SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : અને પ્રાણીઓના વધ પણ ન થાય એ વસ્તુ સંભવિત નથી. ” પછી ચિત્રમતિએ કહ્યું “જો બીજાએ મારેલાંનું માંસ ખાવામાં પ્રશસ્ત ચિત્તવાળાને પણ દોષ લાગે, તેા એ જ પ્રમાણે જેએ શ ંખ, મેાતી, દાંત, પીછાં, ત્રાણુ વગેરેના ઉપભાગ કરે છે તેઓ પણ માંસાહારીઓના સરખા થશે-ગણાશે. ” એટલે રાજાએ કહ્યુ, “ તેએ સરખા ન થાય. તેમાં તફાવત છે—તે વસ્તુ (શંખ, મેાતી, દાંત આદિ) ઘણા પુરુષાની પરંપરાથી પણ પ્રાપ્ત થાય છે; તૈયાર મળે છે તે પણ અનેક કારણથી ઉત્પન્ન થએલ હાય છે અને ઘણા કાળ સુધી તેના ઉપભાગ થઇ શકે છે. પેાતાની મેળે મરણ પામેલાં પ્રાણીઓનાં ( શરીરની એ વસ્તુઓને ) પણ ઉપભાગ થઇ શકે છે. માંસની બાબતમાં તેા ઘાતક હાય છે તે જ વેચનાર હાય છે. રસલેાલુપ મનુષ્ય હાય તા તે પોતે વધ કરે અથવા તેની અનુમતિ આપે એમાં રાગ એ કારણ છે-એ તફાવત છે. જો........૨ બંધનકર્તા થાય છે એમ તું માનતા હાય તા મધ પાડનાર અને વનને દવ લગાડનાર મનુષ્ય પણ નિર્દોષ થાય, કેમકે તેમનો મધ એકઠું કરવાની ઇચ્છા હેાય છે, અને નહીં કે મૃગ, સર્પ, કીર વગેરેના વધ કરવાની. માટે વધના કારણરૂપ વધને જ ટાળવા, જેમ મરણથી ડરનારાએ મરણના કારણને જ ટાળવું, જેમકે-કેાઇ રાજાનેા સ્વાદિષ્ટ ફળવાળા આંખેા હતા. તેથી તેણે ઘાષણા કરાવી કે, જે કેાઇ આપ્યા વગરનું એક પણ ફળ ચારશે તેના શારીર દંડ કરવામાં આવશે. તે સાંભળીને લેકે તે કળાનુ ગ્રહણ, ભક્ષણ અથવા દર્શન પણ દૂરથી ટાળતા હતા. તે જ પ્રમાણે પ્રાણિવધના ભીરુએ બંધ અને વધના હેતુરૂપ હાવાથી પ્રાણિવધના દૂરથી ત્યાગ કરવા. માંસના લાલચુએ વડે વધ કરાતાં પ્રાણીએની બાબતમાં જેએ પેાતે અનુમતિ આપે તે પૂર્વકૃત્યને કારણે પ્રકારનું મરણુ પામે છે; જે વધ કરનારાએ અને અનુમતિ આપનારાએ હાય છે તેઓ પણ પેાતાના દુષ્કૃત્યનું કુળ અનુભવશે. ” એટલે ચિત્રમતિ મેલ્યા, “તમને ઉત્તર આપવાને હું અશક્ત છું, પણ નિરામિષ આહાર કરતાં તમારા શરીરને હાનિ થશે, અને તેથી ધર્મ, અર્થ અને કામની હાનિ થશે. ’ જ આ પ્રકારનાં વચને વર્લ્ડ ( સુમિત્ર રાજાએ ) મુશ્કેલીથી ( માંસ ખાવાનું) સ્વીકાર્યું. ચિત્રમતિને બુદ્ધિસેના આપવામાં આવી. પછી તે સુમિત્ર રાજાની અનુકૂળ વચના વડે સેવા કરવા લાગ્યા. એ રીતે પરિવાર સહિત સુમિત્રને ચિત્રમતિએ માંસના પ્રકાશને ઉપદેશ કર્યા. માણિવધના કારણના એ ઉપયેગથી ઘણું પાપ ઉપાન કરીને નારક, તિર્યંચ અને હલકાં મનુષ્યેામાં કશ એવાં શારીરિક અને માનસિક દુઃખા વડે અનુબદ્ધ ઘણાં જન્મ મરણ અનુભવતા તે રાજા અપા પુદ્ગલપરિવ` સુધી સંસારમાં ભમ્યા. "" ૧. આ કોઇ પ્રકારની ઊન લાગે છે. ૨. મૂળમાં અહીં સવ્વપળ શબ્દ છે, તેની સંગતિ સમજાતી નથી. ૩. કેટલીક જ*ગલી પ્રજાએમાં અનિષ્ટ ટાળવા માટૅ વન બાળવાની બાધા લેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy