SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધર્વદત્તા સંભક [ ૧૮ ] લીધે, પવન અને શકુન અનુકૂળ હતા તે વખતે હું વહાણુમાં બેઠે, ધપ કર્યો અને ચીન સ્થાન તરફ વહાણ ચલાવ્યું. જલમાર્ગને કારણે આખું જગત જલમય હોય તેવું લાગતું હતું. પછી અમે ચીનસ્થાન પહોંચ્યા. ત્યાં વેપાર કરીને હું સુવર્ણભૂમિર ગયે. પૂર્વ અને દક્ષિણ દિશાનાં પટ્ટમાં પ્રવાસ ખેડીને તથા કમલપુર, યવનદ્વીપક અને સિંહલમાં તેમજ પશ્ચિમે બર્બર અને યવનમાં વ્યાપાર કરીને મેં આઠ કેટિ ધન પેદા કર્યું. માલમાં રોકતાં તથા એ માલ જલમાર્ગે લાવતાં ધન બમણું થાય છે. આથી વહાણમાં હું સોરઠના કિનારે કિનારે પ્રવાસ કરતો હતો ત્યારે, કિનારો મારી દષ્ટિમર્યાદામાં હતો તે જ વખતે, વાવાઝોડું થયું અને એ વહાણ નાશ પામ્યું. ઘણી વારે એક પાટિયું મને મળ્યું. મોજાઓની પરંપરાથી આમતેમ ફેંકાતો હું તેનું અવલંબન કરીને સાત રાત્રિને અંતે ઉંબરાવતી વેલા-કિનારા ઉપર ફેંકાયે. આ રીતે હું સમુદ્રમાંથી બહાર નીકળે. પાણીના ખારને લીધે સફેદ શરીરવાળો હું એક જાળાની નીચે બેસીને વિશ્રામ લેવા લાગ્યા. તે સમયે એક ત્રિદંડી આવ્યું. મને ટેકો આપીને તે ગામમાં લઈ ગયા. પિતાના મઠમાં તેણે મને સ્નાન કરાવ્યું, અને પૂછયું, “ઇભ્યપુત્ર! આ આપત્તિમાં તું કેવી રીતે પડ્યો?” હું કેવી રીતે ઘેરથી નીકળે અને મારું વહાણ કેવી રીતે ભાંગ્યું તે મેં સંક્ષેપમાં કહી બતાવ્યું. એટલે ક્રોધ પામીને તે બોલ્યા, “હં! તું નિર્માગી મારા મઠમાંથી ચાલ્યો જા.” આથી હું તો પાછો તે વનમાં નીકળ્યો. થોડે દૂર ગયો, એટલે તે ત્રિદંડી વળી મને કહેવા લાગ્યો, “પુત્ર! મેં વિનય જાણવા માટે તારે તિરસ્કાર કર્યો હતે. તું ખરેખર અજ્ઞાન છે કે મૃત્યુસ્થાનમાં તારી જાતને ફેકે છે. જે તે ધનની ઈચ્છાવાળો હોય તો અમારો વશવર્તી થા. અમારી ઉપાસના કરતાં તેને કોઈ પણ પ્રકારના કલેશ વગર ધન પ્રાપ્ત થશે.” પછી કિંકર-જનોએ મને નવરાવ્યો અને જવની રાબ પીવડાવી. એ પ્રમાણે મારા કેટલાક દિવસ વીતી ગયા. એક વાર ભઠ્ઠી સળગાવીને તે પરિવ્રાજક મને કહેવા લાગ્યા, “ પછી તેણે પિોલાદ ઉપર રસ પડ્યો અને પોલાદ અંગારામાં નાખ્યું. ધમણ વડે ધમતાં તે ઉત્તમ સુવર્ણ થઈ ગયું. તેણે મને કહ્યું, “પુત્ર! આ તેં જોયું ?” હું બે , “ અત્યંત આશ્ચર્ય જોયું.” પછી તેણે મને કહ્યું, “મારી પાસે સોનું નથી, પણ હું મોટો સૌવણિક છું. તને જોઈને મને પુત્રવત રહ થયેલ છે. તું અર્થપ્રાપ્તિને સારુ કલેશ કરે છે, માટે તારે ખાતર હું જઈશ અને શતસહસ્ત્રધી રસ લાવીશ. પછી તું કૃતકૃત્ય થઈને તારે ઘેર જજે. આ તો મારી પાસે પહેલાં મેળવેલ છેડેક રસ હતો. ” લોભી ૧. એ કાળમાં પણ દરિયાઈ મુસાફરી માટે પાસપોર્ટ' જેવી પ્રથા હોવી જોઈએ. ૨. સુમાત્રા, ૩. આ પછી પશ્ચિમ તરફના દેશોમાં “ચવન” દેશનું નામ આવે છે, તેથી આ “અવનીપ’ નહીં, પણ ચવદ્વીપ” ( જાવા) હે જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy