SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચન્દ્રા લંભક [ ૩૩૯ ] છે, સમ્યકત્વ અને જ્ઞાન પ્રાપ્ત થતાં તારૂપી જળવડે ( કમલ) પ્રક્ષાલિત થતાં મુક્ત થાય છે. ” આ પ્રમાણે અમૃતની જેમ સમાધિ ઉત્પન્ન કરનારું ભગવાન પ્રીતિકરનું વચન સાંભળતી બુદ્ધિસેના “તે એમજ છે” એમ કહી પ્રણામ કરીને વિનંતી કરવા લાગી, “ભગવન્! મને ગૃહવાસને ગ્ય વતનો ઉપદેશ કરે.” પછી સાધુએ તે વતે કહ્યાં. અણુવ્રત ગ્રહણ કરીને તે પ્રણામ કરીને ગઈ અને પ્રમાણે પાસિકા થઈ. ચિત્રમતિએ સાંભળ્યું કે, “ બુદ્ધિસેના રાજકન્યા પ્રીતિકરે ઉપદેશેલે ધર્મ સાંભળીને અરિહંતના શાસનમાં પ્રેમવાળી થઈ છે. ” એટલે તેણે ગુરુની અનુજ્ઞા માગી, “ મને રજા આપે, હું જાઉં છું, બુદ્ધિસેનાને હું દીક્ષા આપીશ.” મતિસાગર ગુરુએ રોકવા છતાં તે સાકેત ગ. વિનય-પ્રતિપત્તિમાં કુશળ તે કન્યાએ કથાઓમાં કુશળ એવા તેની પૂજા કરી. તે કન્યાને જોતાં તેની દષ્ટિ વિવેકરહિત બની અને હદય વ્યાકુળ થયું. તેણે વિચાર કર્યો કે, “અહો ! આવું રૂપ મેં પૂર્વે જોયું નથી. આશ્ચર્યની વાત છે !” આ પ્રમાણે જેની મનોવૃત્તિ દૂષિત થયેલી છે એવો તે સુમિત્ર રાજાની સેવા કરવા લાગ્યું. રાજાએ પણ જાણ્યું કે, “આ પ્રીતિકર રાજાના પુરોહિતને પુત્ર છે. ” માંસભક્ષણ વિષે ચર્ચા એક વાર સેવા નિમિત્તે તે રાજાને કહેવા લાગ્યા, “દેવ! મેં પૌરાગમ-રસાઈના શાસ્ત્ર-ને અભ્યાસ કરેલ છે, તે મારો એ પરિશ્રમ હવે સફળ થાઓ. તમારાં બળ અને તેજની વૃદ્ધિ માટે માંસની વાનીઓના પ્રકાર હું બનાવીશ. આજ્ઞા આપો.” એટલે સુમિત્રે કહ્યું, “ચિત્રમતિ ! પ્રાણિવધ વડે હું મારા પ્રાણુનું પાલન નહીં કરું. તારું બોલવું સારું નથી.” એટલે તે કહેવા લાગ્યો, “જે પોતે હણે-હણ અથવા અનુમોદન આપે તે પાપનો અનુભવ કરે છે, (એટલે તમારે વિચાર કરવાનો નથી. જે બીજાએ આણેલું માંસ વેચાતું લઈને ખાય તેને શે દોષ છે?” એટલે રાજા બોલ્યો, “સ્વાદિષ્ટ અને સેંઘા માંસની ઈચ્છા રાખતે ખરીદનાર વધમાં અનુમતિ આપે છે. ઘાતકે પણ જ્યાં માંસ ખવાતું હોય ત્યાં દૂર સુધી પણ માંસ લઈ જઈને વેચે છે. અભક્ષ્ય એવા કૂતરા, ગધેડા, કાગડા વગેરેને તેઓ મારતા નથી. ખરીદનારાઓ ઘણું છે એમ જાણીને જીવતાં પ્રાણુઓને તેઓ છાનાં રાખી મૂકે છે, અને મૂલ્ય મળે ત્યારે તે જ ક્ષણે તેમને નાશ કરે છે. એમ હોય તે પછી અનુમતિ કેમ ન ગણાય?” હવે ચિત્રમતિ બેલે, કુશળ ચિત્તવાળો જે અનાસક્તપણે ખાય છે તેને વધથી થતો દેષ સંભવતો નથી.” એટલે રાજાએ કહ્યું, “માંસભક્ષણમાં વધની અનુમતિ હોવાથી દોષ છે જ, ભંડારને દેશાન્તરમાં લઈ જવાની બુદ્ધિથી હાથને પીડા ન થાય એવું નથી. એ જ પ્રમાણે પિઠિયાને પીડા ન થાય તે ભંડાર દેશાન્તરમાં લઈ જઈ શકાય તેવી જ રીતે માંસ ઘણું અને સેંધું મળે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy