SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૮ ] વિશેષે કરીને તાજા મારેલાં પ્રાણીઓનુ માંસ મીઠું અને રસા` કહેવાય છે; તેથી યતિએ કહે છે કે-પરલેાકના હિતની ઇચ્છા રાખનારે માંસ ખાવું નહીં. (તે ખાખતમાં) આ દૃષ્ટાન્ત છે— વસુદેવ-હિંડી : : : પ્રથમ ખંડ છ સુમિત્ર રાજાનું દૃષ્ટાન્ત અતીત કાળમાં આ જ ભારતવર્ષમાં છત્રાકાર નગર હતું. ત્યાં પ્રજાને પ્રીતિ ઉત્પન્ન કરનાર એવા પ્રીતિકર નામે રાજા હતા. સંસારભીરુ અને મેાક્ષના અભિલાષી એવા તે મેાક્ષમાર્ગને શેાધતે મતિસાગર સ્થવિરની પાસે જિનવચનના પરમાર્થ સાંભળીને, સર્પ જેમ કાંચળીના ત્યાગ કરે તેમ, રાજ્યના ત્યાગ કરીને શ્રમણ થયા. પુરોહિતના પુત્ર ચિત્રમતિએ પણ તેની સાથે દીક્ષા લીધી. અત્યંત સન્તાષપૂર્વક જેણે સૂત્ર અને અનુ અધ્યયન કર્યું છે તથા જેને ક્ષીરાસવલબ્ધિ૧ ઉત્પન્ન થઇ છે એવા તે તપમાં ઉદ્યત થયા. ગુરુની અનુજ્ઞા લઇને વિહરતા તે સાકેત નગરમાં ગયા. ત્યાં સુમિત્ર રાજાની પુત્રી, સુપ્રબુદ્ધા ગણિકાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિસેના નામે કન્યા હતી. કમલરહિત લક્ષ્મી જેવી રૂપાળી, લેાકેાનાં નયનને લેાભાવનાર વદન, દાંત, હાઠ, કપાલ, સ્તન, કર અને ચરણવાળી તે કન્યા ઉદ્યાનમાં રહેલા, વિદૃષ્ટ (ત્રણ કરતાં વધારે) ઉપવાસથી ક્ષીણ થયેલા દેહવાળા તથા પ્રશસ્ત ધ્યાનમાં જેનું ચિત્ત સ્થિર રહેલુ છે એવા પ્રીતિકર અણુગારને જોઇને વિનયપૂર્વક વંદન કરીને પૂછવા લાગી, “ ભગવાન્ ! આપના શાસનમાં આત્માને કેવા વણૅ વેલા છે ? ” ‘ આ ઉપદેશને યાગ્ય છે' એમ સાધુએ જ્ઞાનના ઉપયાગથી જાણીને તેને કહ્યું, “ સાંભળ— Jain Education International જેમણે જીવ, અજીવ, મધ, મેાક્ષના વિધાનાને સારી રીતે જોયાં છે એવા અરિહં તાએ યુવા, વૃદ્ધ આદિ પર્યાયેથી આત્મા યુક્ત છે' એમ પેાતાના ઉપદેશ દ્વારા કહ્યું છે. તેનાં નામા-જીવ, આત્મા, પ્રાણી, ભૂત, સત્ત્વ, સ્વયંભૂ વગેરે છે. તે જોન હાય તા પુણ્ય અને પાપનાં ફળેાની નિરર્થકતા થાય. વિવિધ કર્મનાં અનુભાગી પ્રાણીઓમાં પરિપાક પામતું પ્રત્યક્ષ દેખાય છે તે સુકૃત અને દુષ્કૃતનુ ફળ છે; માટે શ્રદ્ધા કરવા લાયક એવા જીવ છે, દ્રષ્યાથી તે નિત્ય છે, સંસારને આશ્રીને તે રૂપે ( સ્ત્રી, પુરુષ આદિ રૂપે દેખાય છે, તે ભાવના નાશ થતાં અશાશ્વત ( જીવ રૂપે શાશ્વત, પશુ પર્યાય રૂપે અશાશ્વત ) દેખાય છે, તે પ્રકારના યાગને પ્રાપ્ત કરીને પ્રમત્ત દેખાય છે, ઇન્દ્રિય સહિત હાવાથી કર્તા છે, પોતે કરેલાં શુભાશુભ કર્મોના ઉદયના ભક્તા છે, પેાતાનાં કર્મોથી અનેલાં સૂક્ષ્મ-ખાદર શરીર જેટલા પ્રમાણવાળા છે; રાગ-દ્વેષને વશ પડેલે તે કમલવડે કલંકિત થઈને નારક, તિય ઇંચ, માનવ અને દેવભવમાં ભ્રમણ કરે ૧. મુખમાંથી વાણી નીકળે તે સાંભળનારને દૂધ જેવી મધુર લાગે તેને ક્ષીરાસ્રવલબ્ધિ રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy