમે સૂતર અને રૂ એકત્ર કર્યું અને ગાડાં ભર્યા. સાર્થની સાથે અમે ઉત્કલ દેશમાં ગયા. ત્યાંથી કપાસ લીધો, ગાડાં ભર્યા અને તામ્રલિપ્તિ નગરી તરફ ચાલ્યા. અનુક્રમે ચાલતા અમે અટવીમાં પ્રવેશ્યા. ગહન જંગલની પાસે મુકામ કર્યો. ચેકિયાતોના બળથી બધા લોકો નિશ્ચિત હતા, પણ સૂર્યાસ્ત કાળે ચારો આવ્યા. તેમણે રણશીંગડાં ફેંકયાં અને પટ વગાડ્યા. થોડીક વાર ચેકિયાતે લડ્યા, પણ પછી તેઓ પણ સાર્થના લોકોની સાથે નાસવા લાગ્યા. સાંજના સમયે ગાડાંઓને આગ લગાડવામાં આવી અને ચારો માલ લૂંટવા લાગ્યા. એ સમયની ધમાલમાં વનમાં રહેલા મેં સર્વાર્થ મામાને જોયા નહીં. વંશલતાઓના અંધકારથી અને ધુમાડાથી દશે દિશાઓ વ્યાપ્ત થયેલી હતી તે સમયે સંભળાતી વાઘની ગર્જનાઓથી ત્રાસેલો હું તે પ્રદેશમાંથી ચાલી નીકળ્યા. વનમાં દાવાનળ વધતો જતો હતો તે વખતે ભયથી ત્રાસેલો હું એક કાપટિક–સાધુની સહાયથી દુખપૂર્વક અટવીમાં ગ. સર્વાર્થ મામા કયાં ગયા, તેની મને ખબર નહોતી. મેં વિચાર કર્યો, “(આરંભેલા કામનો ) ત્યાગ કર્યા સિવાય મારાથી ઘેર જઈ શકાય એમ નથી. ઉત્સાહમાં જ લક્ષમી વસે છે. દરિદ્ર માણસ તે મરેલા જેવો છે, સ્વજન વડે પરાભવ પામતે તે એશીઆળું જીવન જીવે છે, માટે (પરદેશમાં રહેવું એ જ મારે માટે યેગ્ય જ છે. ” પછી એક જનપદમાંથી બીજા જનપદમાં પ્રવાસ કરતો હું અનુક્રમે પ્રિયંગુપટ્ટણ પહેંચે. ત્યાં સ્નાન કરીને હું બજાર જેતે નીકળ્યો, તે વખતે સૌમ્ય આકૃતિવાળા અને મધ્યમ વયના એક વણિકે મને કહ્યું, “અરે ! તું ઈભ્યપુત્ર ચાદર છે?” કહ્યું, “હા.” એટલે પ્રસન્ન થયેલા તેણે કહ્યું, “દુકાનમાં આવ.” હું દુકાનમાં ગયે, એટલે અશ્રુ વર્ષાવતા તેણે મને આલિંગન આપ્યું. હું દુકાનમાં બેઠો, એટલે તે વણિકે મને કહ્યું, “ચારુસ્વામી! હું સુરેન્દ્રદત્ત નામે વહાણવટી છું અને તમારો પાડોશી છું. મેં સાંભળ્યું છે કે “શેઠે દીક્ષા લીધી છે અને ચારુદત્ત ગણિકાગ્રહમાં રહે છે. ” માટે અહીં આવવાનું કારણ કહે.” એટલે મેં તેને બધી હકીકત કહી સંભળાવી. પછી તેણે મને કહ્યું. “તું વિષાદ ન કરીશ. આ વૈભવ તારો છે અને હું તારે આધીન છું.” પછી તે મને પિતાને ઘેર લઈ ગયે. ત્યાં નાન કરી જમ્યા પછી મેં તેને કહ્યું, “મને એક લાખ ઉધાર આપે; બાકીનું ધન તમારું.” તેણે પ્રસન્નતાપૂર્વક એટલું ધન મને આપ્યું. પછી જાણે હું મારા પિતાના જ ઘરમાં વસતો હોઉં તેવી રીતે મેં વહાણ સજજ કર્યું, તેમાં માલ ભર્યો, વહાણવટીઓની સાથે કરો પણ લીધા, સર્વાર્થને કુશળતાના સમાચાર મોકલ્યા, રાજ્યશાસનનો પટ્ટક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy